સોમવાર, 20 ઑગસ્ટ, 2018

આપણો સાંસ્કૃતિક વારસો

આપણો સાંસ્કૃતિક વારસો
​*વિશ્વમાં એશિયા ખંડ વિસ્તાર અને જનસંખ્યા બંનેની ર્દષ્ટિએ સૌથી મોટો ખંડ છે.
*એશિયા ખંડમાં ભારત વિસ્તાર અને  વસ્તીમાં મોટો દેશ  છે.
*ભારતની ધરતી સુજલામ અને સુફલામ છે.
*સિંધુ ખીણની સંસ્કૃતિ ના લોકોથી આજ દીન સુધીના લોકોએ ભારતને પોતાની બુધ્ઘિશક્તિ, આવડત અને કૌશલ્યો દ્વારા સમૃદ્ઘ બનાવ્યું છે.
*ભારતની સંસ્કૃતિના ઘડતરમાં કોનેકોને ફાળો આપ્યો છે?
*ભારતની સંસ્કૃતિના ઘડતરમાં અસંખ્ય ઋષિમુનિઓ, સંતો, વિદુષિઓ, ઇતિહાસવિદો, વિદ્વાનો, વૈજ્ઞાનિકો, સંશોધકો, કલાકારો, કારીગરો વગેરેએ સંસ્કૃતિના ઘડતરમાં ફાળો આપ્યો છે.
*માનવસમાજ અને પ્રાણીસમાજ વચ્ચે પાયાનો તફાવત ક્યો છે?
*સંકૃતિ અને સભ્યતાનો છે.
સંસ્કૃતિનો અર્થ
*માનવ મનનું ખેડાણ
*ગુફા થી ઘર સુધીની માનવ વિકાસની યાત્રા.
*સંસ્કૃતિ એટલે કોઇ પણ પ્રજાસમૂહની આગવિ જીવનશૈલી છે.
*સંસ્કૃતિમાં વિચારો, બુદ્ઘિ, કલા-કૌશલ્ય અને સંસ્કારિતાના મૂલ્યો નો સમાવેશ થાય છે.
*ઇતિહાસવિદો અને વિચારકોના મતે
*સંસ્કૃતિની ઉષા ભારતમાં પ્રગટી હતી.
*ભારતિય સંસ્કૃતિ ઉપયોગીતાના સંદર્ભવાળી અને વ્યવસ્થિ અને આયોજનપૂર્વકની હતી.
*ભારતિય સંસ્કૃતિ સત, ચિત અને આનંદ ની અનુભૂતિનું સામર્થ્ય ધરાવતી હતી.
*ભારતીય સંકૃતિનું મુખ્ય ધ્યેય
*ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે.
ભારતિય સંસ્કૃતિના વિશિષ્ટ લક્ષણો
*અનેક વિચાર ધારાનું સંગમર્તીથ
*બીજી સંસ્કૃતિના સારા પાસાઓનો  સ્વીકાર
*પોતાની સંસ્કૃતિના ફેલાવા માટે કોઇ  પણ પ્રજા પર આક્રમણ ર્ક્યું નથી.
*(1) પ્રાચીનતા અને સાતત્ય
*(2) વિવિધતામા એકતા
*(3) સહિષ્ણુતા
*(4) આધ્યાતમિકતા અને ભૌતિક વાદનો સંગમ

ભારતમાં આર્યો ઑસ્ટ્રેલૉઇડપ્રજાને નિષાદ કહેતા
* ભારતમાં નિષાદ જાતિના વિશેષ તત્વો
* કોલ અને મુંડા જાતિમાં,
* અસમની ખાસી જાતિમાં અને
* નિકોબાર અને બ્રહ્મ દેશ ની જાતિઓમાં જોવા મળે છે.
* ભારતિય સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં ઑસ્ટ્રેલૉઇડ પ્રજાનો ફાળો વિશેષ રહેલો છે.
* તેઓ માટીના વાસણો બનાવવા, ખેતીકરવી, સુતરાઉ કાપડનું વણાટકામ કરવુ, જેવા કૌશલ્ય માટે જાણીતા હતા,
* તેઓ ધાર્મિક માન્યતાઓ પણ ધરાવતા હતા.
* (3) દ્વવિડ
* આર્યો પહેલા દ્વવિડ ભાષા બોલાતા દ્વવિડ લોકો વસતા હતા.
* દ્વવિડલોકો પાષાણયુગની સંસ્કૃતિના સીધા વારસદાર છે. અને મોહેં- જો- દડોની સંસ્કૃતિના સર્જકો ગણાય છે.
* દ્વવિડોએ માતારૂપે દેવી અને પિતૃ રૂપ પરમાત્માનો વિચાર આપ્યો, આથી પાર્વતી અને શિવનો ખ્યાલ વિકસ્યો.
* પ્રકૃતિની પૂજા અને પશુની પૂજા દ્વવિડોની ભેટ છે.
* ધૂપ, દીપ અને આરતીથી પૂજા દ્વવિડોની ભેટ છે.
* ઇંટોના મકાનો બાંધી નગર-સભ્યતા વિકસાવનારા દ્વવિડો હતા.
* દ્વવિડોએ આકાશી ગ્રહો, હોડીઓ, તરાપા, કાંતવું, રંગવું વગેરે કલાઓનો વિકાસ કર્યો હતો
* તીર, ભાલા, તલવાર એમના શસ્ત્રો હતા,
* ખેતી અને કાપડ વણટના ઓજારોથી તે પરિચીત હતા.
* આર્યોના પ્રભુત્વબાદ તેવો દક્ષિણ તરફ ખસતા ગયા અને ત્યાં સ્થિર થયા.
* આજે દ્વવિડ કુળની ભાષાઓ તેલુગી, કન્નડ અને મલયાલમ ભાષા બોલત લોકો દક્ષિણ ભારતમાં જોવા મળે છે.
* (4) અન્ય પ્રજાઓ
* અલ્પાઇન, ડિનારિકા અને આર્મેનોઇડ આ ત્રણે જતિના ભૌતિક ગુણધર્મો સમાન છે.
* આ પ્રજાના અંશો ગુજરતમ સૌરાષ્ટ્ર, માહારાષ્ટ્ર, પ.બંગાળા, ઓરિસ્સા વગેરેમાં જોવા મળે છે.
