મહીસાગર કે મહિસાગર જિલ્લો
ગુજરાત રાજ્યમાં આવેલો જિલ્લો છે. લુણાવાડા આ જિલ્લાનું મુખ્ય મથક છે.
મહીસાગર જિલ્લો
મહિસાગર જિલ્લોજિલ્લો
ગુજરાતમાં સ્થાનCoordinates: 23°07′59″N 73°37′00″E / 23.133°N 73.6167°Eદેશ ભારતરાજ્યગુજરાતસ્થાપના૨૬ જાન્યુઆરી ૨૦૧૩નામ વ્યુત્પત્તિમહી નદીસરકાર • પ્રકારજિલ્લા પંચાયતવસ્તી (૨૦૧૧) • કુલ૯,૯૪,૬૨૪ભાષાઓ • અધિકૃતગુજરાતી, હિંદી, અંગ્રેજીસમય વિસ્તારIST (UTC+૫:૩૦)ટેલિફોન કોડ+૯૧૨૬૯૦વાહન નોંધણીGJ-35વેબસાઇટhttp://mahisagar.gujarat.gov.in/
ઇતિહાસ
મહીસાગર જિલ્લો ૧૫મી ઓગસ્ટ, ૨૦૧૩એ પંચમહાલ અને ખેડા માંથી છુટો પડ્યો હતો.[૧][૨] ખેડા જિલ્લામાંથી બાલાસિનોર અને વિરપુર તાલુકાઓ વિભાજીત થઈ નવા મહીસાગર જિલ્લામાં જોડાયા, જ્યારે ફાગવેલ અને ગળતેશ્વર નવા તાલુકાઓ બની ખેડા જિલ્લામાં રહ્યા.[૩]પંચમહાલ જિલ્લામાંથી લુણાવાડા, ખાનપુર, કડાણા અને સંતરામપુર તાલુકાઓનો સમાવેશ આ નવા બનેલા જિલ્લામાં થયો છે.[૧]
તાલુકાઓ
મહીસાગર જિલ્લામાં ૬ તાલુકાઓનો સમાવેશ થાય છે.
લુણાવાડાખાનપુરકડાણાસંતરામપુરબાલાસિનોરવિરપુર
લુણાવાડા રજવાડું
લુણાવાડા રજવાડું બ્રિટિશ શાસન દરમિયાનનું ભારતનું એક રજવાડું હતું. તેના છેલ્લા શાસકે ૧૦ જૂન ૧૯૪૮ના રોજ ભારતીય સંઘમાં ભળી જવા માટેની સંધિ પર સહી કરી હતી.
લુણાવાડા રજવાડું લુણાવાડા રજવાડું | |||||
બ્રિટિશ ભારતનું રજવાડું | |||||
| |||||
ઇતિહાસ | |||||
• | સ્થાપના | ૧૪૩૪ | |||
• | ભારતની સ્વતંત્રતા | ૧૯૪૮ | |||
વિસ્તાર | |||||
• | ૧૯૦૧ | ૧,૦૦૫ km2(૩૮૮ sq mi) | |||
વસતિ | |||||
• | ૧૯૦૧ | ૬૩,૯૬૭ | |||
ગીચતા | ૬૩.૬ /km2 (૧૬૪.૮ /sq mi) | ||||
આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા આ પ્રકાશનમાંથી લખાણ ધરાવે છે: ચિશ્લોમ, હ્યુજ, ed. (૧૯૧૧). એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા (૧૧મી ed.). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ. |
લુણાવાડા રજવાડાનો વિસ્તાર ૧,૦૦૫ ચોરસ કિમી હતો[૧]અને બોમ્બે પ્રેસિડેન્સીની તે રેવા કાંઠા એજન્સી હેઠળ આવતું હતું જે પછીથી બરોડા અને ગુજરાત સ્ટેટ્સ એજન્સીમાં ભળ્યું હતું. તેની રાજધાની લુણાવાડા નગર હતી.
ઇતિહાસ
આ રજવાડાની સ્થાપના ૧૨૨૫માં અણહિલવાડ પાટણના સિદ્ધરાજ જયસિંહના વંશજો દ્વારા વિરપુર રાજ્ય તરીકે થઇ હતી. ઇસ ૧૪૩૪માં રાણા ભિમસિંહજીએ રાજધાની લુણાવાડા ખાતે મહી નદીના સામેના કાંઠા પર ખસેડી. અહીં શહેર વસ્યું એ પહેલા આ વિસ્તાર પર સંતરામપુર રજવાડામાં પુવાર રાજપૂતોના આધિપત્ય હેઠળ હતો.
