ગુજરાત પ્રવાસન
હેરિટેજ હોટલ્સ
|
||||||
ગુજરાત હેરિટેજ હોટેલ્સ સામાન્ય દરોથી લઇ
રાજવી લકઝુરીયસ સુવિધા સાથેના દરોમાં પરંપરાગત શાસકોના ઠાઠનો અનુભવ કરાવે છે. આધુનિક સુવિધાઓથી
સજ્જ ભાતીગળ રહેણી સાથે વૈશ્વિક જીવનશૈલીને અનુરૂપ
આતિથ્ય સેવા પ્રદાન કરતી હેરિટેજ હોટેલ્સનું આતિથ્ય અનેરો અને અલ્હાદક અનુભવ કરાવે છે.
રાજવી પરિવારોએ તેમના મહેલો અને ઇમારતોને હેરિટેજ
હોટલમાં રૂપાંતરિત કરી એ જ ભવ્યતાની અનુભૂતિ કરાવે છે. જે રાજા-મહારાજાઓની જીવનશૈલી હતી.
હેરિટેજ હોટલમાં આતિથ્ય માણવાની અનુભૂતિ એટલે નૈસર્ગિક
સૌંદર્ય સાથે પક્ષીઓના કલરવનો ધ્વનિ અને પરંપરાગત રાજવી વૈભવ સાથેનો વસવાટ.
ગુજરાતમાં પ્રવાસીઓ પરંપરાગત જીવનશૈલી, ભવ્ય ઇતિહાસ, શિલ્પ-સ્થાપત્ય અને સમભાવ વિચારધારાનો અહેસાસ રાજવી સુખ-સુવિધા, સૌંદર્ય અને સરળતાથી થાય છે. |
||||||
|
હિલ સ્ટેશન અને પ્રવાસન ક્ષેત્રો

|
સાપુતારાના ગીચ જંગલોમાં રહેતા આદિવાસીઓ તેમના
વિશિષ્ટ નૃત્ય માટે ખાસ જાણીતા છે. સાપુતારાને એક ગિરીમથક તરીકે તેનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં હોટલો, બગીચા, સ્વીમિંગ પુલો, બોટ કલબ, નાટ્યગૃહો અને સંગ્રહાલયનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. તે રજાઓના દિવસો માટે એક સુંદર અને
આહલાદક પ્રાકૃતિક અનુભૂતિ કરાવતું પ્રવાસનક્ષેત્ર બની રહે
છે.
ગુજરાતના દરિયા કિનારે ઘણા હિલ સ્ટેશન આવેલા છે. તિથલ, ભુલેશ્વર, સુરત, ચોરવાડ, જુનાગઢ જીલ્લાને ગુજરાત સરકાર દ્વારા પર્યટન સ્થળો બનાવવા માટેની યોજના છે. પાવાગઢની શૃંખલા અને તુલસી-શ્યામ તેના ગરમ પાણીના ઝરણા અને ગીર તેના જંગલોને કારણે પ્રખ્યાત છે.
મુખ્ય પ્રવાસન ક્ષેત્ર તરીકે ઉદયવાડા, વલસાડને વિશ્વ શાંતિ અને સહિષ્ણુતાનું પ્રતીક બનાવવામાં આવી રહ્યું છે.
ગુજરાતમાં ઘણા પ્રવાસન ક્ષેત્રો આવેલા છે. અમદાવાદમાં આવેલો ગાંધી આશ્રમ વિશ્વ પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ છે. જે ઘણા પ્રવાસીઓને તેની તરફ ખેંચી લાવે છે.
ગુજરાતના કેટલાક પ્રવાસન ક્ષેત્રો :
ગુજરાતના દરિયા કિનારે ઘણા હિલ સ્ટેશન આવેલા છે. તિથલ, ભુલેશ્વર, સુરત, ચોરવાડ, જુનાગઢ જીલ્લાને ગુજરાત સરકાર દ્વારા પર્યટન સ્થળો બનાવવા માટેની યોજના છે. પાવાગઢની શૃંખલા અને તુલસી-શ્યામ તેના ગરમ પાણીના ઝરણા અને ગીર તેના જંગલોને કારણે પ્રખ્યાત છે.
