સોમવાર, 20 ઑગસ્ટ, 2018

ભારતનું બંધારણ

બંધારણનો અર્થ :
દરેક સ્વતંત્ર રાષ્ટ્રને તેનું પોતાનું બંધારણ હોય છે. બંધારણએ દેશનો મૂળભૂત દસ્તાવેજ છે. સામાન્ય રીતે લેખિત દસ્તાવેજના સ્વરૂપમાં હોય છે. જે અનુસાર સરકાર દેશનો વહીવટ કરે છે. બંધારણ દેશના કાયદાઓ કરતા ચડિયાતું છે. સરકાર દ્વારા અમલમાં મુકાતો દરેક કાયદો બંધારણ સાથે સુસંગત હોવો જોઈએ. બંધારણમાં જણાવ્યા પ્રમાણે જ દેશનો વહીવટ થવો જોઈએ.
*  ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ૧૯૩૫માં, બંધારણ સભા રચવાની સૌ પ્રથમ માંગણી કરી.
* બંધારણ સભાની પ્રથમ બેઠક ડીસેમ્બર ૯, ૧૯૪૬ નાં રોજ મળી હતી.
* ૨૯ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ બંધારણ ઘડવાની સમિતિ રચવામાં આવી.
* બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષ ડૉ.સચ્ચિદાનંદ સિંહા બન્યા.
* બંધારણની ખરડા સમિતિનાં અધ્યક્ષ ડૉ. બી.આર.આંબેડકર હતા.
* જયારે બંધારણ સભાના પ્રમુખ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ હતા.
* બંધારણ ઘડવાનું કાર્ય ૨૬ નવેમ્બર, ૧૯૪૯ નાં રોજ પૂર્ણ થયું.
* ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ નાં રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું.
* બંધારણ સભાના ૩૮૯ સભ્યો હતા.
* બંધારણ પૂર્ણ કરતા ૨ વર્ષ ૧૧ મહિના અને ૧૮ દિવસ લાગ્યા હતા.
* જયારે રૂ/- ૬૪ લાખ બંધારણ ઘડવાનો ખર્ચ થયો હતો.
* બંધારણ ઘડવાનો સૌ પ્રથમ વિચાર સર.એમ.એન.રોય ને આવ્યો હતો.
* ભારતના બંધારણમાં ૧૨ પરિશિષ્ટો, ૪૪૬ અનુચ્છેદ છે.
*  બંધારણનું આમુખ જવાહારલાલ નહેરુએ તૈયાર કર્યું હતું.
* જયારે આમુખનો વિચાર અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવ્યા હતો.
પ્રેરણા ની વિગત
ક્રમ    પ્રેરણા ની વિગત    પ્રરણા સ્ત્રોત  જે દેશના રાજ્ય  બંધારણામાંથી  પ્રરણા  લીધી  તે દેસનું  નામ
૧.    સંસદીય પ્રણાલિ    બ્રિટન
૨    સંસદીય વિશેષાધિકાર    બ્રિટન
૩    સંસદ તથા  વિધાનસભા  અને  વેધાનપરિસદની  પ્રક્રિયા    બ્રિટન
૪    મૂળભૂત  અધિકારો    અમેરિકા
૫    સરવોચ  અદાલતની સ્થાપના  અને સત્તાઓ    અમેરિકા
૬    ઉપરાષ્ટ્પતિનુ પદ    અમેરિકા
૭    રાજ્ય યાવસ્થા    કનેડા ઓફ ગવરનમેન્ટ  ઓફ  ઇન્ડિયા  એકટ – ૧૯૩૫
૮    કટોકટી સમ્બોધો  જોગવાઈઓ    જર્મની  અને ગવેર્નમેન્ટ  ઓફ ઇન્ડિયા એકટ
૯    રાજયનીતીના માર્ગદર્સક સીધાન્તો    અર્યલેન્ડ
૧૦    નાગરિકોની મૂળભૂત  ફરોજો    સોવિયત સંઘ
૧૧    પ્રજાસત્તાક    ફ્રાન્સ
૧૨    સંયુકત યાદી    ઓસ્ટ્રેલિયા
બંધારણના મૂળભૂત હકો  – અધિકારો
બંધારણની અંદર ભાગ-૩માં અનુચ્છેદન ૧૨-૩૫ ની વચ્ચે મૂળભૂત હક્કો દર્શાવેલા છે.
* સમાનતાનો હક્ક : અનુચ્છેદ ૧૪ થી ૧૮
* સ્વતંત્રતાનો હક્ક : અનુચ્છેદ ૧૯ થી ૨૨
* શોષણ વિરુદ્ધ હક્ક : અનુચ્છેદ ૨૩ થી ૨૪
* ધાર્મિક સ્વતંત્રતાનો હક્ક : અનુચ્છેદ ૨૫ થી ૨૮
* સાંસ્કૃતિક અને શિક્ષણવિષયક હક્ક : અનુચ્છેદ ૨૯ થી ૩૦
* બંધારણીય ઈલાજનો હક્ક : અનુચ્છેદ ૩૨
1. સમાનતાનો અધિકાર  ( અનુંસેદ  ૧૪ થી ૧૮ )  : -
અનુ . ૧૪  કાયદાની  દ્રષ્ટીએ  બધા નાગરિકો  સમાન  છે  .
અનુ . ૧૫ . ધર્મ , જાતી , લિંગ અને રંગને  આધારે કોઈની સાથે  જાહેર સ્થળે  પક્ષપાત  અને ભેદભાવ કરવામાં નહિ આવે  .
અનુ . ૧૬  બધા નાગરિકોને  યોગ્યતા  પ્રમાણે  તકની સમાનતા
અનુ . ૧૭  અસ્પૃસ્યતા  નાબુદી
અનુ . ૧૮  દરજ્જાની સમાનતા  જો કે વહીવટી  , શૈક્ષણિક  અને લશ્કરી  પદવી અપવાદરૂપ  છે . વિદેશી  સન્માન  કે પુરસ્કાર  મળે  તો રાષ્ટ્રપતિની મંજુરી જરૂરી  છે
૨. સ્વતંત્રતાનો  અધિકાર  ( અનુંસેદ ૧૯ થી ૨૨ )  :-
અનુંસેદ . ૧૯   (1) વાણી વિચાર  અને અભિવ્યક્તિની  સ્વતંત્રતા
(૨ ) જાહેર સ્થળે  એકઠા  થવાની  સ્વતંત્રતા  ( શાંતિ પૂર્વક  અને  હથીયાર  વિના
(૩) સંગઠન  રચવાની  સ્વતંત્રતા
(૪) દેશમાં હરવા – ફરવાની સ્વતંત્રતા
(૫) સમગ્ર દેશમાં  વસવાટની સ્વતંત્રતા
(૬ ) કોઈ પણ વ્યવસાય  કરવાની સ્વતંત્રતા
અનુ  . ૨૦   આરોપીને મળતી સ્વતંત્રતા
(1) કોઈ પણ  વ્યક્તિને  કાયદાની પ્રક્રિયા  વિના  અપરાધી ન જાહેર કરી શકાય  .
(૨ ) આરોપીને બચાવની  તક મળવી જોઈએ .
(૩) એક જ  ગુનાની એકજ  સજા હોય  .
(૪ ) આરોપીને  જ કબુલાત દ્વારા  સાક્ષી ન ગણી શકાય  .
અન . ૨1 જીવન જીવવાની  સ્વતંત્રતા
પ્રત્યેક વ્યક્તિ  પોતાનું જીવન  મુક્ત રીતે જીવવા માટે સ્વતંત્ર છે  .
અનુ . ૨1  (અ ) મૂળભૂત પ્રાથમિક શિક્ષણ  વિના મુલ્યે  મેળવવાનો  અધિકાર  . ૬ થી ૧૪ વર્ષના  બાળકોને પ્રાથમિક શિક્ષણ  વિનામુલ્યે  પૂરું પડાવવામાં આવે.
અનુ  . ૨૨  ધરપકડ સામે સુરક્ષાનો  અધિકાર
* કોઈપણ વ્યક્તિને  કારણ દર્શાવ્યા વિના  ધરપકડ  ન્ કરી શકાય  .
* ૨૪ કલાકમાં  નજીકની  અદાલતમાં  રજુ કરવા પડે
* જો કે દુશ્મન  દેશના  નાગરિક તથા  પ્રતિબંધક કાયદા હેઠળ  ધરપકડ કરાયેલી  વ્યક્તિને  આ જોગવાઈનો  લાભ ન્ મળે  ; પરંતુ જો  તમને ૯૦  દિવસથી  વધુ અટકાયત હેઠળ  રાખવા હોય તો  સલાહકાર બોર્ડની  મંજૂરી જરૂરી છે
  ૩.   શોષણ વિરુદ્ધ અધિકાર  (૨૩ થી ૨૪ )
અનુ.  ૨૩ કોઈ પણ વ્યક્તિ પાસે  તેની ઈચ્છા વિરુદ્ધ કામ ન્ કરાવી શકાય  , એટલે કે  માનવ વેપાર અને ગુલામપ્રથા  વિરોધી જોગવાઈ
અનુ  . ૨૪  બાળમજુરી  વિરોધી  જોગવાઈ
૧૪  વર્ષથી  નીચેની વયના  બાળકો પાસે  કોઈપણ  પ્રકારનું મજુરી કામ ન્ કરાવી શકાય  .
૪.  ધાર્મિક સ્વતંત્રતા નો અધિકાર  ( અનુ .૨૫ થી ૨૮ ) : -
અનુ .૨૫ શ્રદ્ધા અનુસાર ઉપાસનાની  સ્વતંત્રતા
અનુ . ૨૬  ધાર્મિક સંગઠન રચવાની સ્વતંત્રતા
અનુ . ૨૭ ધાર્મિક સંગઠનને  ફાળો મેળવવાની સ્વતંત્રતા  , ફાળો  આપવાની  વ્યક્તિને  સ્વતંત્રતા  હોય
અનુ .૨૮  ધાર્મિક શિક્ષણની  સ્વતંત્રતા , પરંતુ ધાર્મિક શિક્ષણ માટે ફરજ ન પાડી શકાય  અને સરકારી  ગ્રાન્ટ મેળવતી સંસ્થા  ધાર્મિક શિક્ષણ ન  આપી શકે .
૫. સાંસ્કૃતિક અને શિક્ષણ વિષયક  અધિકાર  ( લઘુમતી અધિકાર )   (અનુ . ૨૯ થી  ૩૦ )
અનુ . ૨૯  આ  અધિકાર નીચે પ્રત્યેક  નાગરિક પોતાની ભાષા , લિપિ  અને સંસ્કૃતિ ને  અપનાવી શકે છે
અનુ . ૩૦ તેના રક્ષણ માટે  શિક્ષણ સંસ્થા  સ્થાપી શકે  છે  .
૬ . બંધારણીય ઈલાજનો  અધિકાર  ( અનું.-૩૨ )  : -
આ અધિકાર નીચે નાગરિક પોતાના  મૂળભૂત અધિકારોની સુરક્ષા  કરી શકે છે . મૂળભૂત અધિકારોથી  જો વંચિત રાખવામાં આવે તો ન્યાયાલય નો આશરો લઇ શકે છે  . આ અધિકારોની જાળવણી  માટે રીટ  દાખલ  થઇ  શકે  . જે પાંચ પ્રકારની  છે
(૧) મેન્ડેમસ  – પરમ આદેશ
(૨) હેબીયસ કોર્પસ  – બંદી પ્રત્યક્ષીકરણ
(૩) કવો  – વોરંટો  – અધિકાર અંગે પૂછપરછ
(૪) પ્રોહિબિશન  – પ્રતિબંધ
(૫) સર્ષિઓરરી  – નીચલી  અદાલતના આદેશ પર પ્રતિબંધ
નોંધ  : –  મૂળભૂત અધિકારો કટોકટીમાં મુલતવી રાખી શકાય છે. મૂળભૂત અધિકારો  પહેલા સાત હતા  . જે પૈકી  મિલકતનો અધિકાર ૪૪ માં  બંધારણીય  સુધારા  (૧૯૭૮ ) થી રદ કરવામાં આવ્યો  છે . અને તેથી  આ અધિકાર  કેવળ  કાનૂની  અધિકાર તરીકે ચાલુ  રહે છે .

​બંધારણમાં સુધારાની પદ્ધતિ
ભારતીય બંધારણમાં કોઈપણ સુધારો કરવો હોય તો  તે સુધારો કરવા માટેની ત્રણ પદ્ધતિ છે , જે નીચે પ્રમાણે છે .
1 .  સંસદમાં  સામાન્ય બહુમતીથી  એટલે કે  50 %  થી વધુ માટે સુધારો .
2 .  સંસદમાં સંસદસભ્યો  દ્વારા  2/3 બહુમતી દ્વારા પરંતુ કુલ સંખ્યાના  50 % થી વધુ માટે  સુધારો .
3 .   સંસદમાં 2/3 બહુમતીથી અને સાથે રાજ્યમાં સાદી બહુમતી સુધારો .
બંધારણમાં અત્યાર સુધી લગભગ 96 જેટલા સુધારાઓ થાય છે , બંધારણમાં પ્રથમ સુધારો  1951 મા થયો હતો . અત્યાર સુધી બંધારણમાં સુધારા થયા છે . બંધારણમાં અત્યાર સુધી થયેલ સુધારાઓમાં સૌથી મહત્વપૂર્ણ સુધારો  1976 માં  42 માં  સુધારો થયો હતો ., જેને મીની બંધારણ પણ કહે છે .
બંધારણના મહત્વના સુધારાઓ 
•    પ્રથમ સુધારો  (1951)   :  મૌલિક અધિકારોમાં સમાનતા , સ્વતંત્રતા , તથા સંપતિનો અધિકાર  સમાજના હિતમાં જોડી દીધો . નાયાધીશોની નિયુક્તિ તથા તેની જગ્યાઓની અનામત અંગેની જોગવાઈ .
•    બીજો સુધારો (1953) :   રાજ્યોને  સંસદમાં પ્રતિનિધિત્વ આપવામાં  આવ્યું .
•    સાતમો સધારો  (1956) : 14 રાજ્યો તથા 6 કેન્દ્રશાષિત પ્રદેશોને  રાજ્ય તરીકે માન્ય કર્યા .
•    આઠમો સુધારો   (1960)  : અનુસુચિતજાતી  અને જનજાતિ માટે અનામત બેઠકોની ફાળવણીનો સમય 10 વર્ષથી વધારીને  20  વર્ષ કરવામો આવ્યો .
•    દસમો સુધારો  (1961) : દાદરા તથા નાગર હવેલી  વિસ્તાર ભારતનો  બની  ગયો  .
•    બારમો  સુધારા  (1961) :  ગોવા , દમન અને દીવ ભારતમાં જોડાયા  .
•    તેરમો  સુધારો  (1962 ) :   નાગાલેન્ડ ભારતનું નવું રાજ્ય  બનવાનો સુધારો .
•    ચોદમો સુધારો  (1962 ) : ફાનસના આધિપત્યનું પોંડીચેરી ભારતમાં જોડાઈ ગયું .જે અંગે સુધારો કર્યો .
•    પંદરમો સુધારો (1963) : ઉચ્ય ન્યાયાલયના નાયાધીશની સેવા નિવૃત્તિ વયમર્યાદા 60 વર્ષથી વધારીને 62 વર્ષની કરવામાં આવી .
•    એકવીસમો સુધારો (1967) :  બંધારણના  આઠમાં પરિશિષ્ટ માં સિંધી ભાષાને ઉમેરવાઈ .
•    છવ્વીસ્મો  સુધારો  (1971 )  :  રાજાના સાલીયણા  તથા વિશેષ અધિકારો  બંધ કરી દીધા .
•    એક્ત્રીસમો  સુધારો (1973 )  :લોકસભાના સભ્યોની સંખ્યા 525 થી વધારીને  545 કરવામાં આવી .
•    છ્ત્રીશ્મો સુધારો (1975)  :  આ સુધારાથી  સિક્કિમ ભારતનું  22 મું  રાજ્ય બન્યું .
•    સાડાત્રીસ્મો  સુધારો  (1975 ) : અરુણાચલ પ્રદેશને વિધાનસભાનો દરજ્જો અપાયો .
•    બેતાલીસ્મો સુધારો  (1976) :  આ સુધારાથી  બંધારણની પ્રસ્તાવનામાં સુધારો કરાયો . સમાજવાદી  અને બિનસાંપ્રદાયિક  નવા શબ્દો ઉમેરવામાં આવ્યા . રાજ્ય નીતીનિર્દેશક સિદ્ધોતો પર મહત્વ આપવામાં આવ્યું . મૂળભૂત અધિકારો પર નિયંત્રણ રાખવામાં આવ્યું . મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી . રાષ્ટ્રપતિ મંત્રીમંડળની સલાહ માનવા બંધાયેલી છે . રાષ્ટ્રપતિ કલમ 356 નીચે કોઈપણ રાજ્યમાં  એક વર્ષ સુધી  રાષ્ટ્રપતિ શાસન  લાદી શકાય છે , તે આ સુધારા દ્વારા ફેરફારો કરવામાં આવ્યો .
•    ચુમાંલીસ્મો સુધારો (1978) :  મિલકતના અધિકારોને રદ કરવામાં આવ્યા . લોકસભા ,
      વિધાનસભાનો સમયગાળો 6 વર્ષમાંથી  5 વર્ષનો આ સુધારાથી કરવામાં આવ્યો .
•    સુડતાલીસ્મો  સુધારો (1984 ) :  નાવમાં પરીશીષ્ટમાં જમીન સુધારાને લગતા 14 કાયદાઓ ઉમેરવામાં આવ્યા .
•    બાવનમો સુધારો (1985) : રાજકીય પક્ષમાં પક્ષોન્તર વિરોધી કાયદો લાવવામાં આવ્યો .
•    ત્રેપન્મો સુધારા (1986) :  આ  સુધારાથી મિઝોરમ ભારતનું  24 મું રાજ્ય બન્યું .
•    ચોપન્મો  સુધારો (1986) :  સુપ્રીમ કોર્ટના અને હાઇકોર્ટના  ન્યાયાધીશોના પગારમાં વધારો કરવામાં આવ્યો .  ભારતના વરિષ્ઠ ન્યાયમૂર્તિને  રૂ  . 10,000 માસિક ;  હાઇકોર્ટના મુખ્ય ન્યાયધીશને  રૂ  . 9000  માસિક તથા હાઇકોર્ટના નાયાધીશને  રૂ . 8000  માસિક પગાર  આ સુધારાથી  નક્કી થયો .
•    સત્તાવનમો સુધારો (1987) :  આ સુધારાથી  ગોવા ભારતનું પચ્ચીસમું  રાજ્ય બન્યું .
•    એકસઠમો  સુધારો  ( 1989) :  આ સુધારા દ્વારા  ચૂંટણી માટે  મતદાતા માટે  21 વર્ષની ઉમરને બદલે 18 વર્ષની કરવામાં આવી . 
      માતાધીકારનો હક 18 વર્ષે આપવામાં આવે છે .
•    બાસઠમો સુધારો (1989) :   લોકસભા અને વિધાનસભાઓમાં  અનુસુચિતજાતિ  અને અનુંસુચીત જનજાતિ બેઠકોની અનામતની મુદત  10 વર્ષે વધારાઈ .
     જે  2000 સુધી અમલમાં રહેશે .
•    છાસઠમો  સુધારો (1990) : બંધારણના નાવમાં પરીશિષ્ટમાં  55  નવા જમીન સુધારણાના  કાયદા ઉમેરવામાં આવ્યા .
•    ઓગણસીત્તેરમો સુધારો  (1991) : કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીનું નામ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર રાખવામાં આવ્યું .
     તથા દિલ્હીમાં 70 સભ્યોવાળી વિધાનસભા રચવામાં આવશે , તેવી જોગવાઈ આ સુધારા દ્વારા કરવામાં આવી .
•    સીતેર્મો  સુધારો (1962) : પોંડીચેરી  તથા દિલ્હી  વિધાનસભાના સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીઓમાં ભાગ લઇ શકે તેવો અધિકાર આપવામાં  આવ્યો .
•    એકોતેરમાં સુધારો (1992) :  બંધારણના આઠમા પરીશિષ્ટમાં  નેપાળી , મણિપુરી  તથા કોકણી ભાષાઓ ઉમેરવામાં આવી .
•    તોતેર્મો સુધારો : (1992)  :  ગ્રામપંચાયતો , નગરપાલિકાઓ , તથા મહાનગરપાલિકાઓમાં  33 %  બેઠકો મહિલા માટે ઉમેરવામાં આવી .
•     ચુમોતેરમાં સુધારો (1992) :   પંચાયતીરાજ  સબંધી સુધારો .
•    પન્ચોતેર્મો  સુધારો  (2002)  :  ભાડુઆતો અને મકાન માલિકો  વચ્ચે થતા  ઝગડાનો ઉકેલ માટે અનુંછેદ 323 (b) ના ખંડ (૨) માં  નવો ઉપખંડ જોડી ત્રિબ્યુંનલ       ની  રચના  કરવામાં આવી અને ભાડુઆતો સબંધી  કેસો  આ ત્રિબ્યુંનલમાં  ચાલશે તેવી જોગવાઈ કરવામાં આવી .
•    પનચ્યાસીમો  સુધારો (2002) :  બંધારણીય અનુંછેદ 16 (4 A ) નો સંશોધિત  85 મો  બંધારણીય સુધારો વર્ષ  2002 માં પસાર કરવામાં આવ્યો . આ સુધારા        અનુસાર  અનુસુચિત જાતી  અને અનુસુચિત  જનજાતિના  સરકારી  કર્મચારીઓને  પ્રમોશનમાં પણ  બેકલોગનો  લાભ  આપવામાં આવ્યો .
•    છ્યાસીમો સુધારો (2002) : આ સુધારા દ્વારા  પ્રાથમિક શિક્ષણને  મૂળભૂત અધિકારોમાં સ્થાન આપવામાં આવ્યું . અને રાજ્ય સરકાર માટે  6 થી 14  વર્ષના         બાળકને શિક્ષણ આપવું ફરજીયાત બનાવવામાં આવ્યુ . અને આ જ અધિકાર મૂળભૂત ફરજ રૂપે  પણ મુંકવામાં  આવ્યો .  આમ  મૂળભૂત  ફરજો 10 માંથી વધી       ગઈ 11   થઇ .
•    સીત્યાસીમો  સુધારો  (૨૦૦૩) :  આ સુધારા દ્વારા  સર્વિસ ટેક્સ  ઉઘરાવવાની  અને  આ ટેક્સ  કેન્દ્ર અને રાજ્ય વચ્ચે  વહેચવાની  જોગવાઈ  અનુચ્છેદ  268 A      ઉમેરીને કરવામાં આવી .
•    એકાનુંમો સુધારો  (૨૦૦૩) :  આ બંધારણીય સુધારા દ્વારા પક્ષ પલટાને  સંપૂર્ણપણે પ્રતીબંધિત કરવામાં આવ્યો .  આ પહેલા  પક્ષના  1/3 સભ્યો એકસાથે  બીજા પક્ષમાં જાય તો તેણે  કાયદેસર  બનવાની  જોગવાઈ પક્ષ પલટા  વિરોધી  કાનૂનમાં હતી . પરંતુ આ સુધારા દ્વારા  આ જોગવાઈ રદ કરવામાં આવી .
•    92 મો સુધારા (2003) :   બોડો  , ડોગરી , મૈથાલી અને સંથાલી ભાષાઓનો  આઠમી અનુસૂચિમાં  સમાવેશ .
•    93 મો સુધારા (2005) : ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગ માટે  27 % અનામત જોગવાઈ .
•    94 મો સુધારો  (2006) :  ઝારખંડનું  અલગ રાજ્ય રચાતા બિહારમાં અનુસુચિત જાનજાતીની વસતી ઘટતી જતાં S T  ખાસ મંત્રીની જોગવાઈ  બિહારમાંથી રદ કરી ઝારખંડ અને છ્ત્તીશઘઢ માટે કરવામાં આવી .
•    95મો સુધારો  (2009) : S C અને S T  માટેની અનામત 70 વર્ષ સુધી ચાલુ રાખવાની જોગવાઈ  ( એટલે કે 25 જાન્યુ , 2020 સુધી )
•    96 મો સુધારો  (2011)  : ઓરિસ્સા રાજ્યનું નામ બદલીને  ઓડિશા કરવામાં આવ્યું .
બંધારણના પરિશિષ્ટો
બંધારણના કુલ 12  પરિશિષ્ટો  છે .
•    પ્રથમ પરિશિષ્ટમાં ભારતના રાજ્યોનાં નામ તથા કેન્દ્ર શાસિત પ્રદેશોનાં વિસ્તારનું વર્ણન અને યાદી .
•    બીજા પરિશિષ્ટમાં રાષ્ટ્રપતિના , ગવર્નરના , લોકસભાના સ્પીકર , અને ડેપ્યુટી સ્પીકરના , રાજ્યસભાના ચેરમેન  અને ડેપ્યુટી ચેરમેન , સુપ્રીમ કોર્ટના  અને હાઈ  કોર્ટના મુખ્ય ન્યાયાધીશ  અને અન્ય ન્યાયાધીશોના , વિધાનસભાના સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરના , વિધાનપરિષદના ચેરમેન  અને ડેપ્યુટી ચેરમેનના પગાર અને ભથ્થા દર્શાવેલા છે .
•    ત્રીજા પરિશિષ્ટમાં રાષ્ટ્રપતિ , ઉપરાષ્ટ્રપતિ , ન્યાયાધીશો , મંત્રીઓ  વગેરે દ્વારા શપથ ગ્રહણના નમુના .
•    ચોથા પરિશિષ્ટમાં રાજ્યસભાની બેઠકોની રાજ્યો અને કેન્દ્રશાષિત પ્રદેશો પ્રમાણે ફાળવણીની વિગતો .
•    પાંચમા પરિશિષ્ટમાં અનુસુચિત જનજાતીઓનાં વહીવટ અને નીયન્ત્રણને લગતી માહિતી .
•    છઠ્ઠા પરિશિષ્ટમાં આસામ , મેઘાલય , ત્રિપુરા અને મિઝોરમ , રાજ્યોના જનજાતિના ક્ષેત્રોનાં વહીવટની બાબતો .
•    સાતમાં પરિશિષ્ટમાં કેન્દ્રની યાદીના 99 વિષયો , રાજ્યોની યાદીના 31 વિષયો  અને સંયુક્ત યાદીના 52 વિષયોની યાદી આપેલી છે .
•    આઠમા પરિશિષ્ટમાં બંધારણ માન્ય 22 ભાષાઓની યાદી આપેલી છે .
•    નવમાં પરિશિષ્ટમાં રાજ્ય સરકાર દ્વારા પસાર કરેલો જમીન વેચાણનો કાયદો તથા જમીનદારી નાબુદીનો કાયદો અને બંધારણના  66  સુધારાથી ઉમેરાયેલા જમીન સુધારાઓ . જેની અદાલત સમિક્ષા  ન  કરી શકે  .
•    દસમા પરિશિષ્ટમાં 1985  માં બંધારણના 52 મા સુધારા દ્વારા ઉમેરાયેલા આ અનુસૂચિમાં પક્ષ પલટા વિરોધી નિયમો દર્શાવેલ છે , તે અનુસાર જે પક્ષમાંથી ચૂંટાયા હોય તે પણ છોડીને અન્ય પક્ષમાં જોડાય કે પક્ષના આદેશ  ( વ્હીપ ) નો અનાદર કરે તો સભ્યપદેથી ગેરલાયક કરે . જો કે પક્ષ કાઢી મુકે કે એક સાથે ત્રીજા ભાગના સભ્યો  પક્ષ પલટો કરે તો ગેરલાયક ન ઠરે.
•    અગિયારમું પરિશિષ્ટ : આ પરિશિષ્ટ બંધારણના 73 મા સુધારાથી ઉમેરવામાં આવ્યું છે . પંચાયતને લગતી સત્તા અને અધિકારની 29 વિષયોની યાદી આપેલી છે .
•    બારમું પરિશિષ્ટ  : આ પરીશિષ્ટના બંધારણના 74 મા સુધારા  (1992) થી ઉમેરવામાં આવ્યું છે .  નગરપાલિકાઓની સત્તા અને અધિકારની 18 વિષયોની યાદી આપેલી  છે .
ભારત દેશ ધર્મનિરપેક્ષ, પ્રજાસત્તાક, સંસદીય પ્રણાલી ધરાવનાર ગણરાજ્ય છે જેનું સંચાલન, દિશાનિર્દેશન, તમામ કાયદાઓનો સંગ્રહ કે સર્વોચ્ચ કાયદો એ ભારતનું બંધારણ છે. ભારત ગણરાજ્યમાં ભારતના બંધારણ મુજબ શાસન વ્યવસ્થા ચાલે છે. ભારતનું આ બંધારણ બંધારણસભામાં ૨૬ નવેમ્બર ૧૯૪૯ના દિવસે પસાર થયું હતું અને ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે લાગુ કરવામાં આવ્યું હતું. ૨૬ જાન્યુઆરીનો દિવસ ભારતમાં પ્રજાસત્તાક પર્વ તરીકે ઊજવવામાં આવે છે.પરિચય

૪૨માં સંશોધન પૂર્વે ભારતના બંધારણની પ્રસ્તાવના.
ભારતનું બંધારણ વિશ્વના તમામ લોકતાંત્રિક દેશોના બંધારણ કરતેં સૌથી મોટું લેખિત બંધારણ છે.[૪]તેમાં અત્યારે ૪૬૫ અનુચ્છેદ અને ૧૨ પૂરવણીયાદીઓ છે. તે કુલ ૨૨ ભાગોમાં વિભાજીત છે. નિર્માણ સમયે મૂળ બંધારણમાં ૩૯૫ અનુચ્છેદ, ૨૨ ભાગો અને ૮ પૂરવણીયાદીઓ હતી. બંધારણમાં ભારત સરકારના સંસદીય સ્વરુપનું માળખુ તૈયાર કરવામાં આવ્યું છે જેનું સ્વરુપ કેટલાક અપવાદોને બાદ કરતા સંઘીય પ્રણાલી આધારિત છે. કેન્દ્રની સર્વોચ્ચ સરકારના કાર્યકારી બંધારણીય પ્રમુખ રાષ્ટ્રપતિ છે. ભારતના બંધારણની કલમ ૭૯ અનુસાર કેન્દ્રની સંસદીય પરિષદમાં રાષ્ટ્રપતિ તથા બે સભાઓ છે જેમાં લોકો દ્વારા સીધા ચૂંટાયેલા સાંસદોની સભા લોકસભા અને રાજ્યો દ્વારા ચૂટાયેલા પ્રતિનિધિઓની સભા રાજ્યસભા છે. બંધારણની કલમ ૭૪ (૧)માં એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે રાષ્ટ્રપતિની સહાયતા તથા તેને સલાહ આપવા માટે એક મંત્રીમંડળ હશે જેના પ્રમુખ વડાપ્રધાન હશે, રાષ્ટ્રપતિ આ મંત્રીમંડળની સલાહ મુજબ કાર્ય કરે છે. હાલમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે.[૫]

ભારતના દરેક રાજ્યોમાં એક વિધાનસભા અથવા ધારાસભા પણ હોય છે જે લોકસભા હેઠળ કાર્ય કરે છે. જમ્મુ કાશ્મીર, ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, અને તેલંગણામાં ઉપરી સભા પણ છે જેને વિધાન પરિષદના નામે ઓળખવામાં આવે છે. રાજ્યપાલ એ દરેક રાજ્યના વડા છે. જ્યારે મુખ્યમંત્રી એ મંત્રીમંડળના વડા છે. મંત્રીમંડળ સામૂહિક રીતે ધારાસભા કે વિધાનસભા દ્વારા નક્કી થાય છે અને એ સભામાં જે ઠરાવો થાય તે મુજબ કાર્ય કરે છે અને એ મંત્રીઓ પણ એ સભાનો જ એક ભાગ છે. સભાની બેઠકના અધ્યક્ષ અલગથી નિમવામાં આવે છે જેની જવાબદારી વિધાનસભાની બેઠકનું સંચાલન કરવાની છે અને તે કોઇ કારણોસર કોઇપણ ધારાસભ્યને ચોક્કસ સમય સુધી વિધાનસભા/ધારાસભાની બેઠકમાં પ્રતિબંધિત પણ કરી શકે છે.

બંધારણના સાતમાં અનુચ્છેદમાં સંસદસભ્યો અને ધારાસભ્યોના અધિકારોનું વર્ણન કરવામાં આવ્યું છે. કેન્દ્ર શાસિત પ્રદેશો સીધા જ કેન્દ્ર સરકાર હેઠળ કેન્દ્રના દિશાનિર્દેશન મુજબ કાર્ય થાય છે.

ઇતિહાસ
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ૧૯૩૫ માં બંધારણ સભા રચવાની સૌ પ્રથમ માંગણી કરી.

આખરે 1940 માં આ માગણી સ્વીકારાયી જે ઓગષ્ટ ઓફર તરીકે ઓળખાઈ.

બંધારણ સભાની પ્રથમ બેઠક ડીસેમ્બર ૯, ૧૯૪૬ નાં રોજ મળી હતી.

૨૯ ઓગષ્ટ ૧૯૪૭ના રોજ બંધારણ ઘડવાની સમિતિ રચવામાં આવી.

બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષ ડૉ.સચ્ચિદાનંદ સિંહા બન્યા.

બંધારણની ડ્રાફટીંગ કમિટીના ચેરમેન અને ભારતના બંધારણના ઘડવૈયા ડૉ.આંબેડકર બન્યા.

26 જાન્યુઆરી 1950 ના રોજ બંધારણનો અમલ થયો.

સંરચના
માળખું

ભારતીય બંધારણ વિશ્વનો સૌથી લાંબો સમય છે. [નોંધ 1] તેના પ્રારંભમાં, તે 22 ભાગો અને 8 શેડ્યુલ્સમાં 395 લેખો હતા. તે લગભગ 80,000 શબ્દોથી બનેલો છે તેના વર્તમાન સ્વરૂપે (સપ્ટેમ્બર 2012), તેની પાસે પ્રસ્તાવના, 25 [નોંધ 2] ભાગો 448 [21] [નોંધ 3] લેખો, 12 [નોંધ 4] સમયપત્રક, 5 પરિશિષ્ટો [22] અને 101 સુધારા, તાજેતરની જે 8 સપ્ટેમ્બર 2016 ના રોજ અમલમાં આવી. [23]

ભાગો બંધારણની વ્યક્તિગત લેખો નીચેના ભાગોમાં એકસાથે જૂથમાં છે:

પ્રસ્તાવના [24] "સમાજવાદી" અને "બિનસાંપ્રદાયિક" શબ્દને 1976 માં 42 માં બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યો હતો. [25] [26]

ભાગ I [27] - સંઘ અને તેના પ્રદેશ ભાગ II [28] - નાગરિકતા ભાગ III - મૂળભૂત અધિકારો ભાગ IV [29] - રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતો ભાગ IVA - મૂળભૂત કપાત ભાગ વી [30] - યુનિયન ભાગ VI [31] - રાજ્યો ભાગ VII [32] - પ્રથમ શેડ્યૂલના બી ભાગમાં સ્ટેટ્સ (રદ કરાયેલ) ભાગ VIII [33] - કેન્દ્રશાસિત પ્રદેશો ભાગ IX [34] - પંચાયતો ભાગ IXA [35] - નગરપાલિકાઓ ભાગ IXB - સહકારી મંડળીઓ. [36] ભાગ X - અનુસૂચિત અને આદિવાસી વિસ્તાર ભાગ XI - યુનિયન અને સ્ટેટ્સ વચ્ચેનો સંબંધ ભાગ XII - નાણા, સંપત્તિ, કોન્ટ્રાક્ટ્સ અને સુટ્સ ભાગ XIII - ભારતના પ્રદેશમાં વેપાર અને વાણિજ્ય ભાગ XIV - યુનિયન હેઠળ સેવાઓ, રાજ્યો ભાગ XIVA - ટ્રિબ્યુનલ્સ ભાગ XV - ચૂંટણી ભાગ XVI - ચોક્કસ વર્ગો સંબંધિત ખાસ જોગવાઈઓ ભાગ XVII - ભાષાઓ ભાગ XVIII - કટોકટીની જોગવાઈઓ ભાગ XIX - ન હોય તેવા પરચૂરણ ભાગ XX - બંધારણની સુધારણા ભાગ XXI - કામચલાઉ, ટ્રાન્ઝિશનલ અને ખાસ જોગવાઈઓ ભાગ XXII - ટૂંકું શીર્ષક, પ્રારંભની તારીખ, હિન્દીમાં અધિકૃત ટેક્સ્ટ અને પુનરાવર્તનો. શેડ્યુલ્સ અનુક્રમણિકા બંધારણમાંની યાદી છે જે સરકારની અમલદારશાહી પ્રવૃત્તિ અને નીતિનું વર્ગીકરણ અને તેનું વર્ગીકરણ કરે છે.