૧૮૨૬માં લુણાવાડા રાજ્ય બ્રિટિશ રક્ષિત બન્યું અને રેવા કાંઠા એજન્સીનું બીજા વર્ગનું રજવાડું હતું. તેની રાજધાની લુણાવાડા નગર હતું. ૧૯૦૧ની વસતી ગણતરી પ્રમાણે દુષ્કાળના કારણે પાછલા દાયકા કરતાં તેની વસતીમાં ૨૮%નો ઘટાડો થયો હતો.[૨]
શાસકો
રજવાડાના શાસકો સોલંકી વંશના રાજપૂતો હતા. વખત સિંહજી (૧૮૬૭–૧૯૧૯) રજવાડાના જાણીતાં શાસક હતા.[૩] રજવાડાંના શાસકો 'રાણા'નું બિરુદ ધરાવતા હતા અને બ્રિટિશરો દ્વારા ૯-તોપોની સલામીઓ મેળવતા હતા.[૪]
રાણાઓ
- ૧૬૭૪ - ૧૭૧૧ બીર સિંઘ (મૃ. ૧૭૧૧)
- ૧૭૧૧ - ૧૭૩૫ નાર સિંહ (મૃ. ૧૭૩૫)
- ૧૭૩૫ - ૧૭૫૭ વખત સિંહ (મૃ. ૧૭૫૭)
- ૧૭૫૭ - ૧૭૮૨ દિપ સિંહ (મૃ. ૧૭૮૨)
- ૧૭૮૨ - ૧૭૮૬ દુર્જન સિંહ (મૃ. ૧૭૮૬)
- ૧૭૮૬ - જગત સિંઘ
- ૧૭૮૬ - ૧૮૧૮ પરબત સિંહ
- ૧૮૧૮ - ૧૮૪૯ ફતેહ સિંહ (મૃ. ૧૮૪૯)
- ૧૮૪૯ - ૧૮૫૧ દલપત સિંહ (મૃ. ૧૮૫૧)
- ૧૮૫૧ - ૧૮૫૨ ખાલી
- ૧૮૫૨ - જૂન ૧૮૬૭ દલિલ સિંહ (મૃ. ૧૮૬૭)
- ૩૧ ઓક્ટોબર ૧૮૬૭ – ૨૭ એપ્રિલ ૧૯૨૯ વખત સિંહ દલિલ સિંહ (જ. ૧૮૬૦ - મૃ. ૧૯૨૯) (૨૫ મે ૧૮૮૯ થી સર વખત સિંહ દલિલ સિંહ)
- ૨૭ એપ્રિલ ૧૯૨૯ – ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ વીરભદ્ર સિંહ રણજિત સિંહ (જ. ૧૯૧૦ - મૃ. ૧૯૮૬
મહી નદી
મહી પશ્ચિમ ભારતમાં આવેલી એક નદી છે. તે મધ્ય પ્રદેશમાંથી નીકળીને રાજસ્થાનના વાગડ વિસ્તારમાં થઇને ગુજરાતમાં દાખલ થાય છે અને અરબી સમુદ્રમાં ભળી જાય છે. તે નર્મદા અને તાપી નદીઓની જેમ પશ્ચિમ દિશામાં વહેતી એક નદી છે. જ્યારે મોટાભાગની ઉચ્ચપ્રદેશની નદીઓ પૂર્વ દિશામાં વહીને બંગાળના અખાતમાં ભળે છે.
મહી નદી દેશ ભારત સ્ત્રોત - સ્થાન મધ્ય પ્રદેશ, વિંધ્યાચલ મુખ ખંભાતનો અખાત (અરબી સમુદ્ર) - સ્થાન આણંદ જિલ્લો, ગુજરાત લંબાઈ ૫૮૦ km (૩૬૦ mi) અંદાજે Discharge for સેવલિયા - સરેરાશ ૩૮૩ m3/s (૧૩,૫૨૬ cu ft/s) [૧] - મહત્તમ ૧૦,૮૮૭ m3/s (૩,૮૪,૪૭૧ cu ft/s) - ન્યૂનતમ ૦ m3/s (૦ cu ft/s) મહી નદીનું ચોક્કસ ઉદ્ભવ સ્થાન મિન્ડા ગામ છે, જે મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં આવેલું છે.
મહી નદીના કાંઠે સંખ્યાબંધ ધાર્મિક સ્થળો આવેલા છે. તે તેના વિશાળ પટના કારણે મહી સાગર તરીકે પણ જાણીતી છે. ગુજરાતમાં મહીસાગર જિલ્લો મહી નદીના નામ પરથી બનાવવામાં આવેલો છે.
