શનિવાર, 4 ડિસેમ્બર, 2021

*કોરોના સહાય માટે ઓનલાઈન અરજી*

 *કોરોના સહાય માટે ઓનલાઈન અરજી* 

કોવિડ-૧૯ મા મૃત્યુ થયેલ વ્યક્તિના વારસદારને ઘરે બેઠા સહાય મેળવવા ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા લોન્ચ કરેલ મોબાઈલ ફ્રેન્ડલી એપ્લિકેશન મા અરજી કરવા નીચેની લીંક પર ક્લિક કરો..

 https://iora.gujarat.gov.in/Cov19_Login.aspx

આ અરજીઓ ઓનલાઈન આજે શરૂ કરવામાં આવી છે.. દરેક સમાજના ગ્રુપમાં શેર કરવા વિનંતી....



બુધવાર, 13 જાન્યુઆરી, 2021

ઉત્તરાયણ એટલે....

 ઉત્તરાયણ એ અવકાશમાં સુર્યની એક સ્થિતિ છે. ઉત્તરાયણ ના દિવસે સુરજ માથાની સીધી દિશાથી એકદમ દક્ષિણ દિશા તરફ હોય છે. ઉત્તરાયણ (ઉત્તર+અયન) નો શાબ્દિક અર્થ છે ઉત્તરમાં ગમન. દિવસમાંં સુર્ય એકદમ માથા ઉપર હોય ત્યારની સ્થિતિમાં દરરોજ સુર્ય ઉત્તર દિશા તરફ નમતો દેખાશે. ઉતરાયણ ના સમયે સૂર્ય પૃથ્‍વી આજુબાજુની પોતાની પરિભ્રમણ ની દિશામાં પરિવર્તન કરી થોડો-થોડો ઉત્તર દિશા તરફ ખસતો જાય છે. આમ, સૂર્ય ઉત્તર તરફ ખસવાનુ ચાલુ કરે તે દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરાયણનો પ્રારંભ ૨૧ થી ૨૨ ડીસેમ્બર થી થાય છે.


સૂર્યની ઉત્તર દિશામાં ખસવાની ઘટના.

સૂર્યની ઉત્તર દિશામાં ખસવાની ઘટનાની અસરો.

ઉત્તરાયણના દિવસે વર્ષની સૌથી લાંબી રાત ભારતમાં ૧૩:૧૨ કલાકની અને દિવસ ૧૦:૪૮ કલાકનો હોય છે. જ્યારે ૨૧ જુને દક્ષિણાયનના દિવસે આનાથી વિપરીત. વર્ષમાં બે દિવસ એટલે કે ૨૧ ડિસેમ્બરે સૌથી લાંબી રાત અને ૨૧ જૂને સૌથી લાંબો દિવસ હોય છે. સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધ પર સીધા પડતાં હોવાથી ઉત્તર ગોળાર્ધમાં લાંબી રાત્રિઓનો સમય હોય છે. આ સમયને ઉત્તરાયણ પણ એટલે જ કહે છે. ૨૨ ડિસેમ્બરથી ૨૧ જૂન સૂધી દિવસ મોટો થતો જશે. જે ૨૧ જૂને દિવસ સૌથી મોટો હસે અને રાત સોથી નાની. આ દિવસને દક્ષિણાયન કહે છે.


મકર સંક્રાંતિ ઉત્તરાયણથી અલગ હોય છે. સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. પરંતુ સૂર્ય ધનુ રાશી માંથી મકર રાશીમાં સ્થાનાંતર કરે છે. ત્યારે મકર સંક્રાંતિ શરૂ થાય છે, જે ૧૪ જાન્યુઆરીની આસપાસ નો સમય હોય છે. ઇ.સ. ૨૦૧૬નાં જાન્યુવારી મહિનામાં ખગોળીય દૃષ્ટીએ મકર સંક્રાંતિ ૧૪ જાન્યુવારીના બદલે ૧૫ જાન્યવારીના દિવસે હતી.

આવો જાણીએ છે કે 2021 માં ઉત્તરાયણ ક્યારે છે. ઉત્તરાયણ 2021 ની તારીખ અને મુહૂર્ત।


સૂર્ય ની ઉત્તર દિશા ની ગતિ ને ઉત્તરાયણ કહેવા માં આવે છે. ખરેખર ઉત્તરાયણ એ સૂર્ય ની સ્થિતિ છે. ઉત્તરાયણ નો શાબ્દિક અર્થ થાય છે ઉત્તર દિશા માં પ્રસ્થાન. ઉત્તરાયણ કાળ 14 જાન્યુઆરી થી શરૂ થાય છે. આ સમય દરમિયાન સૂર્ય મકર રાશિ માં પ્રવેશ કરે છે. આ પ્રસંગે મકર સંક્રાંતિ ઉત્સવ ઉજવવા માં આવે છે. આ ઉત્સવ ગુજરાત અને મહારાષ્ટ્ર માં ઉત્તરાયણ ના નામે ઉજવવા માં આવે છે. એવું માનવા માં આવે છે કે ઉત્તરાયણ કાળ શુભ પરિણામ આપે છે. ઉત્તરાયણ ને દેવતાઓ નો દિવસ કહેવા માં આવે છે, તેથી આ સમયગાળા દરમિયાન નવા કાર્યો, યજ્ઞ, વ્રત, ધાર્મિક વિધિઓ, લગ્નો, મુંડન કરવા નું શુભ માનવા માં આવે છે. ઉત્તરાયણ પ્રસંગે ગંગા અને યમુના નદી માં સ્નાન કરવા નું મોટું મહત્વ છે. ગુજરાત માં ઉત્તરાયણ પ્રસંગે પતંગોત્સવ ની ઉજવણી કરવા માં આવે છે.

ઉત્તરાયણ કાળ ની મહત્તા

હિન્દુ ધર્મ માં સૂર્ય ને દક્ષિણ થી ઉત્તર દિશા તરફ જવા નું ખૂબ જ શુભ માનવા માં આવે છે. એવું માનવા માં આવે છે કે જ્યારે સૂર્ય પૂર્વ થી દક્ષિણ તરફ આગળ વધે છે, આ સમય દરમિયાન સૂર્ય ની કિરણો ને ખરાબ માનવા માં આવે છે, પરંતુ જ્યારે સૂર્ય પૂર્વ થી ઉત્તર તરફ પ્રવાસ કરવા નું શરૂ કરે છે, ત્યારે તેની કિરણો આરોગ્ય અને શાંતિ માં વધારો કરે છે. આ સમય દરમિયાન સૂર્ય મકર રાશિ માં પ્રવેશ કરે છે, તેથી તેને મકર સંક્રાંતિ પણ કહેવા માં આવે છે, જે હિન્દુ ધર્મ માં એક મોટો તહેવાર છે. ઉત્તરાયણ પછી ઋતુઓ અને મોસમ બદલાય છે. પરિણામે, શિયાળા ની મોસમ ધીરે ધીરે સમાપ્ત થવા માંડે છે. ઉત્તરાયણ ને કારણે, રાત ટૂંકી થવા લાગે છે અને દિવસો મોટા હોય છે. જ્યારે સૂર્ય ઉત્તરાયણ હોય છે ત્યારે તે યાત્રાધામો અને તહેવારો નો સમય હોય છે.