* મોંગોલોઇડ – (કિરાત)
* મોંગોલોઇડલોકો નાં શારીરિક લક્ષણો – પીળા વર્ણ, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ, બદામી આકરની આંખો વગેરે હતા.
* (5) આર્યો (નોર્ડિક)
* આર્યો સમકાલીન પ્રજા કરતા વિકસીત પ્રજાહ હતી
* આર્યો પ્રકૃતિપ્રેમી પ્રજા હતી
* આર્યો વૃક્ષો, નદીઓ, પહાડો, સૂર્ય, વાયુ, વરસાદ વગેરેની પૂજા- અરાધાના કરતા હતા.

તેમને સ્તુતિ (ઋચા) ની રચના કરી હતી
* તેમાંથી ધાર્મિક વિધિઓ ઉદભવી અને પછી યજ્ઞયાગાદિ ક્રિયાઓ ભારતમાં શરૂ થઇ હતી
* આમ ભારતમાં સમનવ્ય કારી સંસ્કૃતિનુ સર્જન થયું
* ભારતમાં આર્યસભ્યતાના સર્જક આર્યો હતા
* આર્યોએ ભારતમાં આવેલ વિવિધ પ્રજાના વિશિષ્ટ સાંસ્કૃતિક તત્વો અપનાવિને સમન્વય કારી ભારતિય સંસ્કૃતિનું સર્જન કર્યુ.
* આ બધી જાતિ વચ્ચે લગ્નસંબંધો દ્વારા પ્રજાઓનું સંમિશ્રણ થતુગયુ
* આ બધાની એક વિશિષ્ટ રહેણી કરણી અનેક ભાષાઓ, વિચારો, ધર્મિક મન્યતાઓ, વગેરેનો સમનવ્ય થતો ગયો.
* આ સમનવ્ય કારી સંસ્કૃતિના આકર્ષણ કારણે વિદેશી પ્રજાઓ ભારત તરફ ઉતરી આવી.
* ઇ.પૂ. બીજી સદીની શરૂઆત થી વિદેશી પ્રજાના આગમનનો એક નવો યુગ શરૂ થયો
* સિકંદરની ભારત પરની ચડાઇથી ગ્રીકો ભારતમા આવ્યા.
* પછી શકો, કુષાણ, પહલવો, હૂણો વગેરે પ્રજા આવી
* અહીંની પ્રજાઓ સાથે લગ્નસંબંધો, કૌટુંબીક સંબંધો અને સામાજીક- આર્થિક સંબંધો પરસ્પર બંધાતા તેઓ ભારતિય બની ગયા.
* દા.ત. મિનેન્ડર નામનો ગ્રીક રાજવી મિલિન્દ તરીકે ઓળખાયો
* વિદેશીઓના ભારતિય કરણમાં ધર્મે મહત્વનો ભાગ ભવ્યો છે.
* દા.ત. કુષાણ રાજવી સમ્રાટ કનિષ્ક પ્રથમે બૌધ્ધ ધર્મ અપનાવિ તેનો પ્રચાર કર્યો.
* ભારતિય સંસ્કૃતિ ભાતીગળ બની
* વિદેશી પ્રજાઓએ માત્ર ધર્મ જ નહી પણ રીત-રીવાજો, ભાષાઓ, ભારતીય નામો. અપનાવિલીધા આમ ભારતિય સંસ્કૃતિ ભાતીગળ બની.
સાંસ્કૃતિક વારસાનું મહત્વ
* સંસ્કૃતિ એટલે – આપણી પાસે જે કાંઇ છે તે.
* સભ્યતા એટલે – આપણે જે કાંઇ છીએ તે
વારસો એટલે શું?
સંસ્કૃતિની વિભિન્ન બાબતો એક પેઢી પોતાની અનુગામી પેઢીને વારસામાં આપતી જાય છે. તે પેઢી તેમાં પોતે શીખેલ બાબતોનો ઉમેરો કરી તેની અનુગામી પેઢીને આપે તે પેઢી તેમાં વિવિધ બાબતોનો ઉમેરોકરીને તેની અનુગામી પેઢીને આપે તે વારસો.

* માનવસમાજનું અસ્તિતવ અને સાતત્ય પણ આ સંસ્કૃતિને આભારી છે.
માનવીના સામાજિક, આર્થિક, ધાર્મિક, સાંસ્કૃતિક જીવનનાં વિભિન્ન પાસાઓ ઉપર સંસ્કૃતિની ઘેરી અસર પડે છે.
* વ્યક્તિના આહાર, પોશાક વસવાટ, કૌટુંબિક જીવન અને તેની અભિવ્યક્તિની રીતો, મનોરંજન મેળવવા ની રીતો, બોલવાની ઢબ, અર્થ ઉપાર્જનની રીતો વગેરે સંસ્કૃતિ દ્વારા નક્કી થાય છે.
* ભારતીય સાંસ્કૃતિક વારસામાં કઇકઇ બાબતોનો સમાવેશ થાય છે?


ભારતનો ભવ્ય વારસો
સાંસ્કૃતિક વારસો
* માનવીએ પોતાની બુધ્ધિશક્તિ, આવડત, કલા- કૌશલ્ય દ્વારા જે કાંઇ સર્જ્યુ તેને સાંકૃતિક વારસો કહેવાય.
* સાંસ્કૃતિક વારસો એટલે માનવસર્જિત વારસો.
* ભારતે પ્રાચીન સમયથી વિશ્વને અનેક ભેટો ધરી છે.
* ભારતમાં શિલ્પો કંડારવાની કળા 5000 વર્ષો જુની છે.
* જેના સાક્ષી સિંધુ ખીણના અવશેષો ગણી શકાય
* દેવદેવીઓની આકૃતિઓ, પશુઓ, કેટલાક રમકડાઓ, દાઢીવાળા પુરૂષનુ શિલ્પ, નર્તકીની મૂર્તિઓ વગેરે ગણી શકાય.
* મૌર્યયુગ દરમિયાનનું ઊંધા કમળની અકૃતિ ઉપર વૃષભ કે સિંહનું શિલ્પ
* બુધ્ઘનું પ્રજ્ઞાપારમિતાનું શિલ્પ, સરનાથની ધર્મચક્રવાળી ગૌતમ બુધ્ધની પ્રતિમા કે
* જૈન તીર્થકરોની પ્રતિમાંઓ અને ઇલોરાની ગુફાઓના શિલ્પો
* આ બધા સાંસ્કૃતિક વારસાના મહતવના અંગો છે.