બંધો
બાંસવારા બંધ
મહી નદી પર રાજસ્થાનમાં બાંસવારા નજીક બંધ આવેલો છે. ગુજરાતને મોટાભાગે આ બંધમાંથી પાણી મળે છે. આ બંધને ૧૬ દરવાજા આવેલા છે. બંધના સરોવરમાં ઘડિયાલ, મગર અને કાચબાઓની જીવસૃષ્ટિ રહેલી છે.
કડાણા બંધ
કડાણા બંધ ૧૯૭૯ની સાલમાં સિંચાઇ અને જળવિદ્યુતના હેતુ સર બાંધવામાં આવ્યો હતો.[૨]
વણાકબોરી બંધ
વણાકબોરી ગામ ખાતે મહી નદી પર સિંચાઇ યોજના હેઠળ બંધ બાંધવામાં આવેલો છે.[૩] આ ઉપરાંત અહીં વણાકબોરી તાપ વિદ્યુત કેન્દ્ર પણ આવેલું છે.
રૈયોલી (તા. બાલાસિનોર)
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામરૈયોલી (તા. બાલાસિનોર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા મહીસાગર જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક તથા એક સમયના બાબી વંશના રાજ્ય એવા ઐતિહાસિકબાલાસિનોર તાલુકામાં આવેલું એક ગામ છે. રૈયોલી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલનછે. આ ગામમાં મુખ્યત્વે મકાઈ, બાજરી, કપાસ, દિવેલી, તમાકુ, બટાટા, શક્કરીયાં તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
રૈયોલી — ગામ — અક્ષાંશ-રેખાંશ 22°57′21″N 73°20′11″E / 22.955891°N 73.336499°E દેશ ભારત રાજ્ય ગુજરાત જિલ્લો મહિસાગર તાલુકો બાલાસિનોર અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧] સમય ક્ષેત્ર ભારતીય માનક સમય(+૦૫:૩૦) સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન મુખ્ય ખેતપેદાશો મકાઈ, બાજરી, કપાસ,દિવેલી, અહીં બાલાસિનોર અશ્મિય ઉદ્યાન આવેલો છે જે ભારતના જુરાસિક પાર્ક તરીકે પ્રસિદ્ધ છે. અહીંથી ડાયનાસોરનાં ઈંડા, હાડકા વગેરેનાં અશ્મિ મળી આવેલાં છે. અહીંથી ૧૩ પ્રકારનાં ડાયનાસોરનાં અવશેષો મળ્યા છે. ફોસિલ પાર્કની આ સાઈટ વિશ્વની દ્વિતિય ક્રમની વિશાળ સાઈટ છે.
બાલાસિનોર
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામબાલાસિનોર અથવા વાડાસિનોર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહીસાગર જિલ્લામાંથીછૂટા પાડીને બનાવવામાં આવેલા મહીસાગર જિલ્લામાંઆવેલું એક નગર છે. બાલાસિનોર ખાતે બાલાસિનોર તાલુકાનું મુખ્ય મથક આવેલું છે.
બાલાસિનોર — નગર — અક્ષાંશ-રેખાંશ 22°57′22″N 73°20′18″E / 22.9561804°N 73.3383751°E દેશ ભારત રાજ્ય ગુજરાત જિલ્લો મહીસાગર જિલ્લો વસ્તી ૩૩,૭૦૪ (૨૦૦૧) અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧] સમય ક્ષેત્ર ભારતીય માનક સમય(+૦૫:૩૦) વિસ્તાર • ઉંચાઇ
• 72 metres (236 ft)
કોડઇતિહાસ
ભારતની આઝાદી પૂર્વે, બાલાસિનોર 'બાલાસિનોર રાજ્ય' નામે રજવાડું હતું જે બાબી વંશ, મરાઠા તેમ જ અંગ્રેજોના શાસન હેઠળ રહી ચુક્યું હતું. અહીંના વેપારીઓની તેમ જ ઉત્પાદકોની શાખ ઘણાં વર્ષો પહેલાં દેશ-વિદેશમાં હતી.
ભૂગોળ
સમુદ્રની સપાટીથી આ શહેરની સરેરાશ ઊંચાઇ ૭૨ મીટર (૨૩૯ ફીટ) છે. આ શહેર રાજ્ય ધોરીમાર્ગ ૨ પર વસેલું છે.
પ્રવાસન
- સુદર્શન તળાવ
- કેદાર મહાદેવ
- ભીમભમરડા
- હનુમાન ટેકરી
- ડાયનોસોર પાર્ક રૈયોલી ગામે (બાલાસિનોર થી ૧૧ કિ.મી)
- કેડીગઢ મહાકાલી મંદિર (બાલાસિનોર થી રર કિ.મી)
- જુનુ પ્રચીન લીલવણીયા મહાદેવ મદિર (જેઠોલી)
- અંબાજી મંદિર
- વણાકબોરી ડેમ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો