ગુજરાત સરકારના ખાતાઓ
|
(Y. M. KHANDALA BLOG) �� મારા બ્લોગ પર આપનું હાર્દિક સ્વાગત છે.�� "उधोगो नऱ -भूषणम्"... (ઉધમ્ પુરૂષનું આભૂષણ છે.)
|
પ્રજાસત્તાક દિવસની પરેડમાં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ ના પ્રતિબિંબ સમાન સ્ટેચ્યૂ ઓફ યુનિટી તથા સરદાર સરોવર યોજનાને દર્શાવતો ગુજરાતનો ટેબ્લો | |||
પ્રકાશન તારીખ 23-01-2015 | |||
ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યૂ ઓફ યુનિટી તથા
ગુજરાતના પાણીની અછત ધરાવતા વિસ્તારોને લાભદાયક એવા મહત્વાકાંક્ષી સરદાર
સરોવર યોજનાની થીમ આધારિત ગુજરાત રાજ્યનો ટેબ્લો આ વખતની 26મી જાન્યુઆરીની
રાજપથ પર યોજાનાર 66મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં
દર્શાવવામાં આવનાર છે. સમગ્ર ટેબ્લો ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ નું
પ્રતિબિંબ પાડવા માટે તૈયાર કરવામાં આવેલ છે.
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને આઝાદી બાદ 500 થી પણ વધારે દેશી રજવાડાંઓને ભેળવવા દ્વારા ભારતના એકીકરણ માટેની તેમની ભૂમિકા બદલ અંજલિ આપવા માટે ગુજરાતમાં નર્મદા નદી ઉપર ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ નું નિર્માણ થઈ રહ્યું છે. 182 મીટરની ઊંચાઈ ધરાવતી આ પ્રસ્તાવિત પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા હશે. એક એક્ઝિબિશન હોલ, કોન્ફરન્સ સેન્ટર અને માછલીઘરની સાથે-સાથે આ પ્રતિમાની પ્રતિકૃતિ ટેબ્લોના આગળના ભાગમાં પ્રદર્શિત કરવામાં આવશે. ટેબ્લોનો મધ્ય ભાગ સરદાર સરોવર ડેમની કારણે ગુજરાતના સૂકા પ્રદેશોમાં સિંચાઈમાં થયેલ કાયાપલટ તથા ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ આ ચાર લાભાર્થી રાજ્યોના લોકોને લીલાછમ ખેતરોમાં ઉજવણી કરતાં દર્શાવે છે. કન્વેન્શન હોલ, ટર્બાઇન અને ડેમના ધોધને ખૂબ જ સર્જનાત્મક રીતે ટેબ્લોના પાછળના ભાગમાં પ્રદર્શિત કરવામાં આવેલ છે. રાષ્ટ્રીય નકશા પર ગુજરાતનું મહત્વ તેના જાજરમાન એશિયાટીક સિંહો અને પરંપરાગત લોકનૃત્યો વગર અધૂરું રહે છે. પ્રજાસત્તાક દિવસે રાજપથ ખાતે મુખ્ય મહેમાન અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને અન્ય મહાનુભાવો સમક્ષ રાસ-ગરબાના રૂપમાં એક સાંસ્કૃતિક રજૂઆત કરવામાં આવશે. ગુજરાતના આ સાંસ્કૃતિક વૃંદે બુધવારે આર.આર. કેમ્પ ખાતે આયોજીત થયેલ આંતર-રાજ્ય સ્પર્ધા જીતી હતી. 60 થી વધારે કલાકારો, ફેબ્રિકેટરો, ડિઝાઇનરો અને વિઝ્યૂઅલાઇઝરો આ ટેબ્લોના નિર્માણમાં સામેલ હતા. 66મા પ્રજાસત્તાક દિવસ સમારોહના માર્ગ પર રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના 16 મળીને કુલ 25 ટેબ્લોને સ્થાન મળશે. |
અમારા અન્ય સમાચાર લેખ તપાસો | |||
*કોરોના સહાય માટે ઓનલાઈન અરજી* કોવિડ-૧૯ મા મૃત્યુ થયેલ વ્યક્તિના વારસદારને ઘરે બેઠા સહાય મેળવવા ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા લોન્ચ ક...