મુખ્ય પ્રવાસન ક્ષેત્ર તરીકે ઉદયવાડા, વલસાડને વિશ્વ શાંતિ અને સહિષ્ણુતાનું પ્રતીક બનાવવામાં આવી રહ્યું છે.
ગુજરાતમાં ઘણા પ્રવાસન ક્ષેત્રો આવેલા છે. અમદાવાદમાં આવેલો ગાંધી આશ્રમ વિશ્વ પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ છે. જે ઘણા પ્રવાસીઓને તેની તરફ ખેંચી લાવે છે.
ગુજરાતના કેટલાક પ્રવાસન ક્ષેત્રો :

|
સંગ્રહાલયો

|
રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીની જન્મભૂમિ તેમજ કર્મભૂમિ ગુજરાત પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તેમાં અમદાવાદ ખાતે ૧૯૫૧માં સ્થપાયેલ ગાંધી સ્મારક સંગ્રહાલય મુખ્ય છે. જે ૧૯૬૩માં નવા સ્વરૂપે નવા અદાયલા સ્થળે બનાવવામાં આવ્યું. આ સંગ્રહાલયમાં ગાંધીજીની રોજીંદી ક્રિયાઓમાં વપરાશમાં આવતી ચીજવસ્તુઓને પ્રદર્શન માટે મૂકી છે. ઉપરાંત સંગ્રહાલયમાં રજૂ કરાયેલા ચિત્રો આબેહૂબ વાસ્તવિક ઘટનાઓની અનુભૂતિ કરાવે છે. અહીં પુસ્તકો, ઉપરાંત ગાંધીજીના લખાણોની હસ્તપત્રો, ગાંધીજીએ કરેલા પત્રવ્યવહારોની નકલો, ફોટોગ્રાફ્સ ઉપરાંત આશ્રમવાસીઓ સાથેના ચિત્રો જેવી ચીજવસ્તુઓ ભારતીય સ્વાતંત્ર ઇતિહાસની અનુભૂતિ કરીવે છે. ખાસ તો ગાંધીજીનો ચરખો અને તેમણે વાપરેલું ટેબલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.
કેટલીક કળાની હકીકતો :
![]() |
કેલિકો ટેક્ષ્ટાઇલ
સંગ્રહાલય
ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ તેની સદીઓ પુરાણી હાથ-શાળ, વણાટ કામ માટે જગમશહૂર છે. કોટન કાપડના ઉત્પાદનમાં ભારતનું મોખરાનું સ્થાન રહી ચૂકેલ અમદાવાદમાં કેલિકો ટેક્ષ્ટાઇલ સંગ્રહાલય આવેલું છે. જેમાં હાથશાળ, વણાટકામ ઉપરાંત કાપડના કલરકામ સાથે કોટન, રેશમ અને સૂવર્ણ પર થયેલી કળા-કારીગરીનાં ઉત્તમ નમૂનાઓનો સંગ્રહ છે. સત્તરમી સદીનાં હાથશાળની કારીગરીને પ્રતિબિંબિત કરતું લાકડાના નકશીકામની સજાવટવાળું આ સંગ્રહાલય તેની આગવી ગોઠવણી અને નમૂનાની રજૂઆતોમાં વિખ્યાત બનેલું છે. |
![]() |
સરદાર વલ્લભભાઇ
પટેલ રાષ્ટ્રીય સ્મારક :
સાબરમતી નદી કિનારે શાહીબાગ ખાતે સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય સ્મારક આવેલું છે. ભારતની આઝાદીના જંગમાં લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલનો ફાળો અને તેમની નેતાગીરીના સંસ્મરણો આ સંગ્રહાલયમાં જળવાયેલા છે. તેમના જીવન અને કાર્યોની નોંધનો સંપૂર્ણ ઇતિહાસ આ સંગ્રહાલયમાં સાચવવામાં આવેલો છે. અગાઉ રાજભવન તરીકે ઓળખાતી આ ઇમારત તેની ભવ્યતા અને સ્થાપત્ય કળામાં બેનમૂન છે. |
![]() |
પતંગ સંગ્રહાલય
:
‘પતંગ ઉત્સવ’ ગુજરાતની આગવી ઓળખ છે. વિશ્વ ફલક પર પતંગના શોખને ઉત્સવમાં પરિવર્તિત કરી વિશ્વભરમાં ફેલાયેલા પતંગ રસિયાઓ ગુજરાતના મહેમાન બની ચૂક્યા છે. પતંગ સંસ્કૃતિને ઉજાગર કરતું ‘પતંગ સંગ્રહાલય’ પતંગનો એક હજાર વર્ષ જૂનો ઇતિહાસ દર્શાવે છે. પતંગના વિવિધ નમૂના અને ઐતિહાસિક દસ્તાવેજો સાથે તેની પ્રતિકૃતિઓ જોવા-માણવા માટે વિશ્વના પ્રવાસીઓ માટે ‘પતંગ સંગ્રહાલય’ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. |
![]() |
વડોદરા
સંગ્રહાલય :
કળા અને શિલ્પ સ્થાપત્યના બેનમૂન અને આકર્ષક નમૂનાનો સંગ્રહ અહીં જોવા મળે છે. ઇતિહાસ, ભૂસ્તરશાસ્ત્ર અને જુદી જુદી માનવ સંસ્કૃતિના સ્વરૂપને આલેખતું આ ભવ્ય સંગ્રહાલય ગાયકવાડી, યુરોપીય અને મુઘલ સામ્રાજ્યના અમૂલ્ય નમૂનાને રજૂ કરે છે. |
![]() |
માનવ સંસ્કૃતિનું
સંગ્રહાલય :
‘ભારતીય સંસ્કૃતિ દર્શન’ નામે પ્રખ્યાત માનવ-સંસ્કૃતિના પૂર્ણ દરજ્જાને તાદ્રશ્ય કરતું આ સંગ્રહાલય ભૂજ ખાતે આવેલું છે. કચ્છની ગ્રામીણ સંસ્કૃતના ૪૫૦૦થી વધુ નમૂના દર્શાવતા સંગ્રહાલયમાં સંસ્કૃતિ કળાના પુસ્તકો, અને અન્ય સામગ્રી ઉપલબ્ધ છે. કુલ મુખ્ય પાંચ વિભાગોમાં વહેંચાયેલું છે. મધ્યખંડમાં સાહિત્ય ચિત્ર વિભાગમાં અલભ્ય સાહિત્યનો ખજાનો છે. ખૂબ જ કલાત્મક ચર્મકામ, સંગીતકળાના વાદ્યોના નમૂના ખૂબજ આકર્ષક અને ભવ્ય રીતે રજૂ કરાયેલા છે. જે તે સમયની કિંમતી ચીજ વસ્તુઓ, ઉપરાંત સોનું - ચલણી નાણું વગેરેને સુરક્ષિત રીતે સંગ્રહવા માટે ‘કોઠાર’ નું નિર્માણ અને તેની બનાવટ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. |
![]() |
કચ્છ મ્યુઝિયમ
:
ગુજરાતનું સૌથી પુરાણું સંગ્રહાલય છે. ઇ.સ. ૧૮૭૭માં નિર્માણ પામેલું આ સંગ્રહાલય ફર્ગ્યુસન સંગ્રહાલય નામે પ્રચલિત છે. બ્રિટીશ હકુમત સમયે સર જેમ્સ ફર્ગ્યુસને આ સંગ્રહાલયની વ્યવસ્થા કરી હતી. આ સંગ્રહાલયમાં સોના-ચાંદીના ઘરેણાંના નમૂના તેના ડિઝાઇન, શાળકામ, યુદ્ધ શસ્ત્રોના નમૂના, પુરાતત્વીય ઇતિહાસના નમૂના, પ્રાણીના અવશેષો અને અન્ય સાધનસામગ્રી ઉપરાંત વહાણ-વ્યવહાર સાથે જોડાયેલ સંસ્કૃતિ અને સભ્યતાની રજૂઆત અહીં કરવામાં આવી છે. |
ગ્રંથાલયો

|
![]() |
|
રાજ્યમાં વિભિન્ન
પુસ્તકાલયોમાંથી વાચકોને ઇસ્યુ કરેલા પુસ્તકોની વિગત
![]() |
||||||||||
|
ગ્રંથાલયોની
કામગીરી :
![]() |
||||||||||||||||
|
|
સંગ્રહાલયો

|
રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીની જન્મભૂમિ તેમજ કર્મભૂમિ ગુજરાત પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તેમાં અમદાવાદ ખાતે ૧૯૫૧માં સ્થપાયેલ ગાંધી સ્મારક સંગ્રહાલય મુખ્ય છે. જે ૧૯૬૩માં નવા સ્વરૂપે નવા અદાયલા સ્થળે બનાવવામાં આવ્યું. આ સંગ્રહાલયમાં ગાંધીજીની રોજીંદી ક્રિયાઓમાં વપરાશમાં આવતી ચીજવસ્તુઓને પ્રદર્શન માટે મૂકી છે. ઉપરાંત સંગ્રહાલયમાં રજૂ કરાયેલા ચિત્રો આબેહૂબ વાસ્તવિક ઘટનાઓની અનુભૂતિ કરાવે છે. અહીં પુસ્તકો, ઉપરાંત ગાંધીજીના લખાણોની હસ્તપત્રો, ગાંધીજીએ કરેલા પત્રવ્યવહારોની નકલો, ફોટોગ્રાફ્સ ઉપરાંત આશ્રમવાસીઓ સાથેના ચિત્રો જેવી ચીજવસ્તુઓ ભારતીય સ્વાતંત્ર ઇતિહાસની અનુભૂતિ કરીવે છે. ખાસ તો ગાંધીજીનો ચરખો અને તેમણે વાપરેલું ટેબલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.
કેટલીક કળાની હકીકતો :
![]() |
કેલિકો ટેક્ષ્ટાઇલ
સંગ્રહાલય
ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ તેની સદીઓ પુરાણી હાથ-શાળ, વણાટ કામ માટે જગમશહૂર છે. કોટન કાપડના ઉત્પાદનમાં ભારતનું મોખરાનું સ્થાન રહી ચૂકેલ અમદાવાદમાં કેલિકો ટેક્ષ્ટાઇલ સંગ્રહાલય આવેલું છે. જેમાં હાથશાળ, વણાટકામ ઉપરાંત કાપડના કલરકામ સાથે કોટન, રેશમ અને સૂવર્ણ પર થયેલી કળા-કારીગરીનાં ઉત્તમ નમૂનાઓનો સંગ્રહ છે. સત્તરમી સદીનાં હાથશાળની કારીગરીને પ્રતિબિંબિત કરતું લાકડાના નકશીકામની સજાવટવાળું આ સંગ્રહાલય તેની આગવી ગોઠવણી અને નમૂનાની રજૂઆતોમાં વિખ્યાત બનેલું છે. |
![]() |
સરદાર વલ્લભભાઇ
પટેલ રાષ્ટ્રીય સ્મારક :
સાબરમતી નદી કિનારે શાહીબાગ ખાતે સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય સ્મારક આવેલું છે. ભારતની આઝાદીના જંગમાં લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલનો ફાળો અને તેમની નેતાગીરીના સંસ્મરણો આ સંગ્રહાલયમાં જળવાયેલા છે. તેમના જીવન અને કાર્યોની નોંધનો સંપૂર્ણ ઇતિહાસ આ સંગ્રહાલયમાં સાચવવામાં આવેલો છે. અગાઉ રાજભવન તરીકે ઓળખાતી આ ઇમારત તેની ભવ્યતા અને સ્થાપત્ય કળામાં બેનમૂન છે. |
![]() |
પતંગ સંગ્રહાલય
:
‘પતંગ ઉત્સવ’ ગુજરાતની આગવી ઓળખ છે. વિશ્વ ફલક પર પતંગના શોખને ઉત્સવમાં પરિવર્તિત કરી વિશ્વભરમાં ફેલાયેલા પતંગ રસિયાઓ ગુજરાતના મહેમાન બની ચૂક્યા છે. પતંગ સંસ્કૃતિને ઉજાગર કરતું ‘પતંગ સંગ્રહાલય’ પતંગનો એક હજાર વર્ષ જૂનો ઇતિહાસ દર્શાવે છે. પતંગના વિવિધ નમૂના અને ઐતિહાસિક દસ્તાવેજો સાથે તેની પ્રતિકૃતિઓ જોવા-માણવા માટે વિશ્વના પ્રવાસીઓ માટે ‘પતંગ સંગ્રહાલય’ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. |
![]() |
વડોદરા
સંગ્રહાલય :
કળા અને શિલ્પ સ્થાપત્યના બેનમૂન અને આકર્ષક નમૂનાનો સંગ્રહ અહીં જોવા મળે છે. ઇતિહાસ, ભૂસ્તરશાસ્ત્ર અને જુદી જુદી માનવ સંસ્કૃતિના સ્વરૂપને આલેખતું આ ભવ્ય સંગ્રહાલય ગાયકવાડી, યુરોપીય અને મુઘલ સામ્રાજ્યના અમૂલ્ય નમૂનાને રજૂ કરે છે. |
![]() |
માનવ સંસ્કૃતિનું
સંગ્રહાલય :
‘ભારતીય સંસ્કૃતિ દર્શન’ નામે પ્રખ્યાત માનવ-સંસ્કૃતિના પૂર્ણ દરજ્જાને તાદ્રશ્ય કરતું આ સંગ્રહાલય ભૂજ ખાતે આવેલું છે. કચ્છની ગ્રામીણ સંસ્કૃતના ૪૫૦૦થી વધુ નમૂના દર્શાવતા સંગ્રહાલયમાં સંસ્કૃતિ કળાના પુસ્તકો, અને અન્ય સામગ્રી ઉપલબ્ધ છે. કુલ મુખ્ય પાંચ વિભાગોમાં વહેંચાયેલું છે. મધ્યખંડમાં સાહિત્ય ચિત્ર વિભાગમાં અલભ્ય સાહિત્યનો ખજાનો છે. ખૂબ જ કલાત્મક ચર્મકામ, સંગીતકળાના વાદ્યોના નમૂના ખૂબજ આકર્ષક અને ભવ્ય રીતે રજૂ કરાયેલા છે. જે તે સમયની કિંમતી ચીજ વસ્તુઓ, ઉપરાંત સોનું - ચલણી નાણું વગેરેને સુરક્ષિત રીતે સંગ્રહવા માટે ‘કોઠાર’ નું નિર્માણ અને તેની બનાવટ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. |
![]() |
કચ્છ મ્યુઝિયમ
:
ગુજરાતનું સૌથી પુરાણું સંગ્રહાલય છે. ઇ.સ. ૧૮૭૭માં નિર્માણ પામેલું આ સંગ્રહાલય ફર્ગ્યુસન સંગ્રહાલય નામે પ્રચલિત છે. બ્રિટીશ હકુમત સમયે સર જેમ્સ ફર્ગ્યુસને આ સંગ્રહાલયની વ્યવસ્થા કરી હતી. આ સંગ્રહાલયમાં સોના-ચાંદીના ઘરેણાંના નમૂના તેના ડિઝાઇન, શાળકામ, યુદ્ધ શસ્ત્રોના નમૂના, પુરાતત્વીય ઇતિહાસના નમૂના, પ્રાણીના અવશેષો અને અન્ય સાધનસામગ્રી ઉપરાંત વહાણ-વ્યવહાર સાથે જોડાયેલ સંસ્કૃતિ અને સભ્યતાની રજૂઆત અહીં કરવામાં આવી છે. |
ઐતિહાસિક સ્થળો
|
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના વીર સપૂતો મહાત્મા ગાંધી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મભૂમિ ગુજરાત પાસે સ્વાતંત્રના ઇતિહાસની સાથે સાથે વિવિધ ધર્મો અને સંસ્કૃતિના અમૂલ્ય ઐતિહાસિક સ્મારકો અગણિત સંખ્યામાં આવેલાં છે.
ગુજરાતમાં પ્રાચીન અને અર્વાચીન સમયના સ્થાપત્યનો સંગમ જોવા મળે છે. ગુજરાતમાં વિશ્વફલક પર પ્રભાવ પાડી શકે તેવા સ્થાપત્યોનું નિર્માણ થયેલું છે. જે વિશ્વના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ગુજરાત પાસે સાંસ્કૃતિક વારસાનો બહુમૂલ્ય ખજાનો છે. જેના થકી તે દેશ-વિદેશમાં તેની ભવ્યતાના દર્શન કરાવે છે.
માનવ સંસ્કૃતિ અને સભ્યતામાં પાણીનું મહત્વ ઘણું છે. માનવ સભ્યતા પાણીના સંગ્રહ માટે અનેકવિધ પ્રયાસો કરતી આવી છે. ગુજરાતમાં પણ ભૂમીગત જળસંગ્રહનો વિચાર સદીઓ પહેલાં અહીંના શાસકોને આવેલો. પાણીના સંગ્રહની આ વિશિષ્ટ પદ્ધતિ દુનિયાભરમાં અજોડ છે. ગુજરાતમાં આવેલી વિવિધ ‘વાવ’ તેનું અદ્વિતીય ઉદાહરણ છે. વાસ્તુકલા, સ્થાપત્ય અને કળા કારીગરી એમ ત્રિવેણી સંગમના અદ્દભુત નમૂનામાં અલૌકીક અડાલજની વાવ અને દાદા હરિની વાવ જે અમદાવાદ જિલ્લામાં આવેલી છે. પાટણમાં ‘રાણકીવાવ’ આવેલી છે.
ગુજરાતમાં ઐતિહાસિક અને પુરાતત્વીય સ્થળો
![]() |
હૃદયકુંજ :
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગાંધીજીની મુખ્ય કર્મભૂમિ અમદાવાદ રહી હતી. સાબરમતી આશ્રમ ખાતેના નાના ઓરડામાં ગાંધીજી તેમના વસવાટ દરમિયાન અહીંસાનું આંદોલન અને સ્વાતંત્ર્ય ચળવળની પ્રવૃત્તિઓ ચલાવતા હતાં. હૃદયકુંજ તરીકે પ્રચલિત સાબરમતી આશ્રમના આ સ્મારકો તેનાં મૂળ બાંધણી મુજબ સચવાયેલું છે. જેમાં ગાંધીજીના દૈનિક કાર્યોની ચીજવસ્તુઓ તેમજ તેમની અંગત જીવનોપયોગી વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે જે તેની મૂળ સ્થિતિમાં આજની તારીખે પણ સચવાયેલાં છે. ‘હૃદયકુંજ’ વિશ્વ પ્રવાસીઓ માટેનું મુખ્ય કેન્દ્ર છે. અહીં પ્રવાસીઓ પુસ્તકાલય, ગાંધીજીના હસ્તલિખિત પત્રો, સ્વાતંત્ર્ય સંગ્રામના મૂળ દસ્તાવેજો ઉપરાંત ધ્વનિ અને પ્રકાશના આયોજનથી સ્વાતંત્ર્ય સંગ્રામની હુબહુ ઝાંખી કરાવતો કાર્યક્રમ પ્રવાસીઓ માટે રજૂ કરાય છે. ગાંધીજી દ્વારા નિયમિતપણે કરાતી હૃદયકુંજની પ્રાર્થના આશ્રમના ઇતિહાસનું બેનમૂન સંભારણું છે. આમ સ્વાતંત્ર્ય સંગ્રામનું આ પ્રમુખ સ્મારક ગાંધીજીએ સ્થાપેલા મૂલ્યોને સંવર્ધિત અને તેનો પ્રચાર કરતું આઝાદીના જંગનું મૂક સાક્ષી છે. |
![]() |
લોથલ:
લોથલ એક પુરાતત્વીય સ્થળ છે. ભૂસ્તર ખોદકામ દરમિયાન લોથલ ખાતેથી જે અવશેષો મળી આવ્યા તે સિંધુ સભ્યતાની ઓળખ ઊભી કરે છે. ઇ.સ. પૂર્વે ૧૮૦૦-૨૦૦૦ ના સમયગાળા દરમિયાનની સિંધુ સંસ્કૃતિની સભ્યતા લોથલમાં જોવા મળે છે. અહીં સિંધુની ખીણના અન્ય સ્થાપત્યો ઉપરાંત શ્રેષ્ઠ નગર રચના જોવા મળી છે. વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિ લોથલની ગણી શકાય. લોથલ ખાતે મળી આવેલા માનવ સભ્યતાના અવશેષોમાં રોજીંદા ઘરવપરાશના વાસણો, આભૂષણો ઉપરાંત ઘર-ઉપયોગી ચીજવસ્તુઓની રચના તેમજ રહેણાંકોની સ્થાપત્ય કળા બેનમૂન અને વિસ્મયકારક છે. લોથલના રસ્તાઓ અને જાહેર સુવિધા-સગવડોનું બાંધકામ બેજોડ છે. આવા પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થળ લોથલ વિશ્વ પ્રવાસીઓ માટે આકર્ષણનું સ્થાન બન્યું છે. |
|
![]() |
વડનગર:
વડનગર તેના સ્થાપત્યો અને ઐતિહાસિક સ્થાનકો માટે જાણીતું છે. સ્થાપત્યોમાં વડનગરનું ‘તોરણ’ અને ધાર્મિક સ્થાનકમાં હાટકેશ્વર મહાદેવ પ્રખ્યાત છે. વડનગરના શર્મિષ્ઠા તળાવના કિનારે શહેરની ઉત્તરે આવેલું ‘તોરણ’ સ્થાપત્ય અંદાજે ૧૨ મી સદીમાં નિર્માણ પામ્યું હતું. તેના નિર્માણમાં લાલ અને પીળા પત્થરોનો ઉપયોગ થયો હતો. ૪૦ ફૂટ ઊંચુ અને કોતરણીમાં બેનમૂન એવું આ ‘તોરણ’ સ્થાપત્ય શહેરના પ્રવેશદ્વારની ઇમારત છે. સોલંકી યુગના શાસન દરમિયાન ગુજરાતના પ્રવેશદ્વાર તરીકે આ સ્થાપત્ય પ્રચલિત હતું. સિદ્ધપુર ખાતે આવેલા રૂદ્રમહાલય સ્થાપત્યની કોતરણી - નકશીકામ આ સ્મારકને મળતી આવે છે. ૧૭મી સદીમાં શહેરના પ્રવેશની જગા પર હાટકેશ્વર મહાદેવનું સ્થાનક નિર્માણ પામ્યું હતું. નાગર બ્રાહ્મણોના કુળદેવતા એવા ભગવાન શીવજી સ્વયંભૂ અહીં પ્રગટ થયા જે મંદિરના ગર્ભગૃહમાં ‘લીંગ’ સ્વરૂપે પ્રતિષ્ઠિત કરવામાં આવ્યાં. મંદિર ત્રણ ઘુમ્મટો ધરાવે છે. દિવાલો અને થાંભલાઓમાં કોતરણી દ્વારા નવગ્રહો, સંગીતકારો અને નૃત્યાંગનાઓની પ્રતિકૃતિ કંડારવામાં આવી છે. શિલ્પકૃતિઓમાં રામાયણ-મહાભારતના કથાનકની પ્રસ્તુતિ કરાઇ છે. ઉપરાંત વન્યજીવો અને વન્યસૃષ્ટિની પ્રતિકૃતિઓ કંડારાઇ છે. આ જગા પર કાશી વિશ્વેશ્વર મહાદેવ પણ આવેલું છે. શહેરમાં સ્વામિનારાયણ મંદિર તેમજ જૈન દેરાસરો પણ આવેલાં છે. |
|
![]() |
ચાંપાનેર -
પાવાગઢ:
વિશ્વ વારસા કાર્યક્રમ અન્વયે ચાંપાનેર - પાવાગઢને વિશ્વના અજોડ પુરાતત્વીય ઇમારત-સ્મારક તરીકે યુનેસ્કોએ જાહેર કર્યું છે. રાજ્ય સરકારે ચાંપાનેર - પાવાગઢને પ્રવાસીઓના આકર્ષણના મુખ્ય કેન્દ્ર તરીકે વિકસીત કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. પ્રવાસના અન્ય આકર્ષણોમાં નિમેટાબાગ, આજવા તળાવ, જાંબુઘોડા અભયારણ્ય અને ડભોઇ ને પણ વિકસીત કરવામાં આવ્યું છે. યુનેસ્કોના વિશ્વ વારસા કાર્યક્રમ હેઠળ પાવાગઢ સાથે ચાંપાનેર અને માંચીને પુરાતત્વીય શ્રેણીને સ્થળો-ઇમારતો તરીકે જાહેર કરી છે. આ સ્થળનું ઐતિહાસિક મહત્વ તે અંદાજે ૧૨૦૦ વર્ષનો ઇતિહાસ અને તેથી પણ વધુ સમયની સંસ્કૃતિ બેજોડ છે. પૌરાણિક યુગ રાજપૂત શાસન, મરાઠા ઉપરાંત ઇસ્લામની અને બ્રિટિશ શાસનની અસરો અહીંના સ્થાપત્યો અને ઇમારતોમાં દેખાઇ આવે છે. ૧૫મી સદીમાં રાજા પતઇને હરાવી મુસ્લીમ શાસક મહંમદ બેગડાએ આ પ્રદેશ પર પોતાની શાસન ધરા સંભાળી હતી. મહંમદ બેગડાએ તેના શાસનની રાજધાની અમદાવાદથી ખસેડી ચાંપાનેરને બનાવી હતી. ચાંપાનેર પંચમહાલ જવાના મુખ્ય પ્રવેશદ્વાર જે વડોદરાથી ૪૬ કિ.મી. ના અંતરે આવેલું છે. આદિવાસી વિસ્તાર તરીકે જાહેર થયેલો આ પ્રદેશમાં મુખ્ય ‘ભીલ’ જાતિના લોકો વસવાટ કરે છે. આ પ્રદેશના વિકાસ માટે રાજ્ય સરકાર ઉધોગોને રાહત દરે આર્થિક, તકનિકી અને અન્ય સુવિધાઓ પુરી પાડે છે. |