* આપણા સાંસ્કૃતિક વારસામાં
* રાજમહેલો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મંદિરો,
* મસ્જિદો, મકબરાઓ, ગુંબજો, કિલ્લાઓ, દરવાજાઓ,
* ઉત્ખન કરેલા સ્થળો, તેમજ ઐતિહાસિક સ્મારકો વગેરેનો સમાવેશ થાય છે.
* ભારતીય સાંસ્કૃતિનું સાતત્ય જળવાયું છે?
* કારણ કે આપણા સાંસ્કૃતિક વારસાને દરેક પેઢીએ સાચવ્યો છે.તેનું સંવર્ધન ર્ક્યું છે. તેથી
ભારતભૂમિ અને તેના લોકો
* ભારતમાં વિશ્વની બધીજ જતીના લોકોના જાતિ તત્વો મળી આવે છે
* ભારતની પ્રાચીન પ્રજા તરીકે દ્વ્રવિડોને ગણવામાં આવે છે.
* પણ ભાષાશાસ્ત્રીઓ અને નૃવંશશસ્ત્રીઓના મતે દ્વ્રવિડો પહેલા છ(6) જાતિ ભારતમાં રહેતી હતી.
* ભારતના ધડતરમાં આ બધી જ જાતિઓનો ફાળો રહેલો છે.
* (1) નેગ્રીટો પ્રજા (હબસી) (નીગ્રો)
* કેટલાક ઇતિહાસકારો નીગ્રો પ્રજાને ભારતના સૌથી પ્રચીન નિવાસી ગણે છે.
* તે વર્ણે શ્યામ, 4 થી5 ફૂટ ઊંચા અને વાંકડિયા વાળ ધરાવે છે
* (2) ઑસ્ટ્રેલૉઇડ (નિષાદ પ્રજા)
* આ પ્રજા અગ્નિએશિયામાં થી આવેલી છે.
* રંગે શ્યામ, લાંબું અને પહોળુ માથું, ચપટું નાક, ટૂંકુ કદ એ એમની શારીરિક વિશેષતાઓ હતી.

પ્રકૃતિક વારસામાં --
* પર્વતો, સાગરો, સરિતાઓ, તળાવો, સરોવરો, જંગલો વગેરેનો સમાવેશ થાય છે.
* સાંસ્કૃતિકવારસામાં
* રાજમહેલો, ઇમરતો, શિલાલેખો, સ્તુપો, વિહારો, ચૈત્યો, મંદિરો, મસ્જિદો, મકબરા, ગુંબજો, કિલ્લાઓ, દરવાજાઓ, પૌરાણિક અને ઉત્ખનન કરેલ સ્થળો, ઐતિહાસિક સ્થળો વગેરેનો સમાવેશ થાય છે.
આપણા વારસાનું જતન અને સંરક્ષણ
* આપણા રાજ્યબંધારણની કલમ- 51 (ક) માં ભરતના નાગરિકની જે મૂળભૂત ફરજો દર્શાવી છે. તેમાં પણ (છ) (જ) અને (ટ) અર્થાત (6), (7) અને (9) માં દર્શાવ્યા મૂજબ
* આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ઘ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવાની
* જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ-પક્ષિઓ સહિત પર્યાવરણનુ જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને સર્વજીવો પ્રત્યે અનુંકંપા રાખવાની
* જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
* ભારતના પ્રત્યેક નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ કઇ?
* આપણા પણાં પ્રાચીન સ્મારકો, ઐતિહાસિક મૂલ્ય ધરાવતા સ્થળો વગેરેને કોઇ નુકસા ન પહોંચાડે અને તેનું જતન કરે તે છે.
ભારતનો સમૃદ્વ વારસો
* ભારતના સમૃદ્ધ વારસાના કારણો
* ભારત અનેક ભૌતિક અને ભૌગોલીક વિશિષ્ટતાઓ ધરાવે છે.
* પરસપર વારસાનુ આદાન પ્રદાન
* અનેક પ્રજા ભારતમાં આવીને ભળી ગઇ છે
વારસો
* વારસો એક બાજુ એ કોઇ એક સ્થાન, ક્ષેત્ર અથવા તો પ્રદેશ સાથે જોડાયેલો હોય છે.
* વારસો બીજી તરફ એક કુંટુંબ, સમુદાય સાથે જોડાયેલો હોય છે. તે તેની એક વિશિષ્ટ ઓળખ પણ આપે છે.
* વારસા ના પ્રકારો
* (1 ) પ્રાકૃતિક વારસો
* ( 2) સાંસ્કૃતિક વારસો
પ્રાકૃતિક વારસો
* પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ
* પ્રાકૃતિક વારસોમાં પર્વતો, વનો, રણો, નદીઓ, ઝરણા,સાગરો, ઋતુઓ,તરુઓ,
વેલા-લતાઓ જીવજંતુંઓ વગેરેનો સમાવેશ થાય છે.
* નદી,પર્વતો, વૃક્ષો, પશુઓ વગેરે પ્રકૃતિના તત્વોને આપણે દૈવી રૂપે સ્વીકારેલ છે.
* નદીઓને આપણએ લોકમાતા તરીકે ઓળખીએ છીએ.
* તુલસી,પીપળો,વડ વગેરેની આપણે પૂજા કરીએ છીએ.
* કેટલાય પશુ- પક્ષીઓને દેવતાઓના વાહન તરીકે સ્વીકાર કર્યો છે.
* પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ઘાપૂર્વકનો રહ્યો છે.
* આપણા શાસ્ત્રીય અને લોકસંગીતને પ્રકૃતિ અને ઋતુઓ સાથે ગાઢ સંબંઘ છે.
* કેટલાય રાગો તો દિવસના જુદા જુદા પ્રહરના આધારે છે.
* આપણા ગીતો, કવિતાઓ તહેવારો અને ચિત્રાકંનો પ્રકૃતિ પર જ આધારીત છે.
* આયુર્વેદીક, યુનાની અને પ્રાકૃતિક ચિકિત્સા પધ્ધતી પ્રકૃતિ પર આધારીત છે.
* આપણા પ્રકૃતિક વારસાના ઘડતરમાં ભૂમિર્દશ્યો, નદીઓ, વનસ્પતિઓ અને વન્યજીવોએ
અગત્યનો ભાગભજવ્યો છે.