પ્રથમ સુનિશ્ચિત (લેખ 1 અને 4) - આ ભારતના રાજ્યો અને પ્રદેશોની યાદી આપે છે, તેમની સરહદોમાં ફેરફાર અને તે ફેરફાર કરવા માટે ઉપયોગમાં લેવાયેલા નિયમોની યાદી આપે છે. બીજી સૂચિ (લેખ 59 (3), 65 (3), 75 (6), 97, 125, 148 (3), 158 (3), 164 (5), 186 અને 221) - - આ અધિકારીઓના પગારની યાદી આપે છે. હોલ્ડિંગ પબ્લિક ઑફિસ, જજ, અને કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા ત્રીજા સુનિશ્ચિત (લેખો 75 (4), 99, 124 (6), 148 (2), 164 (3), 188 અને 21 9) ઓથ્સના સ્વરૂપ - આ ચૂંટાયેલા અધિકારીઓ અને ન્યાયમૂર્તિઓ માટે કચેરીઓના શપથની યાદી આપે છે. ચોથી સૂચિ (લેખ 4 (1) અને 80 (2)) - આ રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ દીઠ રાજ્ય સભા (સંસદના ઉપલા ગૃહ) માં બેઠકોની ફાળવણીની વિગત આપે છે. પાંચમી સૂચિ (કલમ 244 (1)) - તે અનુસૂચિત પ્રાદેશિક [નોંધ 5] અને અનુસૂચિત જનજાતિનું નિયંત્રણ [નોંધ 6] (બિનઅસરકારક પરિસ્થિતિઓને કારણે વિસ્તારો અને જાતિઓને વિશિષ્ટ સંરક્ષણની જરૂર છે) માટેનું સંચાલન કરે છે. છઠ્ઠી સૂચિ (લેખ 244 (2) અને 275 (1)) - આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમમાં આદિવાસી વિસ્તારોના વહીવટ માટે કરવામાં આવેલ જોગવાઈઓ. સેવન્થ શેડ્યૂલ (કલમ 246) - સંઘ (કેન્દ્ર સરકાર), રાજ્ય અને જવાબદારીઓની સહવર્તી યાદીઓ. આઠમી સૂચિ (લેખ 344 (1) અને 351) - અધિકૃત ભાષાઓ નવમી સૂચિ (લેખ 31-બી) - ચોક્કસ કાયદાઓ અને નિયમોનું માન્યતા. [37] દસમી સૂચિ (લેખ 102 (2) અને 1 9 1 (2)) - સંસદના સભ્યો અને રાજ્ય વિધાન પરિષદના સભ્યો માટે "વિરોધી પક્ષપલટો" જોગવાઈઓ. અગિયારમી સૂચિ (કલમ 243-જી) - પંચાયત રાજ (ગ્રામીણ સ્થાનિક સરકાર), બારમી સૂચિ (કલમ 243-ડબલ્યુ) - નગરપાલિકાઓ (શહેરી સ્થાનિક સરકાર). પરિશિષ્ટો પરિશિષ્ટ I- બંધારણ (અરજી જમ્મુ અને કાશ્મીર) ઓર્ડર, 1 9 54 પરિશિષ્ટ II- પુન: નિવેદન, બંધારણના હાલના લખાણના સંદર્ભમાં, અપવાદો અને ફેરફારોનો વિષય કે જેનું બંધારણ જમ્મુ અને કાશ્મીર રાજ્યને લાગુ પડે છે. બંધારણ (ચોથી ચતુર્થ સુધારો) અધિનિયમ, 1978 ના પરિશિષ્ટ III-Extracts. પરિશિષ્ટ IV - બંધારણ (એંસી-છઠ્ઠા સુધારા) અધિનિયમ, 2002. પરિશિષ્ટ વી- બંધારણ (એંસી-આઠમી સુધારો) અધિનિયમ, 2003.

1 ટિપ્પણી:

*કોરોના સહાય માટે ઓનલાઈન અરજી*

 *કોરોના સહાય માટે ઓનલાઈન અરજી*  કોવિડ-૧૯ મા મૃત્યુ થયેલ વ્યક્તિના વારસદારને ઘરે બેઠા સહાય મેળવવા ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા લોન્ચ ક...