ઉત્તરાયણ સમયગાળા પર થતાં વૈદિક કર્મકાંડ

શાસ્ત્રો માં ઉત્તરાયણ કાળ ને સકારાત્મકતા નું પ્રતિક માનવા માં આવે છે, જ્યારે દક્ષિણાયન ને નકારાત્મકતા નું પ્રતીક માનવા માં આવે છે. એવું માનવા માં આવે છે કે ઉત્તરાયણ સમયગાળા દરમિયાન કરવા માં આવેલ કાર્ય શુભ પરિણામ આપે છે.


1.  જપ, તપસ્યા અને સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે ઋષિ મુનિઓ દ્વારા ઉત્તરાયણ અવધિ મહત્વપૂર્ણ માનવા માં આવે છે.

2.  ઉત્તરાયણ ને દેવતાઓ નો દિવસ માનવા માં આવે છે. કારણ કે આ સમયે સૂર્ય દેવતાઓ શાસક છે.

3.  મકર સંક્રાંતિ એ ઉત્તરાયણ કાળ નો પહેલો દિવસ છે, તેથી આ દિવસે સ્નાન કરવું, દાન કરવું અને પુણ્ય કરવું શુભ છે.

4.  6 મહિના નો સમય ઉત્તરાયણ સમયગાળો કહે છે. ભારતીય મહિના અનુસાર, તે માઘ થી અષાઢ મહિના સુધી માનવા માં આવે છે.

5.  ઉત્તરાયણ સમયગાળા દરમિયાન ગૃહ પ્રવેશ, દીક્ષા ગ્રહણ, લગ્ન અને યજ્ઞોપવિત ની વિધિઓ ને શુભ માનવા માં આવે છે.


સૂર્ય ના ઉત્તરાયણ સમયગાળા સાથે સંકળાયેલ પૌરાણિક માન્યતાઓ.

1.  ઉત્તરાયણ કાળ ના મહત્વ નું વર્ણન પણ શાસ્ત્રો માં જોવા મળે છે. હિન્દુ ધર્મ ના પવિત્ર ગ્રંથ શ્રીમદ્ ભાગવત ગીતા માં ખુદ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે, ઉત્તરાયણ ના 6 મહિના ના શુભ સમયગાળા દરમિયાન પૃથ્વી પ્રકાશમય હોય છે, તેથી આ પ્રકાશ માં શરીર નો ત્યાગ કરવા થી માણસ નો પુનર્જન્મ થતો નથી અને તેને મુક્તિ મળે છે અને તેને મોક્ષ ની પ્રાપ્તિ થાય છે. મહાભારત સમયગાળા દરમિયાન ભીષ્મ પિતામહ જેમણે ઈચ્છામૃત્યુ નો વરદાન પ્રાપ્ત હતો. તેમણે પણ મકર સંક્રાંતિ ના દિવસે પોતાના દેહ નો ત્યાગ કર્યો હતો.

2.  ઉત્તરાયણ કાળ ના પ્રથમ દિવસે એટલે કે મકર સંક્રાંતિ પર, ગંગા સ્નાન કરવા નું ખૂબ મહત્વ છે. દંતકથા અનુસાર મહારાજા ભગીરથે તેમના પૂર્વજો ના તર્પણ માટે વર્ષો ની તપશ્ચર્યા પછી ગંગાજી ને પૃથ્વી પર આવવા દબાણ કર્યું હતું. આ દિવસે, ગંગાજી પૃથ્વી પર સ્વર્ગ માં થી ઉતરી હતી. તે મકર સંક્રાંતિ જ હતું કે મહારાજા ભગીરથે તેમના પૂર્વજો નું તર્પણ કર્યું અને તેમની પાછળ ચાલતાં ગંગાજી કપિલ મુનિ ના આશ્રમ માં થી સમુદ્ર માં ગયા.


વૈદિક જ્યોતિષ વિદ્યા માં ઉત્તરાયણ અવધિ નું મહત્વ

હિન્દુ પંચાંગ મુજબ, સૂર્ય વર્ષ માં બે વાર રાશિ પરિવર્તન કરે છે અને તે જ પરિવર્તન ઉત્તરાયણ અને દક્ષિણાયન તરીકે ઓળખાય છે. કાલ ની ગણતરી મુજબ, જ્યારે સૂર્ય મકર રાશિ થી મિથુન સુધી જાય છે, ત્યારે આ સમયને ઉત્તરાયણ કાળ કહેવા માં આવે છે. આ પછી, સૂર્ય કર્ક રાશિ થી ધનુ રાશિ માં સંક્રમિત થાય છે, તેને દક્ષિણાયન કાળ કહેવા માં આવે છે. આ રીતે સૂર્ય ની બંને આયન 6-6 મહિના ના હોય છે.


તેના થી વિપરિત, ઉત્તરાયણ ના 6 મહિના પછી એટલે કે 14 જુલાઈએ સૂર્ય દક્ષિણાયન બને છે. દક્ષિણાયન સમયગાળા માં, સૂર્ય એક નમન સાથે દક્ષિણ તરફ આગળ વધે છે. એવું માનવા માં આવે છે કે દક્ષિણાયન એ દેવતાઓ ની રાત છે. દક્ષિણાયન માં રાત લાંબી થાય છે. દક્ષિણાયન એ ઉપવાસ અને વ્રત નો સમય છે. આ દિવસે શુભ અને માંગલિક કાર્ય કરવા પર પ્રતિબંધ છે. સૂર્ય નું દક્ષિણાયન ઇચ્છાઓ અને આનંદ ની વૃદ્ધિ દર્શાવે છે, તેથી આ સમય માં પૂજા, વ્રત, વગેરે જેવા કામો દુખ અને રોગ ને દૂર કરે છે.


ઉત્તરાયણ હિન્દુ ધર્મ માં આસ્થા નો મહાપર્વ છે. આ પ્રસંગે સ્નાન, દાન, ધર્મ અને પૂર્વજો ને તર્પણ કરવા નું વિશેષ મહત્વ છે. ઉત્તરાયણ નિમિત્તે દેશભર માં મેળો ભરાય છે. ખાસ કરી ને ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને દક્ષિણ ભારત માં મોટા મેળાઓ નું આયોજન થાય છે. આ પ્રસંગે લાખો શ્રદ્ધાળુઓ ગંગા અને અન્ય પવિત્ર નદીઓ ના કાંઠે સ્નાન અને દાન અને ધર્મ કરે છે. મત્સ્ય પુરાણ અને સ્કંદ પુરાણ માં ઉત્તરાયણ ના મહત્વ વિશે ખાસ ઉલ્લેખ કરવા માં આવ્યો છે. એવું માનવા માં આવે છે કે ઉત્તરાયણ કાળ ખાસ કરી ને આધ્યાત્મિક પ્રગતિ અને ભગવાન ની ઉપાસના માટે ફળદાયક છે

શુક્રવાર, 27 માર્ચ, 2020



નોવેલ કોરોના વાઈરસ (૨૦૧૯-nCOv)- બાબતે જાહેર સુચના

૨૦૧૯ નોવેલ કોરોના વાઈરસ (૨૦૧૯-nCOv), વુહાન કોરોના વાઈરસ, એક અત્યંત ચેપી વાઈરસ છેજેઆપણા

શ્વાસોછ્વાસ તંત્રનેચેપ લગાડી શકેછે. આ વાઈરસનો ચેપ માણસ થી માણસનેલાગી શકેછે.

રોગના લક્ષણો:

 તાવ

 શ્વાસ લેવામાંતકલીફ

 ઉધરસ

 છાતી માંગભરામણ થવી

 નાકમાંથી પ્રવાહી નીકળવું

 માથુંદુુઃખવું

 શરીરમાંસુસ્તી રહેવી

 ફેફસામાંસોજો

 પેશાબ ઓછો થવો કેના થવો

રોગનો સેવન સમય – ૧૪ દદવસ

રોગના ફેલાવાની રીત –

હ્યુમન કોરોના વાઈરસ સામાન્ય રીતેએક ચેપી વ્યક્તતથી બીજી વ્યક્તતને

- હવામાં ઉધરસ અનેછીંક દ્વારા

- નીકટના વ્યક્તતના સ્પશશથી કેહાથ ક્મલાવવાથી

- વાઈરસ ધરાવતી વસ્તુકેસપાટી ના સ્પશશબાદ હાથ ધોયા વગર મોં, નાક અનેઆંખ નેસ્પશશકરવાથી

કોરોના વાઈરસના ચેપનું જોખમ કઈ રીતે ઘટાડવું?

- હાથને સાબુઅનેપાણી વડેધોવા અથવા આલ્કોહોલ બેસ્ડ હેન્ડ રબનો ઉપયોગ કરવો

- છીંક કેઉધરસ ખાતી વખતેનાક અનેમોંનેરૂમાલ/ટીસ્યુપેપર અથવા હાથની કોહણીના ભાગ દ્વારા ઢાંકવું

- શરદી/ ઉધરસ/ ફ્લુના લક્ષણો ધરાવતા વ્યક્તત સાથેનીકટનો સંપકશટાળો

- ફ્રીઝ કરેલ માંસાહરનુંસેવન ટાળો

- કોરોના વાઈરસના લક્ષણો ધરાવતા વ્યક્તતને૧૪ દદવસ માટેઅલાયદો રાખવો

શું કરવું?

- છીંક કેઉધરસ ખાતી વખતેપોતાના નાક

અનેમોંનેરૂમાલ/ટીસ્યુપેપર દ્વારા ઢાંકવું

- યોગ્ય સમયાન્તરેહાથનેસાબુઅને

પાણીથી ધોવા

- ભીડભાડ વળી જગ્યાઓએ જવાનુંટાળો

- ઇનફ્લુએન્ઝા જેવી બીમારીથી પીડાતી

વ્યક્તતએ ઘર સુધી સીક્મત રહેવું

- ફ્લુજેવી બીમારીથી ગ્રસ્ત વ્યક્તતથી એક

હાથના આંતરેરહેવું

- પુરતી ઊંઘ અનેઆરામ લેવો

- પૌક્િક આહાર લેવો અનેવધારેમાત્રામાં

પાણી/પ્રવાહી નુંસેવન કરવું

- ઇનફ્લુએન્ઝા જેવી બીમારી માટે

શંકાસ્પદ વ્યક્તિએ ડોક્ટરને

તક્તબયત બતાવવી

શુુું ના કરવું?

- હાથ ધોયા ક્વના આંખ, નાક કેમોંનેસ્પશશ

- મળતી વખતેહાથ ક્મલાવવા, ભેંટવું કેચુંબન

આપવું

- જાહેર જગ્યાએ થ ંકવું

- ડોતટરની સલાહ ક્વના દવાનુંસેવન કરવું

- વધુપડતો શારીદરક શ્રમ

- વપરાયેલ નેપકીન / ટીસ્યુપેપર નો જાહેરમાં

ક્નકાલ કરવો

- જાહેર જનતા ના સંપકશમાંઆવતી વસ્તુઓ

જેમ કેરેલીંગ, ડોર હેન્ડલ વગેરે

- જાહેરમાંધુમ્રપાન

- ક્તબન જરૂરી લેબ તપાસ

કોરોના વાયરસ ભારત માટે સૌથી મોટો ખતરો : 25 લાખ લોકો આવશે ઝપટમાં, 10 લાખ વેન્ટિલેટરની પડશે જરૂર

WhatsAકોરોના વાયરસને (corona) લઈને ભારતમાં ખૂબ જ મોટી તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર ભારત લોકડાઉન કર્યું છે. તેમ છતાં કોરોનાગ્રસ્તનો આંક 700ને પાર પહોંચી ગયો છે. 17 લોકોના કોરોના વાયરસને લઈને મોત થયા છે. હાલમાં ભારતને લઈને દુનિયાની એક મોટી યુનિવર્સિટીએ રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં બતાવાયું છે કે ભારત માથે મોટી ખતરાનો ઘંટ વાગી રહ્યો છે. હાલ આ વાયરસ ભારતમાં ચાર મહિના સુધી મુશ્કેલી પેદા કરી શકે છે. રિપોર્ટમાં કોરોનાને હરાવવાના રસ્તાઓ પણ બતાવવામાં આવ્યા છે. જોન હોપકિન્સ યુનિવર્સિટી અને ધ સેન્ટર ફોર ડીસિઝ ડાયનેમિક્સ, ઇકોનોમિક્સ એન્ડ પોલિસી (CDDEP) એ આ રિપોર્ટ બનાવ્યો છે. ભારતનો રિપોર્ટ તૈયાર કરવા માટે તમામ આંક ભારતની અધિકારીક વેબસાઈટોનો ઉપયોગ કર્યો છે.

કોરોના વાયરસને લઈને ભારતમાં ખૂબ જ મોટી તૈયારીઓ

જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના આ રિપોર્ટ મુજબ ભારતમાં કોરોના વાયરસની અસર જુલાઈના અંત સુધી અથવા ઓગસ્ટના મધ્ય સુધીમાં પૂરી થશે. તેમાં પાંચ રાજ્યોનો ગ્રાફ પણ બતાવવામાં આવ્યો છે. આખા ભારતમાં સૌથી વધારે એપ્રિલ મધ્યથી લઈને મધ્ય મે સુધીમાં કોરોનાગ્રસ્ત થઈને હોસ્પિટલમાં ભર્તી થશે. ફરી જુલાઈ મધ્ય સુધી આ સંખ્યા ધીમે ધીમે ઓછી થશે. ઓગસ્ટના અંત સુધીમાં તે પૂર્ણ થવાની આશા છે. આ ગ્રાફ મુજબ ઓછામાં ઓછા 25 લાખ લોકો આ વાયરસની ઝપેટમાં આવીને હોસ્પિટલ સુધી જવું પડશે. અભ્યાસ રિપોર્ટમાં બતાવ્યું છે કે એ ખબર નથી પડતી કે ભારતમાં કેટલા લોકો કોરોનાગ્રસ્ત છે. કારણ કે કેટલાય લોકો એસિમ્ટોમૈટિક અર્થાત અલક્ષણી છે. તેનો અર્થ એ છે કે કોરોના વાયરસથી સંક્રમિત લોકો વધારે છે. એમાં કોરોના લક્ષણો પણ હશે પરંતુ નીચા સ્તરે હોવાથી જ્યારે તે તીવ્ર થશે ત્યારે જ ખબર પડશે. જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના અભ્યાસમાં બતાવ્યું છએ કે, વૃદ્ધોએ સોશ્યલ અંતર બાબતે વધારે ધ્યાન આપવું પડશે. જેટલું લોકડાઉન રહેશે તેટલા જ લોકો વધારે બચશે. હાલના સમયમાં ચોક્કસ અંતર જાળવવા સિવાય અન્ય કોઈ ઉપાય નથી.

પોતાને કેવી રીતે બચાવવા?


ગ્રાફિક્સ

વારંવાર હાથ ધોવા એજ સૌથી સારો ઉપાય છે.
સાબુ અને પાણી વડે નિયમિત અને વ્યવસ્થિત રીતે હાથ ધોવા જોઈએ.
કોરોના વાઇરસનું સંક્રમણ ત્યારે ફેલાય છે જ્યારે વાઇરસથી સંક્રમિત વ્યક્તિ ઉધરસ ખાય અને હવામાં વાઇરસ ધરાવતા નાના ટીપા તરે છે.
જો આસપાસ રહેલી વ્યક્તિના શ્વાસમાં આ ટીપા પ્રવેશ કરે, અથવા એ જગ્યાને અડે જ્યાં એ નાના ટીપા પડ્યા હોય અથવા એ ટીપા તમારી આંખ, નાક અથવા મોઢાંના સંપર્કમાં આવે.
ઉધરસ છીંક આવે ત્યારે ટિશ્યૂ પેપર કે રૂમાલ આડો રાખવો.
ગંદા હાથે ચહેરાને ન અડવું. સંક્રમિત વ્યક્તિથી દૂર રહેવાથી કોરોના વાઇરસના સંક્રમણને સીમિત કરી શકાય છે.
મેડિકલ નિષ્ણાતોનું કહેવું છે કે ફેસ-માસ્કથી અસરકારક રીતે રક્ષણ નથી મળતું.

corona

ભારતમાં ઓછામાં ઓછા 10 લાખ વેન્ટીલેટરની જરૂર પડશે

સૌથી મોટી સમસ્યા ભારતમાં ઓછામાં ઓછા 10 લાખ વેન્ટીલેટરની જરૃર પડશે પરંતુ ભારતમાં હાલમાં 30થી 50 હજાર વેન્ટીલેટર જ છે. અમેરિકામાં 1.60 લાખ વેન્ટીલેટર છે. પરંતુ તે ઓછા પડી રહ્યા છે. જ્યારે તેની વસ્તી પણ ભારતથી ઓછી છે. ભારતની તમામ હોસ્પિટલોએ આગળના ત્રણ મહિના ખૂબ જ મહેનત કરવી પડશે. ભારતને ચીન તેમજ અન્ય દેશોની જેમ હંગામી ધોરણે કામચલાઉ હોસ્પિટલો બનાવવી પડશે. હોસ્પીટલોમાં વાયરસનો ચેપ ના ફેલાય તેનું પણ ધ્યાન રાખવું પડશે. ભારતમાં કોરોના વાયરસ બાબતે ચાલી રહેલી તપાસ પ્રક્રિયા ખૂબજ ધીમી છે. પરંતુ જેટલી ઝડપી તપાસ પ્રક્રિયા થશે તેટલું ઝડપીઅને વધુ પરિણામ મળશે. જો સાચી રીતે તપાસ કરાશે તો એવા વૃદ્ધોને પણ બચાવી શકાશે જે કોરોના વાયરસથી સંક્રમિત છે. ભારતમાં સ્વાસ્થ્ય કર્મીઓની સુરક્ષા માટે પૂરતા માસ્ક, હૈજમટ સૂટ, ફેર ગીયર વગેરે નથી. એનાથી મેડિકલ સ્ટાફ પણ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. જેના લીધે સ્વાસ્થ્ય સુવિધામાં પણ અવરોધ પેદા થઈ શકે છે.



શનિવાર, 19 ઑક્ટોબર, 2019

મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે !
ટળવળે તરસ્યાં, ત્યહાં જે વાદળી વેરણ બને,
તે જ રણમાં ધૂમ મુસળધાર વરસી જાય છે !
ઘરહીણાં ઘૂમે હજારો ઠોકરાતાં ઠેર ઠેર :
ને ગગનચુમ્બી મહાલો જનસૂનાં રહી જાય છે !
દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના :
લાખ ખાંડી લૂંટનારા મહેફીલે મંડાય છે !
કામધેનુને મળે ના એક સૂકું તણખલું,
ને લીલાંછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે !
છે ગરીબોના કૂબામાં તેલનું ટીપુંય દોહ્યલું,
ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે !
– કરસનદાસ માણેક

Bharat Darji: ‘હા પસ્તાવો વિપુલ ઝરણું’ - કલાપી

Bharat Darji: ‘હા પસ્તાવો વિપુલ ઝરણું’ - કલાપી: મહાન કવિ કલાપી ગુજરાતના કવિ કલાપીનું ગુજરાતની પ્રજાને બહુ મોટું પ્રદાન છે. ગુજરાતની પ્રજા તેમનાં અમર કાવ્યોના અમર શબ્દો માટે હંમેશા ઋણી...

રવિવાર, 24 માર્ચ, 2019

ભારતનો ઇતિહાસ

અન્ય ભાષામાં વાંચોઆ પાનું ધ્યાનમાં રાખોફેરફાર કરો

ભારતનો ઇતિહાસ સિઁધુ ખીણની સંસ્કૃતિ સાથે શરૂ થયો અને તે કાળક્રમે ભારતીય ઊપખંડના ઊત્તરીય- પશ્ચિમી પ્રદેશમાં ઈસવીસન પુર્વે 3300થી 1300 વર્ષ પહેલાં વિસ્તર્યો.આ સમયગાળો પુર્ણ વિકસેલી હડપ્પાની સંસ્કૃતિનો હતો જે ઈસવીસન પુર્વે 2600 થી 1900 સુધી ચાલ્યો હતો. ઈસવીસનની બીજી સહસત્રાબ્દિની શરૂઆતમાં ભારતના આ કાંસ્ય યુગનું પતન થયું, આ બાદ ભારતમાં ગંગા નદીને કિનારે, લોહ યુગ, અને તેના પછી વૈદિક કાળનો ક્રમે ક્રમે વિકાસ થયો, અને અહી જ મહાજનપદ જેવા મોટા રજવાડાઓનો ક્રમે વિકાસ થયો. આ પૈકીના એક રાજ્ય મગધમાં ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીમાંમહાવીર અને ગૌતમ બુદ્ધ જેવા મહાપુરુષો જન્મ્યા અને તેમણે પોતાના શ્રમણઅર્થાત તત્વજ્ઞાનનો લોકોમાં ફેલાવો કર્યો.

દક્ષિણ એશીયાનો ઇતિહાસ
મહેરગઢ સંસ્કૃતિ7000-3300 BCસિંધુ ખીણની સંસ્કૃતિ3300-1700 BCકબ્રસ્તાન એચ સંસ્કૃતિ1700-1300 BCવૈદિક સંસ્કૃતિ1700-500 BCકુરૂ રાજવંશ1200-316 BCમહાજનપદ700-321 BCમૌર્ય સામ્રાજ્ય321-184 BCમધ્યયુગીન રાજ્યો184 BC - 1279 CEગુપ્તા સામ્રાજ્ય240-550ચોલા સામ્રાજ્ય848-1279ઇસ્લામી સામ્રાજ્યો979-1596દિલ્હી સલ્તનત1210-1526વિજયનગર સામ્રાજ્ય1336-1565મુઘલ યુગ1526-1757કંપની રાજ1757-1857પહેલો આઝાદી વિપ્લવ1857-1858બ્રિટીશ રાજ1858-1947સ્વતંત્રતા ચળવળ1858-1947ભારતના ભાગલા1947-1948ભારત ગણરાજ્યનો ઇતિહાસપાકિસ્તાનનો ઇતિહાસબાંગ્લાદેશનો ઇતિહાસઆ લેખ 1942માં બ્રિટીશ ભારતના ભાગલા થયાં તે પહેલાના દક્ષિણ એશિયાનો ઇતિહાસ છે. આધુનિક રિપબ્લિક ઇન્ડિયાના ઇતિહાસ માટે જુઓ રિપબ્લિક ઇંડીયાનો ઇતિહાસ. પાકિસ્તાન અને બાંગ્લાદેશનો ઇતિહાસ જોવા માટે જુઓ પાકિસ્તાનનો ઇતિહાસ અને બાંગ્લાદેશનો ઇતિહાસ.

પાછળથી આવનારા રાજાઓએ અને શાસનાધિકારીઓએ આ પ્રદેશમાં રાજ્ય કર્યું અને પ્રદેશની સંસ્કૃતિનું જતન ફારસી રાજવી[૧] હખામંશી ઈસવીસન પુર્વે 543માં અને [૨]ઈસવીસન પુર્વે 326માં સિકંદર મહાન કર્યું. બેકટ્રીયાના ડેમેટ્રીયસે ભારતીય-યૂનાની શાસનની સ્થાપના કરી જેમાં ઈસવીસન પૂર્વે 184માં ગાંધાર અને પંજાબનો પણ સમાવેશ થાય છે. તેનું શાસન મેનાન્દરના શાસનમાં ચારે તરફ ફેલાયું અને તેણે યૂનાની બુદ્ધ કાળ વિકસાવ્યો જેમાં વ્યાપાર અને સંસ્કૃતિનો વિકાસ થયો.

મૌર્ય સામ્રાજ્ય હસ્તક ઈસવીસનની ચોથી અને ત્રીજી સદી દરમિયાન આખો ઊપખંડ એક હતો.તે પછી ધીમે ધીમે તેના ટુકડા થતા ગયા અને મધ્ય કક્ષના કહી શકાય તેવા વિવિધ રજવાડાંઓમાં તે આગામી દસ સદીમાં ફેરવાતા ગયાં. તેનો ઊત્તરીય ભાગ ઈસવીસન પૂર્વેની ચૌથી સદીમાં ફરી એકવાર એક થયો અને તે પછી બે સદી સુધી તે ગુપ્તા સામ્રાજ્યહસ્તક એક રહ્યો.આ સમયગાળો [[હિન્દુ |હિન્દુ]] ધર્મ અને તેના બૌધ્ધિક ઊત્થાનનો કાળ હતો અને તેના ચાહકોમાં તે ભારતના સુવણર્કાળ તરીકે ઓળખાય છે.

આજ સમયગાળામાં અને તે પછીની ઘણી સદીઓ બાદ દક્ષિણ ભારતચાલુક્યચોલાપલ્લવ અને પંડ્યાઓનાશાસન હેઠળ આવ્યું અને તેણે સુવર્ણકાળનો અનુભવ કર્યો. આ કાળમાં ભારતીય સભ્યતા, વહીવટીતંત્ર સંસ્કૃતિ અને ધર્મ, હિંદુ ધર્મ અને બૌદ્ધ ધર્મ [[દક્ષિણ-પૂર્વીય એશિયા |દક્ષિણ-પૂર્વીય એશીયામાં]] ફેલાવો થયો.

કેરળના ઊપખંડમાં ઈસ્લામનું આગમનચોક્કસ તારીખ કોઈ જાણતું નથી પણ કેરળનો રોમન સામ્રાજ્ય અને મધ્ય પૂર્વ સાથે ઈશુ ખ્રિસ્તના જન્મ પહેલાં દરિયાઈ માર્ગે વેપાર ચાલતો હતો. આ ઊપખંડમાં મુસ્લિમ શાસનનો પ્રારંભ 712માં (CE) થયો જ્યારે એક આરબ જનરલ મહંમદ બિન કાસીમે દક્ષિણ પંજાબના,[૩] મુલતાન અને સિંધ પર ચઢાઈ કરી અને દસમી અને પંદરમી સદીમાં મધ્ય એશિયામાં બીજાં ઘણાં આક્રમણો માટેનાં દ્વાર ખોલી નાંખ્યાં જેના પગલે ભારતીય ઊપખંડમાંમુસ્લિમ સામ્રાજ્યનો પાયો નંખાયો, જેમાં ગઝનવીઘોરીદિલ્હી સલ્તનત અને મુઘલ સામ્રાજ્યનો સમાવેશ થાય છેમુઘલોએ ઊપખંડના મોટાભાગના ઉત્તરીય ભાગ પર શાસન કર્યુંમુઘલ રાજાઓએ ભારતમાં મધ્ય-પૂર્વની કળા અને સ્થાપત્યની રજૂઆત કરી મુઘલો ઉપરાંત ઘણાં સ્વતંત્ર હિંદુ રજવાડાં જેવાં કે, મરાઠા સામ્રાજ્યવિજયનગર સામ્રાજ્ય, વિવિધ રાજપૂત રાજાઓ પશ્ચિમ અને દક્ષિણમાં સમાંતરે શાસન કરતા હતા. મુઘલ સામ્રાજ્યનો અઢારમી સદીમાં પ્રારંભે અસ્ત થયો જેના કારણે અફઘાનોબલોચી, અને શીખોને બ્રિટીશ ઈસ્ટ ઈન્ડયા કંપનીએ[૪]દક્ષિણમાં પગદંડો જમાવ્યો ત્યાં સુધી ઊપખંડના ઊત્તરીય-પશ્ચિમી ભાગમાં શાસન કરવાનો મોકો મળ્યો

18મી સદીમાં તેની શરૂઆત થઈ અને તે પછીની સદીઓમાં ભારત પર ક્રમાનુસાર બ્રિટીશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પડછાયો રહ્યો.

કંપનીના રાજ સામે ફેલાયેલા અસંતોષને કારણે બ્રિટીશ રાજાદ્વારા શાસન અસ્તિત્વમાં આવ્યું પછી સ્વતંત્રતા માટેના પ્રથમ યુધ્ધનો પ્રરંભ થયો. આ જ સમયગાળા દરમિયાન ભારતે બુનિયાદી સુવિધાઓ અને આર્થિક પતનનો ઝડપી વિકાસ જોવા માંડ્યો.

20મી સદીના પ્રથમ ભાગમાં ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રવ્યાપી સ્વતંત્રતા ચળવળની શરૂઆત કરવામાં આવી.જેમાં પાછળથી મુસ્લિમ લીગ પણ જોડાઈ ઊપખંડને, ભાગલા બાદ, આધિપત્યમાં ભારત અને પાકિસ્તાન નામના બે દેશો તરીકે ગ્રેટ બ્રિટન પાસેથી 1947માં આઝાદી મળી.

ઇતિહાસ પૂ્ર્વેનો કાળફેરફાર કરો

પથ્થર યુગ/પIષIણ યુગફેરફાર કરો

મધ્ય ભારત (Central India)માં નર્મદા નદીની ખીણ(Narmada Valley)માં હાથનોરામાં હોમો ઈરેક્ટસ(Homo erectus)ના અવશેષો મળી આવ્યા હતા જે એવો નિર્દેશ કરતા હતા કે ભારતમાં માનવ વસવાટ બે લાખથી પાંચ લાખ વર્ષ દરમિયાન મધ્ય પ્લીસ્ટોસીન(Middle Pleistocene)દરમિયાન પણ થયો હશે[૫][૬]જો કે, આફ્રિકા બહાર હિન્દ મહાસાગરના તટે વિકસેલી માનવ સંસ્કૃતિનો કોઈ અત્તોપત્તો મળતો નથીતામિલનાડુ(Tamil Nadu)( 75,000 વર્ષ પહેલા ટોબા જવાલામુખીના વિસ્ફોટ પહેલા અને પછી) માં મળેલા અવશેષો મુજબ હિમયુગ બાદ આવેલા પૂરને કારણે આ વિસ્તારમાં શરીર રચનાને લગતા કેટલાક અવશેષો મળ્યા છે જે માનવ ઉત્પત્તિ તરફ ઈશારો કરે છે. ભારતીય ઊપખંડમાંમધ્ય પાષાણયુગ (Mesolithic) ગાળો ત્રીસ હજાર વર્ષ પહેલાં શરૂ થયો હતો અને તે 25,000 વર્ષને આવરી લે છે. ઊપખંડમાં માનવ સમૂહોનું વ્યાપક સ્થાયીત્વ આખરી હિમ યુગ (Ice Age)ના અંત પછી અથવા તો 12,000 વર્ષ પહેલાં થયુંસૌથી પ્રથમ કાયમી માનવ વસાહત 9000 વર્ષ પહેલાં આધુનિક મધ્યપ્રદેશ (Madhya Pradesh)માં આવેલા ભીમબેટકાના ખડકો (Rock Shelters of Bhimbetka)માં જોવા મળી હતીઅગાઊ નીયોલિથિક(Neolithic) સંસ્કૃતિ દક્ષિણ એશિયામાં ઈસવીસન પૂર્વે 7000 વર્ષ (7000 BCE)પહેલાં હાલના પાકિસ્તાનના બલોચિસ્તાન (Balochistan)માં મેહગઢ (Mehrgarh) દ્વારા સ્થાપાઈ હતીભારતમાં આવેલા ખંભાતના અખાત(Gulf of Khambat)માં પણ નિયોલેથિક(Neolithic)સંસ્કૃતિના અવેશેષો મળ્યા છે. જે ઈ.સ.પુર્વે 7500 (7500 BCE)ની સાલના હોવાનું રીડીયોકાર્બન(radiocarbon dated) પદ્ધતિ દ્વારા જાણવા મળ્યું છે.[૭] સિંધુ નદીને કિનારે નિયોલેથિક સંસ્કૃતિ ઈં.સ.પુર્વે 6000 થઈ 2000 અને દક્ષિણ ભારતમાં ઈ.સ. પુર્વે 2800 થી 1200 વિકાસ પામી હતી.

આ ઉપખંડને પ્રદેશ કે જે હાલમાં પાકિસ્તાન તરીકે ઓળખાય છે તે ઓછામાં ઓછા વીસ લાખ વર્ષો સુધી વસ્તી વસવાટ કરતી હતી.[૮][૯]આ ક્ષેત્રના પ્રાચિન ઇતિહાસમાં દક્ષિણ એશિયાના (South Asia) કેટલાક જૂની વસાહતો[૧૦] અને કેટલીક મુખ્ય સંસ્કૃતિનો સમાવેશ થાય છે.[૧૧][૧૨]

દક્ષિણ એશિયાની (South Asia) શરૂઆતની પૂરાતત્વીય જગ્યાઓ પ્રાચિન પ્રસ્તર યુગની (palaeolithic), હોમિનીડ(hominid) અને સોન રિવર ખીણના (Soan River valley) સ્થાનો હતી.[૧૩]ગ્રામ્ય જીવનની શરૂઆત મેહગઢ(Mehrgarh)ની ઉત્તર પાષાણયુગ (Neolithic) સ્થાન પરથી થઇ હતી,[૧૪]જ્યારે આ ક્ષેત્રની, પ્રથમ શહેરી સંસ્કૃતિ સિંધુ ખીણની સંસ્કૃતિ (Indus Valley Civilization) છે, [૧૫]જે મુખ્યત્વે મોહેંજો દડો (Mohenjo Daro), લોથલ(Lothal) અને હડપ્પા (Harappa) જેવા સ્થાનો પર હતી. [૧૬]

ભારતનો કાંસ્ય યુગફેરફાર કરો

 
"સાધુ રાજા"

આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની કલ્પનાનું સિંધુ ખીણની સંસ્કૃતિનો ભારતીય ઉપખંડના કાંસ્ય યુગની શરૂઆત આશરે 3300 બીસીઇની આસપાસ સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે થઇ હતી.તેનું કેન્દ્ર મુખ્યત્વે ભારતના ગુજરાત(Gujarat), હરિયાણા (Haryana), રાજસ્થાન(Rajasthan) અને આજના પાકિસ્તાનના સિંધ (Sindh) અને પંજાબમાં (Punjab) હતું.પ્રાચિન ભારતનો(Ancient India) ઐતિહાસિક વિભાગ, જે મેસોપોટેમિયા(Mesopotamia) અને પ્રાચિન ઇજિપ્ત (Ancient Egypt) સાથે વિશ્વની ત્રણ સૌથી જૂની સંસ્કૃતિમાં ગણાય છે.પ્રાચિન ઇન્ડસ નદીની (Indus river) ખીણના રહેવાસીઓ હડપ્પન લોકોએ ધાતુવિદ્યામાં નવી શોધો કરી હતી અને તાંબુ, કાંસ્ય અને કલાઇનું ઉત્પાદન કર્યુ હતું.

આશરે 2600 બીસીઇથી 1900 બીસીઇ વચ્ચે પાંગરેલી સિંધુ ખીણની સંસ્કૃતિને ઉપખંડમાં શહેરી સંસ્કૃતિની શરૂઆત તરીકે ગણવામાં આવે છે.પ્રાચિન સંસ્કૃતિમાં આધુનિક ભારતના (Indiaધોળાવીરા (Dholavira), કાલિબાંગન(Kalibangan), રાખીગર્હી (Rakhigarhi), લોથલ(Lothal) તથા આધુનિક પાકિસ્તાનના (Pakistanહડપ્પા(Harappa), ગનેરીવાલા (Ganeriwala), મોહેંજો દડાનો (Mohenjo-daro) સમાવેશ થાય છે.આ સંસ્કૃતિ તેના ઇંટો દ્વારા બંધાયેલા શહેરો, ગટર વ્યવસ્થા અને બહુમાળી મકાનો માટે જાણીતી છે.

તે સિંધુ નદી અને તેની ઉપનદીઓમાં કેન્દ્રીત હતી અને તે ઘગ્ગર-હકરા નદીની (Ghaggar-Hakra River) ખીણ,[૧૧] તથા ગંગા-યમુના દોઆબ (Ganges-Yamuna Doab),[૧૭] ગુજરાત (Gujarat),[૧૮] અને ઉત્તર અફઘાનિસ્તાન (Afghanistan) સુધી વિસ્તરી હતી.[૧૯]

વૈદિક કાળફેરફાર કરો

વૈદિક કાળને (Vedic periodવેદની (Veda) ઋચાઓ સાથે સાંકળતી ઇન્ડો-આર્યન (Indo-Aryan) સંસ્કૃતિ દ્વારા દર્શાવવામાં આવે છે, જે હિન્દુઓ માટે પવિત્ર છે અને તે મૌખિક રીતે વૈદિક સંસ્કૃતમાં (Vedic Sanskrit) રચવામાં આવ્યા હતા. વેદો (Vedas) કેટલાક જૂનામાં જૂના લેખો પૈકી સ્થાન ધરાવે છે, જે ઇજિપ્ત અને મેસોપોટેમિયાના લેખો પછીનાં છે.

આ વૈદિક કાળ ઈસવીસન પુર્વે 1500 થી ઈસવીસન પુર્વે 500 સુધી ચાલ્યો.જે દરમિયાન હિન્દુત્વ (Hinduism) અને જૂના ભારતીય (India) સમાજની કેટલીક સાંસ્કૃતિક બાબતોનો પાયો નંખાયો હતો. આર્યોએ સમગ્ર ઉત્તર ભારતમાં (North India)અને ખાસ કરીને ગંગાતટના પ્રદેશોમાં વૈદિક (Vedic) સંસ્કૃતિને સ્થાપિત કરી.

ઇન્ડો-આર્યન બોલતી જાતિઓના કાયમી વસવાટને પરિણામે આ સમય આવ્યો, જેઓ તેમને આર્યો (ārya, આર્યો(Aryan)) ગણાવતા હતા. તેમણે તે સમયનાં સ્થાનિક લોકોની સંસ્કૃતિને દબાવી દીધી જેમને તેઓ દસ્યુ કહેતા હતાજો કે, આર્ય પ્રજાના મુળ વતન અંગે હજૂ(રાજકીય) વિવાદ ચાલી રહ્યો છે.સેન્ટ્રલ એશિયા અંગે વિદ્રાનો વચ્ચે એકમત સ્થપાયો છે પરંતુ હાલમાં કેટલાક લેખકો તેના આર્યો ભારતીય હોવાનું માને છે. ભારત બહારની થયરી (Out of India)માં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આર્યો(Aryan)ભારતમાંથી બહાર જઈને મધ્ય એશિયા(Central Asia) અને યુરોપમાં વસ્યા હતા.19મી સદીમાં આર્યોના આક્રમણની થિયરી વિદ્વાનો સ્થાળાંતરની વિવિધ થિયરીઓને લઈને તેની વાત કરતા રહ્યા છે. હાલમાં પણ, કેટલાક થિયરીઓ અંગે સંશોધનો થઈ રહ્યા છે.

પુરાણી વૈદિક સમાજમાં ગ્રામ્ય વિસ્તારો વધારે હતા, પરંતુ હરપ્પા સંસ્કૃતિ બાદ માટીના વાસણોનું મહત્વ ઘટ્યું હતું. [૨૦]ઋગવેદ (Rigveda)બાદ આર્ય સંસ્કૃતિ વધુને વધુ ખેતી તરફ વળીતેમજ સામાજીક રીતે વધુ સંગઠીત બની અને ચારવર્ણ (Varnas)માં વહેંચાઈહિંદુઓનાં મુખ્ય ગ્રંથો વેદો(Vedas)ઉપરાંત સંસ્કૃત મહાકાવ્યો રામાયણ(Ramayana) અને મહાભારત (Mahabharata)નાં મુખ્ય કથાનકનો ઉદ્ભવ પણ આજ કાળ દરમિયાન થયો હોવાનું મનાય છે.[૨૧]પુરાતત્વિય સંશોધનોમાં જણાય છે કે ઈન્ડો-આર્યન સંસ્કૃતિમાં પણ માટીના વાસણો (Ochre Coloured Pottery)બનાવવાની કળા અસતિત્વ ધરાવતી હતી[૨૨].

 
અરવાડ (Arwad) બાદ દુનિયાનું બીજા નંબરનું પ્રજાસત્તાક(republic) રાજ્ય લિચ્છાવી(Licchavi)નું વૈશાલી(Vaishali)પાટનગર(capital)હતું. [૨૩]

śyāma ayasકાળી ધાતુના નામે લોખંડનો સૌપ્રથમ ઉલ્લેખ અથર્વવેદ (Atharvaveda)માં મળે છે. ઈ.સ પુર્વે 1000(1000 BCE)માં ઉત્તર-પશ્ચિમ ભારતમાં લોહ યુગની શરૂઆતમાં જ કૂરૂ (Kurus)[૨૪]ઓના સામ્રાજયમાં કાળા અને લાલ કલરના માટીના વાસણો (Black and Red Ware)અને ગ્રે કલરના માટીના વાસણો (Painted Gray Ware)ની આપલે થતી હતી.ઈસ. પુર્વે 1100 થી ઈસ.પુર્વે 600[૨૨] સુધી ઉત્તર ભારતમાં ગ્રે કલરના માટીના વાસણો(Painted Grey Ware)ની સંસ્કૃતિનો ફેલાવો થયો હતો. આદિવાસીની જેમ રહેતા આ લોકો હવે ધીમે ધીમે સામ્રાજયની સ્થાપના તરફ વળવા લાગ્યા હતા જેને તેઓ મહાજનપદ કહેતા હતા.

મહાજનપદફેરફાર કરો

 
ભારત (India)માં આવેલા બિહાર(Bihar)ના બોધ્ધ ગયા (Bodh Gaya)નીફાલ્ગુ (Falgu) નદીને કિનારે બોધ આપતા પહેલા ગૌતમ બુદ્ધે (Gautama Buddha) ઘણી તપસ્યા કરી હતી.
 
ઈસ.પુર્વે 1375-1400 વચ્ચે લખાયેલા કલ્પસુત્ર (Kalpa Sutra)માં જૈન ધર્મ (Jain)ના 24માં તીર્થંકર (Tirthankaraમહાવીર સ્વામી (Mahavira)ના જન્મની વિગતો આપવામાં આવી છે.
 
તે યુગમાં પ્રાચીન ભારત (Ancient India)માં ઈન્ડો-ગંગાના પ્રદેશ (Indo-Gangetic plains)માં 16 શક્તિશાળી મહાજનપદ(Mahajanapadas) હતા, જો કે તેઓ નાના નાના સામ્રાજ્યો હતા.
 
સારીપુટ્ટા (Sariputta)નો સ્તુપ (stupaનાલંદા વિશ્વવિદ્યાલય (Nalanda University) આવ્યો હતો.ઇતિહાસમાં નોંધાયેલી પ્રથમ મહાન યુનિવર્સિટી(university) હતી.

વૈદિક યુગમાં ઉપખંડમાં નાના નાના સામ્રાજ્યોનું અસતિત્વ હતું.જેઓનું વૈદિક, તેમજ ઈસ પુર્વે 1000 થી ઈસ પુર્વે 500માં લખાયેલા બુદ્ધીસ્ટ અને જૈન સાહિત્યમાં ઉલ્લેખ છે. 16 સામ્રાજ્યો કે જેઓ પ્રજાસત્તાક તરીકે ઓળખાતા હતા તેઓનો આ મુજબ છે મહાજન પદ(Mahajanapadas),- કાશી (Kasi), કોસલ(Kosala)અંગ (Anga), મગધ (Magadha), વાજ્જી(Vajji) અથવા વ્રીજી, મલ્લ (Malla), ચેડી (Chedi), વત્સ (Vatsa) અથવા વામસા, કુરુ (Kuru), પાંચાલ(Panchala), મચ્છ (Machcha) અથવા મત્સ્ય, સુરસેના (Surasena), અશાકા (Assaka), અવંતિ(Avanti), ગાંધાર (Gandhara), કંબોજ (Kamboja), આ રાજ્યો ઈન્ડો ગંગા પ્રદેશમાં (Indo-Gangetic plains)વસ્યા હતા આ વિસ્તાર હાલમાં અફઘાનિસ્તાનથી બંગાળ અને મહારાષ્ટ્ર સુધીનો ગણી શકાય છે.સિંધુ ખીણની સંસ્કૃતિ બાદ ભારતમાં શહેરીકરણ આ સમયગાળા દરમિયાન થયું હતું.આ સાહિત્યમાં ઉલ્લેખ કરવામાં આવેલા સામ્રાજ્યોના કેટલાક વંશજો હાલમાં પણ ઉપખંડમાં જોવા મળે છે. કેટલાક રાજાઓ વશંપરંપરાગત રીતે સત્તા પર આવતા હતા જ્યારે કેટલાક રાજાઓને પ્રજા ચુંટતી હતી.તે વખતે ભદ્ર વર્ગના લોકો સંસ્કૃત (Sanskrit) બોલતા હતા પરંતુ ઉત્તર ભારતમાં સામાન્ય લોકો પ્રાકૃત (Prakrit)બોલી બોલતા હતી.16 સામ્રાજ્યો ભેગા બનીને ઈસ પુર્વે 500-400 દરમિયાન સિદ્ધાર્થ ગૌતમ (Siddhartha Gautama)ના સમયમાં ચાર સામ્રાજ્યો અસતિત્વમાં આવ્યા હતાજે ચાર રાજ્યો બન્યા તે વત્સ (Vatsa), અવંતિ (Avanti), કોસલ (Kosala), અને મગધ(Magadha) હતા[૨૫]

તે સમયે હિન્દુ કર્મકાંડ ઘણા જ જટીલ હતી જે માત્ર પુજારીઓ દ્વારા જ કરવામાં આવતા હતા.ઈસ પુર્વે 600-400ની શરૂઆતમાં મહાજનપદ દરમિયાન તેમજ વૈદિક યુગ બાદ અસતિત્વમાં આવેલા ઉપનિષદ (Upanishads)માં એવું માનવામાં આવે છે કે ઉપનિષદમાં ભારતના પ્રારંભિક દર્શનશાસ્ત્રની ચર્ચા કરાઈ છે. ઉપનિષદ (Upanishad)ની ભારતીય તત્વચિંતન (Indian philosophy)પર ભારે અસર છે. બૌદ્ધ અને જૈન (Jainism) ધર્મના વિકાસ સાથે જ આ ઉપનિષદ પણ અસતિત્વમાં હતા. આ ગ્રંથ મુજબ આ સમયગાળાનો સુર્વણયુગ હતા.એવું માનવામાં આવે છે કે ઈસવીસન પુર્વે 537માં રાજકુમાર સિદ્ધાર્થ ગૌતમને “જ્ઞાનપ્રાપ્તી” થઈ. આ બાદ તેઓ રાજકૂમાર ગૌતમ મટીને ‘બુદ્ધ‘ એક જ્ઞાની પુરૂષ બન્યા. આજ સમયગાળા દરમિયાન જૈન ધર્મના 24માં તીર્થંકર (Tirthankaraમહાવીરે(Mahavira) આ જ પ્રકારની નવી વિચારશરણી વિકસાવી હતી જે પછીથી જૈન (Jainism)ધર્મ તરીકે જાણીતી થઈ હતી.[૨૬]જો કે જૈન ધર્મના રૃઢીચુસ્તોનું માનવું છે કે ભગવાન બધુ જ જાણતા હતા.વેદ (Vedas)માં કેટલાક તીર્થંકરો અંગે કહેવામાં આવ્યું છે. શ્રમણ ચળવળ દરમિયાન તેઓના તપનો ઉલ્લેખ છે. [૨૭]બૌધ્ધ અને જૈન ધર્મના ગ્રંથોમાં સંયમવૃતિ પર ભાર મુકવામાં આવ્યો હતો. આ ગ્રંથો પ્રાકૃત(Prakrit)માં હતા જેથી લોકોમાં જલ્દીથી પ્રસરી ગયા હતાઆ ગ્રંથોની હિન્દુ ધર્મના કેટલાક સિદ્ધાંતો પર અસર કરી હતી. જેમાં શાકાહારી, પશુ હિંસા અને અહિંસાના સિદ્ધાંતોનો સમાવેશ થતો હતો.

ભૌગોલિક રીતે જૈન ધર્મ ભારત પુરતો સિમિત રહ્યો હતો જ્યારે બૌધ્ધ સાધુઓ અને સાધ્વીઓએએ બુદ્ધ ભગવાનનો બોધ મધ્ય એશિયા (Central Asia), પુર્વ એશિયા (East Asia), તિબેટ (Tibet), શ્રીલંકા (Sri Lanka) અને દક્ષિણ પુર્વ એશિયામાં ફેલાવ્યો હતો.

*કોરોના સહાય માટે ઓનલાઈન અરજી*

 *કોરોના સહાય માટે ઓનલાઈન અરજી*  કોવિડ-૧૯ મા મૃત્યુ થયેલ વ્યક્તિના વારસદારને ઘરે બેઠા સહાય મેળવવા ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા લોન્ચ ક...