* ભૂમિર્દશ્યો ભૂમિ- આકારોદ્વારા ભૂમિર્દશ્યોનું સર્જન થાય છે.
* દા.ત. હિમાલય ભારતની પ્રજાને નદીઓ –ઝરણા, તરાઇના જંગલો ની ભેટ આપેલ છે.
* આવા ભૂમિર્દશ્યો લોકોના જીવનના વિવિધ પાસાઓ પર ગાઢ અસર કરે છે,
* દા.ત વ્યવસાયો, રીવાજો, રહેણીકરણી વગેરે…
નદીઓ
* ભારતમાં નદીઓ લોકમાતાઓ રહી છે.
* ભારતની સંસ્કૃતિ સિંધુ અને રાવી નદી કિનારે પાંગરી હતી.
* ગંગા,રાવી સિંધુ, નર્મદા, યમુના, સરસ્વતી વગેરે નદીઓ ની
* પ્રગાઢ અસર લોકજીવનપર છે.
* પીવા,વપરાશ અને સિંચાઇ માટેનું પાણી -
* નદી કિનારાની માટી નો વાસણો, મકાનો, લિંપણ વગેરેમાં ઉપયોગ કર્યો છે.
* નદીએ કલાસૂઝ અને કૌશલ્ય વિકાસમાં ઘણો મોટો ફાળો આપ્યો છે.
* વનસ્પતિ
* પ્રાચીન સમયથી ભારતના લોકો પર્યાવરણ પ્રેમી છે.
* આપણા દેશમાં વડ,પીપળો, લીમડો, તુલસી વગેરેને પવિત્ર ગણવામાં આવે છે.
* આંબળા, હરડે, બહેડા, કુંવરપાઠુ, તુલસી વગેરે આપણા ઔષધિય છોડ છે.
* તુલસીના છોડની આપણે પૂજા કરીએ છીએ. અને વડસાવિત્રીનુ વ્રત કરીએ છીએ
વન્ય જીવન
* આપણો દેશ પ્રાણીપ્રેમી અને પ્રકૃતિપ્રેમ ધરાવતો દેશ છે.
* ભારતીય સંસ્કૃતિને પ્રાણીઓ વૈવિધય સભર બનાવે છે.
* મૃત હાથીના દંતશૂળ અને વાધ- સિંહના ચામડા મૂલ્યવાન છે.
* ભારતે રાષ્ટ્રચિહનમાં સિંહની આકૃતિ મૂકીને તેનું મુલ્ય પિછાણું છે.
* ભારતે વન્ય જીવન માટે કાયદો કર્યો છે. તેમજ અભયારણ્યો પણ સર્જ્યા


ગાંધીયુગનાંરાષ્ટ્રીય આંદોલનો-1​
ગાંધીજીનો સત્યાગ્રહ અંગેનો સિદ્ધાંત
ગાંધીજીનો જ્ન્મ 2 ઓક્ટોબર, 1869ના રોજ ગુજરાતમાં પોરબંદર મુકામે થયો હતો.ઇંગ્લૅન્ડમાં વકીલાતનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી બેરિસ્ટરની ડિગ્રી મેળવી તેઓ ઇ.સ.1893માં વકીલ તરીકે દક્ષિણ આફ્રીકા ગયા. ત્યાં રંગભેદને લીધે હિંદીઓનાં થતાં અપમાન અને ગોરઓના અન્યાયી, ભેદભાવભર્યા અને શરમજનક વર્તન સામે ગાંધીજીએ લડત ચલાવી.આ લડતને આપણે સત્યાગ્રહ તરીકે ઓળખીએ છીએ.આ લડત દ્રારા તેમણે હિન્દીઓને ઘણખરા અન્યાયોમાંથી મુક્તિ અપાવી હતી.
જાન્યુઆરી, 1915માં ગાંઘીજી ભારત આવ્યા. સૌપ્રથમ તેમણે અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના કરી અને ત્યાર બાદ સાબરમતી નદી કિનારે સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી.એ પછી બિહારમાં ચંપારણ સત્યાગ્રહ,ગુજરાતમાં ઇ.સ. 1917માં ખેડા સત્યાગ્રહ અને ઇ.સ. 1918માં અમદાવાદમાં મિલમજૂરોની હડતાલના પ્રશ્ને ગાંઘીજીએ સફળ નેતાગીરી પૂરી પાડી. આમ,પ્રારંભિક સત્યાગ્રહો કે લડતમાં સફળતા મળતાં ભારતના રાજકીય રંગમંચ ઉપર ગાંધી નામના સિતારાનો ઉદય થયો.એમણે ભારતના વિભિન્ન પ્રદેશોના અને વર્ગોના લોકોમાં અપૂર્વ ઉત્સાહ અને જગૃતિ પેદા કરી લગભગ 30 વરસ સુથી ભારતની સ્વતંત્રતાની ચળવળને દોરવણી આપી.આથી ભારતના ઇતિહાસમાં એ સમયગાળો ગાંધીયુગ તરીકે ઓળખાય છે.
ભારતના રાજકીય રંગમંચ ઉપર જે સમયે ગાંધી પ્રવેશ્યા અને પ્રખ્યાત બન્યા એ સમયગાળામાં કૉંગ્રેસના અગાઉના આગળ પડતા નેતાઓમાંથી મોટા ભાગના અવસાન પામ્યા હતા તો કેટલાકે રાજકીય સંન્યાસ લીધો હતો.દા.ત., શ્રી અરવિંદ ઘોષ. કૉંગ્રેસના પ્રમુખ નેતા ટીળક પણ ઈ.સ. 1920માં મૃત્યુ પામ્યા. આથી હિંદના રાજકારણ અને કોંગ્રેસ ઉપર ગાંધીનો પ્રભાવ વધ્યો. આ સાથે ભારતની રાષ્ટ્રીય લડતમાં એક નવા તબક્કાની શરૂઆત થઈ. આ તબક્કામાં કોંગ્રેસની અને રાષ્ટ્રીય લડતની કામ કરવાની પદ્ધતિમાં અસરકારક ફેરફાર થયો. એ પદ્ઘતિ અસહકાર, સવિનય કાનૂનભંગ અને સત્યાગ્રહની હતી. તેના શસ્ત્રો સત્ય, અહિંસા, ઉપવાસ અને રેંટિયો હતા.
આ તબક્કાની બીજી એક વિશેષતા એ હતી કે ગાંધીજીના આગમન પહેલાં ભારતની રાષ્ટ્રીય લડત મુખ્યત્વે શહેરો અને શિક્ષિત મધ્યમવર્ગ પૂરતી સીમિત હતી.મજુરો,ગામડાંના ખેડૂતો અને પ્રજાના વિવિધ વર્ગો તેનાથી અલિપ્ત હતા.રાષ્ટ્રીય લડત બની ન હતી પરંતુ ગાંધીજીએ ભારતના વિભિન્ન પ્રદેશ અને વર્ગના લોકોને કોઇક ને કોઇક રીતે લડતમાં સામેલ કરીને ભારતની રાષ્ટ્રીય લડતને સાચા અર્થમાં દેશવ્યાપી અને આમપ્રજાની લડતમાં પલટી નાંખી.
ગાંધીજીના નેતૃત્વ નીચે લડાયેલ તમામ લડતો અહિંસક હતી.અહિંસા અંગેના ગાંધીજીના વિચારો ઇ.સ.1915 પહેલાં ઘડાઇ ચૂક્યા હતા.ઉપર જોયું તે પ્રમાણે દક્ષિણ આફ્રીકામાં હિંદીઓના અઘિકારો માટે તેમણે ત્યાંની ગોરી સરકાર સામે અહિંસક સત્યાગ્રહ કરી તેને મૂંઝવણમાં મૂકી દીધી હતી.આ લડતમાંથી ગાંધીજી ઘણુ શીખ્યા અને ઘડાયા હતા.સત્યાગ્રહ અંગે તેમનો સિધ્ધાંત એવો હતો કે,કોઇ પણ લડત ઉપાડતાં પહેલાં એ અંગેની બધી જ બાબતો ઝીણવટપૂર્વક તપાસવી જોઇએ અને લડત સંપૂર્ણપણે ન્યાયી છે કે નહિ તેની પણ ચકાસણી કરવી જોઇએ.તેમાં લાગણીના પ્રવાહને બદલે લાંબા ગાળાની યોજના હોવી જોઇએ. આપણી લડત સાચી છે તેની ચોક્કસ રીતે પ્રતીતિ થાય એટલે લડતનું લક્ષ્ય પ્રાપ્ત કરવા ગમે તેટલું સહન કરવું પડે તે સહન કરવાની તૈયારી હોવી જોઇએ.
ગાંઘીજીની વિચારસરણીના મૂળમાં વર્ગસંઘર્ષને સ્થાન ન હતું. સમાજના વિવિઘ વર્ગો વચ્ચે સહકાર અને સહયોગ સાધીને ન્યાયી અર્થવ્યવસ્થાની રચના કરવાના તે ચુસ્ત હિમાયતી હતા.આવો સહયોગ આઝાદીની લડતને જનતાની લડતમાં પલટવવાના એક વ્યૂહ તરીકે તે સમયના સંદર્ભમાં જોઇએ તો પણ અનિવાર્ય હતો.
ગાંઘીયુગનાં રાષ્ટ્રીય આંદોલનો પ્રજાકીય આંદોલનોમાં પલટાયા.તેનુ મુખ્ય કારણ આંદોલન અંગેની ગાંઘીજીની વિચારસરણી અને લડતની પદ્ધતિનુ હતું.ગાંઘીજી લોકોને તેમનું નૈતિક બળ કેળવવાનું કહેતા અને તેમના ધ્યેયને પાર પાડવા માટે જે કંઇ ભોગ આપવો પડે તે આપવાનું કહેતા.ગાંઘીવાદી આંદોલનો શસ્ત્રો દ્ધારા નહિ પણ વાટાઘાટો દ્ધારા થયા હોઇ બ્રિટિશરો તેમના અજેય શસ્ત્ર દમનનો ઉપયોગ સરળતાથી કરી શકે તેમ ન હતા.લડતની સબળતા પુરવાર કરવા જરૂરી તમામ પુરાવાઓ ભેગા કરવાની ગાંઘીજીની પદ્ધતિનુ એક આગવું મહત્વ હતું,કારણ કે તેનાથી આંદોલનકારીઓને રાજકીય અને નૈતિક શિક્ષણના પાઠો શીખવાના મળતા હતા.
સમયની દષ્ટિએ ગાંઘીજી ભાગ્યશાળી હતા. બ્રિટિશ શાસનની અનેકવિધ અસરોને લીધે શહેરી બૌદ્ધિક વર્ગ સારા પ્રમાણમાં વિકસ્યો હતો અને તે બ્રિટિશ સલ્તનતની સામે બંધારણીય માર્ગોએ અથવા તો ઉદ્દામવાદી રીતરસમોથી હિંદના રાજકીય અધિકારો માટે લડત ચલાવી રહ્યો હતો.આમ,પ્રજાકીય આંદોલનને દોરવણી આપવા જે શહેરી આઘારની જરૂર પડે તેની રચના ભારતમાં તૈયાર થઇ હતી.આવા સંજોગોમાં ગાંઘીજીએ ઇ.સ.1917માં બિહારમાં ચંપારણ જિલ્લાના ગળીના ખેડૂતોના દુઃખ નિવારવા સત્યાગ્રહ કરીને તેમાં સફળતા મેળવી.
ચંપારણ સત્યાગ્રહ (1917) :
અસહકારની ચળવળ(1920-22):
ચંપારણમાં યુરોપિયન નીલવરો જમીનના 3/20 ભાગમાં ફરજિયાત ગળીનું વાવેતર કરવાની ‘તીનકઠિયા’ પદ્ધતિ અપનાવડાવી દેશી ખેડૂતોનું શોષણ કરતા.ગાંઘીજીએ આ પ્રશ્નની તપાસ કરવાનું નક્કી કયુઁ પણ તપાસ શરૂ કરે તે પહેલાં જ ત્યાંના મૅજિસ્ટ્રેટે તેમને નોટિસ દ્વારા ચંપારણ જિલ્લો તાત્કાલિક છોડી જવાનું કહ્યું.ગાંઘીજીએ આ નોટિસનો અનાદર કર્યો.તેમણે લેખિત રીતે જણાવ્યું કે, “ એક હિંદી તરીકે તેમને હિંદના કોઈ પણ ભાગમાં હરવા-ફરવાનો અને તપાસ હાથ ધરવાનો અધિકાર છે.” તેમણે જણાવ્યું કે, “સરકારી કાયદાનું પાલન કરવું તેને હું એક નાગરિક તરીકે મારો ધર્મ સમજુ છું; પણ તેની સાથે સાથે જે શોષિત ખેડૂતોનાં કાર્ય માટે હું આવ્યો છું તે જો હું ના કરું તો તેને હું અધર્મ સમજુ છું.અધર્મ આચરતાં મારો અંતરાત્મા મને ડંખ્યા વગર રહે નહિ અને તેથી જ મેં મારી પ્રજા પ્રત્યેની ફરજને સરકારી નું પાલન કરવા કરતાં વધારે મહત્વની ગણી છે.” ગાંઘીજીએ ઉમેયુઁ : “મારી દડમાન્યતા છે કે આજે જે અટપટી પરિસ્થિતિમાં અમે મુકાયેલા છીએ તેમાં મારા જેવા સંજોગોમાં મુકાયેલા સ્વાભિમાની માણસ પાસે બીજો એકે સલામત અને માનભર્યો રસ્તો નથી-સિવાય કે સરકારના હુકમનો અનાદર કરી તે બદલ જે સજા થાય તે મૂંગે મોઢે ખમી લેવી.” આવી અહિંસક સત્યાગ્રહની રીત સામે પોતાને સંસ્કારી અને સભ્ય ગણાવતી બ્રિટિશ સરકાર આડેધડ શસ્ત્રો કેવી રીતે ઉગામી શકે!
ખેડૂતોની ફરિયાદ નોંધવાના કાર્યમાં ગાંઘીજી અત્યંત ચોકસાઈ રાખતા.જો નિવેદનો વજૂદ વગરનાં હોય અથવા તો તેમાં અતિશયોક્તિ હોય તો તેવાં નિવેદનો ફગાવી દેતા. આવી ચોકસાઈ રાખવાનું કારણ એ હતું કે લડત દરમિયાન આવાં લખાણોનો સરકાર દુરુપયોગ ન કરે.સરકાર પણ ખેડૂતોની સચ્ચાઈ ઉપર વિશ્વાસ રાખી શકે.
ગાંઘીજી જે-તે લડત દરમિયાન સ્થાનિક કાર્યકરોને માર્ગદર્શન આપવા હિંદભરમાંથી જુદા જુદા નેતાઓને બોલવતા.તેમની પાસે જે-તે પ્રદેશને ધ્યાનમાં રાખી રચનાત્મક કાર્યો પણ કરાવતા. દા.ત.,ચંપારણ સત્યાગ્રહ દરમિયાન જ નિરક્ક્ષરતા અને ગંદકીના પ્રશ્નને હાથમાં લેવા તેમણે પુનાના સુવિખ્યાત ‘હિંદસેવક સમાજ’ ના કાર્યકર્તા ડૉ.દેવને ચંપારણ તેડવ્યા હતા.આમ,સ્થાનિક કાર્યકરો,બહારના સ્વયંસેવકો,બિહારના બૌદ્ધિકો વગેરેનું સંકલન કરીને લડતને દોરવણી આપવાની ગાંઘીજીની અહિંસક પદ્ધતિએ એક અસરકારક શસ્ત્ર તરીકેનું કામ કયુઁ હતું.
ઇ.સ.1915માં ગાંઘીજી ભારત આવ્યા તે સમયે હિંદના મવાળવાદી નેતાઓની જેમ ગાંઘીજી અંગ્રેજોની શુભનિષ્ઠામાં વિશ્વાસ રાખતા હતા.જો કોઈ પણ માગણી યોગ્ય દાખલાદલીલ સાથે સરકારને ગળે ઉતારવામાં આવે તો સરકાર તે સત્યનો સ્વીકાર કરે છે તેવું તે માનતા હતા.આથી પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇંગ્લૅન્ડને મદદ કરવા હિંદીઓને તેમણે અપીલ કરી હતી પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધની સમાપ્તિ પછી રોલેટ એક્ટ (1919),જલિયાંવાલા બાગનો હત્યાકાંડ (1919)વગેરે કેટલાક એવા બનાવો બન્યા કે જેમણે ગાંઘીજીનો ભ્રમ ભાંગી નાખ્યો.ગાંઘીજીને લાગ્યું કે હિંદમાંથી અંગ્રેજ શાસન નાબૂદ કરવામાં જ હિંદીઓનું હિત છે. અંગ્રેજો વેપાર કરવા ભારત આવ્યા હતા અને વધારે સારી રીતે વેપાર કરવાના આશયથી રાજકીય અધિકારો પ્રાપ્ત કરવાની નીતિ અપનાવી હ્તી.તેમાંથી તેમણે ભારતમાં એક શક્તિશાળી બ્રિટિશ સામ્રાજ્ય સ્થાપ્યું હતું.અંગ્રેજો કાચો માલ સસ્તા ભાવે લઇ જતા અને ઇંગ્લૅન્ડનાં કારખાનાંઓમાં વપરાશી ચીજો તૈયાર કરી ભારતમાં તે મોંઘા ભાવે વેચતા.આમ,ભારતના લોકોનું આર્થિક શોષણ કરતા આથી ગાંઘીજી વિદેશી માલની આયાત જ ભારતમાં બંધ થઇ જાય અને અંગ્રેજોના વેપારને મોટો ફટકો પડે તેમ ઇચ્છતા હતા. જેનો મુખ્ય ઉદ્દેશ છે એવી વેપારી સરકારના વેપારને તોડી પાડવામાં આવે તેમજ વિભિન્ન ક્ષેત્રે સરકારી નીતિઓ અને કાર્યક્ર્મોનો બહિષ્કાર થાય તો આપોઆપ તેઓ પોતાની દુકાન બંધ કરીનેપોતાના દેશ ચાલ્યા જાય.આવા તર્કથી ગાંઘીજીએ અસહકારની ચળવળ શરૂ કરી હતી.તેનાં ખંડનાત્મક (નકારાત્મક) અને રચનાત્મક એમ બે પાસાં હતાં.
ખંડનાત્મક (નકારાત્મક) પાસું :
રચનાત્મક(હકારાત્મક) પાસું :
ઇ.સ.1920ના કૉંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં અસહકારનો ઠરાવ પ્રચંડ બહુમતીથી પસાર કરવામાં આવ્યો હતો. ઠરાવ પ્રમાણે સરકારને લડત આપવા સરકારી સમારંભો,ખિતાબો,શાળા-કૉલેજો,ધારાસભાઓ,અદાલતો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તથા વિદેશી માલનો બહિષ્કાર લોકોએ કરવાનો હતો.લડતનો ફેલાવો કરવા ગાંઘીજીએ દેશભરમાં પ્રવાસ કર્યો. સંખ્યાબંધ વિઘથીઓએ શાળા-કૉલેજો છોડી દીધી.મોતી સંખ્યામાં શિક્ષકોએ રાજીનામાં આપ્યાં
​ ચિત્તરંજનદાસ,મોતીલાલ નહેરુ,વલ્લભભાઇ,રજગોપાલાચારી,રાજેન્દ્રપ્રસાદ જેવા જાણીતા વકીલોએ વકીલાત છોડી અને બાકીનું જીવન દેશની સેવામાં અર્પણ કયુઁ.વિધથીઓએ સ્વયંસેવકો બની સરકારને સહકાર આપનારાઓની સામે વિરોધી દેખાવો કર્યા. લવાદી અદાલતો ચલાવી.ઔધોગિક કેન્દ્રો,અસમના ચાના બગીચા તથા કોલસાની ખાણોમાં હડતાલો પાડી. આ દરમિયાન પ્રિન્સ ઑફ વેલ્સનું ભારતમાં આગમન થયું.તેના બધા કાર્યક્રમોનો બહિષ્કાર કરવામાં આવ્યો. તેના આગમનના દિવસે(17 નવેમ્બર,1921) સમગ્ર ભારતમાં હડતાલ પાડવામાં આવી.મુંબઇમાં ગાંઘીજીએ એક જાહેર સભામાં વિદેશી કાપડની હોળી કરી.

સરકારી નોકરીઓ છોડનારને રોજી-રોટીના વિકલ્પ તરીકે રેંટિયા દ્રારા ખાદી ઉત્પન્ન કરવા ઉપર ભાર મૂકયો.ખાદીનું ઉત્પાદન કરીને વિદેશી કાપડને ભારતમાં વેચાતું અટકાવવાનું હતુ.સરકારી શિક્ષણનો બહિષ્કાર કરનાર શિક્ષણથી વંચિત ન રહે તેના વિકલ્પ તરીકે રાષ્ટ્રીય શાળ-કૉલેજો (વિદ્યાપીઠો) શરૂ કરવામાં આવી.દા.ત. વિદ્યાપીઠો(અમદાવાદ) , બિહાર વિદ્યાપીઠ, કાશી વિદ્યાપીઠ વગેરે.વિદેશી માલનો બહિષ્કાર કરી તેના વિક્લ્પરૂપે સ્વદેશી માલનાં ઉત્પાદન ,ખરીદી અને વપરાશ ઉપર ભાર મૂકવામાં આવ્યો.આ ઉપરાંત દારૂબંધી, અસ્પૃશ્યતનિવારણ , હિંદી-મુસ્લિમ એકતા જેવા રચનાત્મક કાર્યક્રમો હાથ ધરવમાં આવ્યાં. લડત ચલાવવા સ્વરાજ્ય ફંડ ઊભું કરવામાં આવ્યું​
સ્વરાજ પક્ષની સ્થાપના :
લોકો માં આવેલી રાજકીય જાગૃતિને તકાવી રાખવાના હેતુથી અસહકારની લડત-મોકૂફી બાદ ચિત્તરંજનદાસ મુનશી અને મોતીલાલ નહેરુએ સ્વરાજ પક્ષની રચના કરી.તેમનોહેતુ ધારાસભાઓમાં પ્રવેશી સરકારની અયોગ્ય નીતિઓનો વિરોધ કરવાનો હતો.
ચૌરીચૌરાનો બનાવ અને લડત-મોકુફી :
સાયમન કમિશન(1927)નો બહિષ્કાર :
અસહકારની ચળવળ દેશભરમાં અહિંસક રીતે પૂરા ઉત્સાહથી ચાલી રહી હતી.લોકોમાંથી કારાવાસ અને સરકારી દમનનોભય નાબૂદ થયો હતો.શહેરી અને શિક્ષિત મઘ્યમવર્ગની લડતમાં હવે મજુરો અને ગામડાંના ખેડૂતો પણ મોટી સંખ્યામાંજોડવા લાગ્યા હત. ગાંઘીજી અગાઉ ઉત્તરપ્રદેશમાં ગોરખપુર નજીક ચૌરીચૌરા ગામે એક સરઘસ પર પોલીસોએ બેફમ ગોળી કર્યો. કેટલાક લોકો માર્યા ગયા અને ઘવાયા.પોલીસોએ તેમની કારતૂસો ખૂતી ગઇ ત્યારે થાણામાં ભરાઇને બારણાં વાસી દીઘાં.ઉશ્કેરાયેલા લોકોએ તેને આગ લગાડી.તેમાં પોલીશનાં 22 માણસો મરણ પામ્યા.આ હિંસક પ્રસંગથી ગાંઘીજીને અત્યંત દુ:ખ થયું.અહિંસક રીતે લડત ચાલે તો એક વરસમાં સ્વરાજ્ય અપાવવાની જાહેરાત કરી હતી પરંતુ આ બનાવથી તેમને લાગ્યું કે લોકો અહિંસા સિદ્ધાંતને હજી બરાબર સમજી શક્યા નથી.માટે તેમણે આંદોલનને સમેટી લેવાનું ઉચિત માન્યું.લડત બંધ રહેતાં આખો દેશ નિરાશામાં ગરકાવ થઇ ગયો.કેટલાક દેશનેતાઓએ ગાંઘીજીના નિર્ણયની તીકા કરી.સરકારે ગાંઘીજીનીધરપકડ કરી.તેમના ઉપર રાજદ્રોહનો કેસ ચલાવી છ વર્ષની કેદની સજા કરવામાં આવી.

હિંદને સુધારા આપવાના હેતુથી સરકારે નવેમ્બર,1927માં સર જૉન સાયમનના અધ્યક્ષપદે એક કમિશનની રચના કરી.હિંદને સુધારા આપવાના હોય ત્યારે તે કેવા અને કેટલા હોવા જોઇએ તે જાણવા માટે કમિશનમાં હિંદી સભ્યો હોવા જોઇએ,કારણ કે હિંદીઓ જ હિંદીઓનાં દુઃખ-દર્દને વઘારે સારી રીતે સમજતા હોય પરંતુ કમિશનના સાત સભ્યોમાંથી એક પણ સભ્ય ભારતીય ન હોવાથી કૉંગ્રેસ સહિત ભારતના બધા રાજદ્ધારી પક્ષોએ તેનો વિરોધ કર્યો.
સાયમન કમિશનના સભ્યો મુંબઇ બંદરે ઊતર્યા તે દિવસે આખા દેશમાં હડતાલો,સરઘસો અને સભાઓ દ્ધારા તેનો વિરોધ કરવામાં આવ્યો.દેખાવકારોએ ‘ સાયમન પાછો જા’ નાં સૂત્રોવાળા વાવટા ફરકાવ્યા. લાહોરમાં લાલા લજપતરાયે કાઢેલા એક સરઘસ દરમિયાન લાલા લજપતરાય ઉપર સખત લાથીમાર થયો. થોડા દિવસો બાદ તેમનું મૃત્યુ થયું.તેનાથી લોકોની રાષ્ટ્રીય ભાવના વધુ સતેજ બની.
પૂર્ણ સ્વરાજનો ઠરાવ :
સવિનય કાનૂનભંગની ચળવળ (1930):
આ દરમિયાન જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝની આગેવાની હેઠળ કૉંગ્રેસમાં યુવાન નેતાઓનું જૂથ ઉદય પામ્યું.તેઓ પૂર્ણ સ્વરાજના હિમાયતી હતા.મોતીલાલ નહેરુ તત્કાળ સાંસ્થાનિક સ્વરાજ મળે તેનાથી સંતોષ માનનારા હતા.આથી બંને વચ્ચે સમાધાન સ્વરૂપે કોલકાતા અધિવેશનમાં એવું ઠરાવવામાં આવ્યું કે ઇ.સ.1929ની આખર સુધીમાં સાંસ્થાનિક સ્વરાજ આપવામાં ન આવે તો પૂર્ણ સ્વરાજ માંગવામાં આવશે.
અંતે કૉંગ્રેસનું અધિવેશન જવાહરલાલ નહેરુના પ્રમુખપદે લાહોરમાં મળ્યું. સાંસ્થાનિક સ્વરાજ આપવામાં આવ્યું ન હતું તેથી 31 ડિસેમ્બર,1929ની મધરાતે સંપૂર્ણ સ્વરાજ્યની માગણીનો ઠરાવ ખુલ્લા અથિવેશનમાં ગાંઘીજીએ રજૂ કર્યો જે સર્વાનુમતે પસાર થયો.ત્યાર બાદ26મી જાન્યુઆરી1930ને દિવસે સ્વાતંત્ર્યના શપથ લેવામાં આવ્યા.તે મુજબ પ્રતિવર્ષ આખા દેશમાં 26 જાન્યુઆરીએ પ્રથમ વાર સ્વાતંત્ર્ય દિન ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું.

અમદાવાદમાં મળેલી કૉંગ્રેસની કારોબારી સમિતિએ પૂર્ણ સ્વરાજની પ્રાપ્તિ માટે સવિનય કાનૂનભંગ(અયોગ્ય સરકારી કાયદાનો વિનય સહિત ભંગ કરવો)ની ચળવળ શરૂ કરવાનો અઘિકાર ગાંઘીજીએ આપ્યો.ગાંઘીજીએ નવસારી જિલ્લાના દાંડી ગામના દરીયકિનારે જઇ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું.12મી માર્ચે સાબરમતી આશ્રમ(અમદાવાદ)થી દાંડીકૂચ શરૂ થવાની હતી તે દશ્ય નજરે જોવા માટે દેશવિદેશના હજારો લોકો ભેગા થયા.દરરોજ સાંજે થતી એક પ્રાર્થનાસભામાં ગાંઘીજીએ કહ્યું,‍‍“મારો જન્મ બ્રિટિસ્ક સામ્રાજ્યનો નાશ કરવા માટે થયો છે… હું કાગડા… કૂતરાને મોતે મરીશ પણ સ્વરાજ લીઘા વિના આ આશ્રમમાં પગ મૂકવાનો નથી”

દાંડીકૂચ :
ના-કરની લડત :
12મી માર્ચ,1930ના દિવસે સવારે ‘ શૂર સંગ્રામકો દેખ ભાગે નહીં’,એ ગીત તથા ‘હરિનો મારગ છે શૂરાનો’ ભજન ગવાયા બાદ પોતાના 78 સાથીઓ સહિત દાંડીકૂચ શરૂ કરી.370 કિમી જેટલી કૂચ કરી પચીસમા દિવસે ગાંઘીજી 5મી એપ્રિલે દાંડી પહોંચયા. 6ઠ્ઠી એપ્રિલે ગાંઘીજીએ દરિયાકાંઠેથી ચપટી મીઠું ઉપાડીને મીઠાના કાયદાનો ભંગ કર્યો.તે સાથે હજારો લોકોનો ગગનભેદી નાદ ગાજી ઊઠ્યો : ‘ નમક કા કાયદા તોડ દિયા’. મીઠાની ચપટી ભરતાં એ યજ્ઞપુરુષ બોલ્યા કે બ્રિટિશ સામ્રાજ્યની ઇમારતના પાયામાં હું આથી લૂણો લગાડું છું.’ આ સાથે ગુજરાત તથા ભારતની પ્રજામાં અભૂતપૂર્વજાગૃતિ આવી.આખા દેશમાં સવિનય કાનૂનભંગની ચળવળ શરૂ થઈ.
ગુજરાત,ઉત્તરપ્રદેશ અને બંગાળના મિદનાપુર જિલ્લામાં મહેસૂલ ન ભર્યું. જપ્તીમાંથી બચવા આશરે ચાર હજાર ખેડૂત કુટુંબોએ હિજરત કરી અને પાંચ મહિના સુધી બહાર રહ્યાં. ખેડા જિલ્લાના રાસ ગામના ખેડૂતોએ મહેસુલ ન ભર્યું. તેઓએ સરકારી અમલદારોનો બહિષ્કાર કર્યો અને ગામમાંથી હિજરત કરીને ના –કરની લડતને સફળ બનાવી.

*કોરોના સહાય માટે ઓનલાઈન અરજી*

 *કોરોના સહાય માટે ઓનલાઈન અરજી*  કોવિડ-૧૯ મા મૃત્યુ થયેલ વ્યક્તિના વારસદારને ઘરે બેઠા સહાય મેળવવા ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા લોન્ચ ક...