ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે !
તે જ રણમાં ધૂમ મુસળધાર વરસી જાય છે !
ને ગગનચુમ્બી મહાલો જનસૂનાં રહી જાય છે !
લાખ ખાંડી લૂંટનારા મહેફીલે મંડાય છે !
ને લીલાંછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે !
ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે !
(Y. M. KHANDALA BLOG) �� મારા બ્લોગ પર આપનું હાર્દિક સ્વાગત છે.�� "उधोगो नऱ -भूषणम्"... (ઉધમ્ પુરૂષનું આભૂષણ છે.)
અન્ય ભાષામાં વાંચોઆ પાનું ધ્યાનમાં રાખોફેરફાર કરો
ભારતનો ઇતિહાસ સિઁધુ ખીણની સંસ્કૃતિ સાથે શરૂ થયો અને તે કાળક્રમે ભારતીય ઊપખંડના ઊત્તરીય- પશ્ચિમી પ્રદેશમાં ઈસવીસન પુર્વે 3300થી 1300 વર્ષ પહેલાં વિસ્તર્યો.આ સમયગાળો પુર્ણ વિકસેલી હડપ્પાની સંસ્કૃતિનો હતો જે ઈસવીસન પુર્વે 2600 થી 1900 સુધી ચાલ્યો હતો. ઈસવીસનની બીજી સહસત્રાબ્દિની શરૂઆતમાં ભારતના આ કાંસ્ય યુગનું પતન થયું, આ બાદ ભારતમાં ગંગા નદીને કિનારે, લોહ યુગ, અને તેના પછી વૈદિક કાળનો ક્રમે ક્રમે વિકાસ થયો, અને અહી જ મહાજનપદ જેવા મોટા રજવાડાઓનો ક્રમે વિકાસ થયો. આ પૈકીના એક રાજ્ય મગધમાં ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીમાં, મહાવીર અને ગૌતમ બુદ્ધ જેવા મહાપુરુષો જન્મ્યા અને તેમણે પોતાના શ્રમણઅર્થાત તત્વજ્ઞાનનો લોકોમાં ફેલાવો કર્યો.
દક્ષિણ એશીયાનો ઇતિહાસ
મહેરગઢ સંસ્કૃતિ7000-3300 BCસિંધુ ખીણની સંસ્કૃતિ3300-1700 BCકબ્રસ્તાન એચ સંસ્કૃતિ1700-1300 BCવૈદિક સંસ્કૃતિ1700-500 BCકુરૂ રાજવંશ1200-316 BCમહાજનપદ700-321 BCમૌર્ય સામ્રાજ્ય321-184 BCમધ્યયુગીન રાજ્યો184 BC - 1279 CEગુપ્તા સામ્રાજ્ય240-550ચોલા સામ્રાજ્ય848-1279ઇસ્લામી સામ્રાજ્યો979-1596દિલ્હી સલ્તનત1210-1526વિજયનગર સામ્રાજ્ય1336-1565મુઘલ યુગ1526-1757કંપની રાજ1757-1857પહેલો આઝાદી વિપ્લવ1857-1858બ્રિટીશ રાજ1858-1947સ્વતંત્રતા ચળવળ1858-1947ભારતના ભાગલા1947-1948ભારત ગણરાજ્યનો ઇતિહાસપાકિસ્તાનનો ઇતિહાસબાંગ્લાદેશનો ઇતિહાસઆ લેખ 1942માં બ્રિટીશ ભારતના ભાગલા થયાં તે પહેલાના દક્ષિણ એશિયાનો ઇતિહાસ છે. આધુનિક રિપબ્લિક ઇન્ડિયાના ઇતિહાસ માટે જુઓ રિપબ્લિક ઇંડીયાનો ઇતિહાસ. પાકિસ્તાન અને બાંગ્લાદેશનો ઇતિહાસ જોવા માટે જુઓ પાકિસ્તાનનો ઇતિહાસ અને બાંગ્લાદેશનો ઇતિહાસ.
પાછળથી આવનારા રાજાઓએ અને શાસનાધિકારીઓએ આ પ્રદેશમાં રાજ્ય કર્યું અને પ્રદેશની સંસ્કૃતિનું જતન ફારસી રાજવી[૧] હખામંશી ઈસવીસન પુર્વે 543માં અને [૨]ઈસવીસન પુર્વે 326માં સિકંદર મહાન કર્યું. બેકટ્રીયાના ડેમેટ્રીયસે ભારતીય-યૂનાની શાસનની સ્થાપના કરી જેમાં ઈસવીસન પૂર્વે 184માં ગાંધાર અને પંજાબનો પણ સમાવેશ થાય છે. તેનું શાસન મેનાન્દરના શાસનમાં ચારે તરફ ફેલાયું અને તેણે યૂનાની બુદ્ધ કાળ વિકસાવ્યો જેમાં વ્યાપાર અને સંસ્કૃતિનો વિકાસ થયો.
મૌર્ય સામ્રાજ્ય હસ્તક ઈસવીસનની ચોથી અને ત્રીજી સદી દરમિયાન આખો ઊપખંડ એક હતો.તે પછી ધીમે ધીમે તેના ટુકડા થતા ગયા અને મધ્ય કક્ષના કહી શકાય તેવા વિવિધ રજવાડાંઓમાં તે આગામી દસ સદીમાં ફેરવાતા ગયાં. તેનો ઊત્તરીય ભાગ ઈસવીસન પૂર્વેની ચૌથી સદીમાં ફરી એકવાર એક થયો અને તે પછી બે સદી સુધી તે ગુપ્તા સામ્રાજ્યહસ્તક એક રહ્યો.આ સમયગાળો [[હિન્દુ |હિન્દુ]] ધર્મ અને તેના બૌધ્ધિક ઊત્થાનનો કાળ હતો અને તેના ચાહકોમાં તે ભારતના સુવણર્કાળ તરીકે ઓળખાય છે.
આજ સમયગાળામાં અને તે પછીની ઘણી સદીઓ બાદ દક્ષિણ ભારત, ચાલુક્ય, ચોલા, પલ્લવ અને પંડ્યાઓનાશાસન હેઠળ આવ્યું અને તેણે સુવર્ણકાળનો અનુભવ કર્યો. આ કાળમાં ભારતીય સભ્યતા, વહીવટીતંત્ર સંસ્કૃતિ અને ધર્મ, હિંદુ ધર્મ અને બૌદ્ધ ધર્મ [[દક્ષિણ-પૂર્વીય એશિયા |દક્ષિણ-પૂર્વીય એશીયામાં]] ફેલાવો થયો.
કેરળના ઊપખંડમાં ઈસ્લામનું આગમનચોક્કસ તારીખ કોઈ જાણતું નથી પણ કેરળનો રોમન સામ્રાજ્ય અને મધ્ય પૂર્વ સાથે ઈશુ ખ્રિસ્તના જન્મ પહેલાં દરિયાઈ માર્ગે વેપાર ચાલતો હતો. આ ઊપખંડમાં મુસ્લિમ શાસનનો પ્રારંભ 712માં (CE) થયો જ્યારે એક આરબ જનરલ મહંમદ બિન કાસીમે દક્ષિણ પંજાબના,[૩] મુલતાન અને સિંધ પર ચઢાઈ કરી અને દસમી અને પંદરમી સદીમાં મધ્ય એશિયામાં બીજાં ઘણાં આક્રમણો માટેનાં દ્વાર ખોલી નાંખ્યાં જેના પગલે ભારતીય ઊપખંડમાંમુસ્લિમ સામ્રાજ્યનો પાયો નંખાયો, જેમાં ગઝનવી, ઘોરી, દિલ્હી સલ્તનત અને મુઘલ સામ્રાજ્યનો સમાવેશ થાય છેમુઘલોએ ઊપખંડના મોટાભાગના ઉત્તરીય ભાગ પર શાસન કર્યુંમુઘલ રાજાઓએ ભારતમાં મધ્ય-પૂર્વની કળા અને સ્થાપત્યની રજૂઆત કરી મુઘલો ઉપરાંત ઘણાં સ્વતંત્ર હિંદુ રજવાડાં જેવાં કે, મરાઠા સામ્રાજ્ય, વિજયનગર સામ્રાજ્ય, વિવિધ રાજપૂત રાજાઓ પશ્ચિમ અને દક્ષિણમાં સમાંતરે શાસન કરતા હતા. મુઘલ સામ્રાજ્યનો અઢારમી સદીમાં પ્રારંભે અસ્ત થયો જેના કારણે અફઘાનો, બલોચી, અને શીખોને બ્રિટીશ ઈસ્ટ ઈન્ડયા કંપનીએ[૪]દક્ષિણમાં પગદંડો જમાવ્યો ત્યાં સુધી ઊપખંડના ઊત્તરીય-પશ્ચિમી ભાગમાં શાસન કરવાનો મોકો મળ્યો
18મી સદીમાં તેની શરૂઆત થઈ અને તે પછીની સદીઓમાં ભારત પર ક્રમાનુસાર બ્રિટીશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પડછાયો રહ્યો.
કંપનીના રાજ સામે ફેલાયેલા અસંતોષને કારણે બ્રિટીશ રાજાદ્વારા શાસન અસ્તિત્વમાં આવ્યું પછી સ્વતંત્રતા માટેના પ્રથમ યુધ્ધનો પ્રરંભ થયો. આ જ સમયગાળા દરમિયાન ભારતે બુનિયાદી સુવિધાઓ અને આર્થિક પતનનો ઝડપી વિકાસ જોવા માંડ્યો.
20મી સદીના પ્રથમ ભાગમાં ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રવ્યાપી સ્વતંત્રતા ચળવળની શરૂઆત કરવામાં આવી.જેમાં પાછળથી મુસ્લિમ લીગ પણ જોડાઈ ઊપખંડને, ભાગલા બાદ, આધિપત્યમાં ભારત અને પાકિસ્તાન નામના બે દેશો તરીકે ગ્રેટ બ્રિટન પાસેથી 1947માં આઝાદી મળી.
મધ્ય ભારત (Central India)માં નર્મદા નદીની ખીણ(Narmada Valley)માં હાથનોરામાં હોમો ઈરેક્ટસ(Homo erectus)ના અવશેષો મળી આવ્યા હતા જે એવો નિર્દેશ કરતા હતા કે ભારતમાં માનવ વસવાટ બે લાખથી પાંચ લાખ વર્ષ દરમિયાન મધ્ય પ્લીસ્ટોસીન(Middle Pleistocene)દરમિયાન પણ થયો હશે[૫][૬]જો કે, આફ્રિકા બહાર હિન્દ મહાસાગરના તટે વિકસેલી માનવ સંસ્કૃતિનો કોઈ અત્તોપત્તો મળતો નથીતામિલનાડુ(Tamil Nadu)( 75,000 વર્ષ પહેલા ટોબા જવાલામુખીના વિસ્ફોટ પહેલા અને પછી) માં મળેલા અવશેષો મુજબ હિમયુગ બાદ આવેલા પૂરને કારણે આ વિસ્તારમાં શરીર રચનાને લગતા કેટલાક અવશેષો મળ્યા છે જે માનવ ઉત્પત્તિ તરફ ઈશારો કરે છે. ભારતીય ઊપખંડમાંમધ્ય પાષાણયુગ (Mesolithic) ગાળો ત્રીસ હજાર વર્ષ પહેલાં શરૂ થયો હતો અને તે 25,000 વર્ષને આવરી લે છે. ઊપખંડમાં માનવ સમૂહોનું વ્યાપક સ્થાયીત્વ આખરી હિમ યુગ (Ice Age)ના અંત પછી અથવા તો 12,000 વર્ષ પહેલાં થયુંસૌથી પ્રથમ કાયમી માનવ વસાહત 9000 વર્ષ પહેલાં આધુનિક મધ્યપ્રદેશ (Madhya Pradesh)માં આવેલા ભીમબેટકાના ખડકો (Rock Shelters of Bhimbetka)માં જોવા મળી હતીઅગાઊ નીયોલિથિક(Neolithic) સંસ્કૃતિ દક્ષિણ એશિયામાં ઈસવીસન પૂર્વે 7000 વર્ષ (7000 BCE)પહેલાં હાલના પાકિસ્તાનના બલોચિસ્તાન (Balochistan)માં મેહગઢ (Mehrgarh) દ્વારા સ્થાપાઈ હતીભારતમાં આવેલા ખંભાતના અખાત(Gulf of Khambat)માં પણ નિયોલેથિક(Neolithic)સંસ્કૃતિના અવેશેષો મળ્યા છે. જે ઈ.સ.પુર્વે 7500 (7500 BCE)ની સાલના હોવાનું રીડીયોકાર્બન(radiocarbon dated) પદ્ધતિ દ્વારા જાણવા મળ્યું છે.[૭] સિંધુ નદીને કિનારે નિયોલેથિક સંસ્કૃતિ ઈં.સ.પુર્વે 6000 થઈ 2000 અને દક્ષિણ ભારતમાં ઈ.સ. પુર્વે 2800 થી 1200 વિકાસ પામી હતી.
આ ઉપખંડને પ્રદેશ કે જે હાલમાં પાકિસ્તાન તરીકે ઓળખાય છે તે ઓછામાં ઓછા વીસ લાખ વર્ષો સુધી વસ્તી વસવાટ કરતી હતી.[૮][૯]આ ક્ષેત્રના પ્રાચિન ઇતિહાસમાં દક્ષિણ એશિયાના (South Asia) કેટલાક જૂની વસાહતો[૧૦] અને કેટલીક મુખ્ય સંસ્કૃતિનો સમાવેશ થાય છે.[૧૧][૧૨]
દક્ષિણ એશિયાની (South Asia) શરૂઆતની પૂરાતત્વીય જગ્યાઓ પ્રાચિન પ્રસ્તર યુગની (palaeolithic), હોમિનીડ(hominid) અને સોન રિવર ખીણના (Soan River valley) સ્થાનો હતી.[૧૩]ગ્રામ્ય જીવનની શરૂઆત મેહગઢ(Mehrgarh)ની ઉત્તર પાષાણયુગ (Neolithic) સ્થાન પરથી થઇ હતી,[૧૪]જ્યારે આ ક્ષેત્રની, પ્રથમ શહેરી સંસ્કૃતિ સિંધુ ખીણની સંસ્કૃતિ (Indus Valley Civilization) છે, [૧૫]જે મુખ્યત્વે મોહેંજો દડો (Mohenjo Daro), લોથલ(Lothal) અને હડપ્પા (Harappa) જેવા સ્થાનો પર હતી. [૧૬]
આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની કલ્પનાનું સિંધુ ખીણની સંસ્કૃતિનો ભારતીય ઉપખંડના કાંસ્ય યુગની શરૂઆત આશરે 3300 બીસીઇની આસપાસ સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે થઇ હતી.તેનું કેન્દ્ર મુખ્યત્વે ભારતના ગુજરાત(Gujarat), હરિયાણા (Haryana), રાજસ્થાન(Rajasthan) અને આજના પાકિસ્તાનના સિંધ (Sindh) અને પંજાબમાં (Punjab) હતું.પ્રાચિન ભારતનો(Ancient India) ઐતિહાસિક વિભાગ, જે મેસોપોટેમિયા(Mesopotamia) અને પ્રાચિન ઇજિપ્ત (Ancient Egypt) સાથે વિશ્વની ત્રણ સૌથી જૂની સંસ્કૃતિમાં ગણાય છે.પ્રાચિન ઇન્ડસ નદીની (Indus river) ખીણના રહેવાસીઓ હડપ્પન લોકોએ ધાતુવિદ્યામાં નવી શોધો કરી હતી અને તાંબુ, કાંસ્ય અને કલાઇનું ઉત્પાદન કર્યુ હતું.
આશરે 2600 બીસીઇથી 1900 બીસીઇ વચ્ચે પાંગરેલી સિંધુ ખીણની સંસ્કૃતિને ઉપખંડમાં શહેરી સંસ્કૃતિની શરૂઆત તરીકે ગણવામાં આવે છે.પ્રાચિન સંસ્કૃતિમાં આધુનિક ભારતના (India) ધોળાવીરા (Dholavira), કાલિબાંગન(Kalibangan), રાખીગર્હી (Rakhigarhi), લોથલ(Lothal) તથા આધુનિક પાકિસ્તાનના (Pakistan) હડપ્પા(Harappa), ગનેરીવાલા (Ganeriwala), મોહેંજો દડાનો (Mohenjo-daro) સમાવેશ થાય છે.આ સંસ્કૃતિ તેના ઇંટો દ્વારા બંધાયેલા શહેરો, ગટર વ્યવસ્થા અને બહુમાળી મકાનો માટે જાણીતી છે.
તે સિંધુ નદી અને તેની ઉપનદીઓમાં કેન્દ્રીત હતી અને તે ઘગ્ગર-હકરા નદીની (Ghaggar-Hakra River) ખીણ,[૧૧] તથા ગંગા-યમુના દોઆબ (Ganges-Yamuna Doab),[૧૭] ગુજરાત (Gujarat),[૧૮] અને ઉત્તર અફઘાનિસ્તાન (Afghanistan) સુધી વિસ્તરી હતી.[૧૯]
વૈદિક કાળને (Vedic period) વેદની (Veda) ઋચાઓ સાથે સાંકળતી ઇન્ડો-આર્યન (Indo-Aryan) સંસ્કૃતિ દ્વારા દર્શાવવામાં આવે છે, જે હિન્દુઓ માટે પવિત્ર છે અને તે મૌખિક રીતે વૈદિક સંસ્કૃતમાં (Vedic Sanskrit) રચવામાં આવ્યા હતા. વેદો (Vedas) કેટલાક જૂનામાં જૂના લેખો પૈકી સ્થાન ધરાવે છે, જે ઇજિપ્ત અને મેસોપોટેમિયાના લેખો પછીનાં છે.
આ વૈદિક કાળ ઈસવીસન પુર્વે 1500 થી ઈસવીસન પુર્વે 500 સુધી ચાલ્યો.જે દરમિયાન હિન્દુત્વ (Hinduism) અને જૂના ભારતીય (India) સમાજની કેટલીક સાંસ્કૃતિક બાબતોનો પાયો નંખાયો હતો. આર્યોએ સમગ્ર ઉત્તર ભારતમાં (North India)અને ખાસ કરીને ગંગાતટના પ્રદેશોમાં વૈદિક (Vedic) સંસ્કૃતિને સ્થાપિત કરી.
ઇન્ડો-આર્યન બોલતી જાતિઓના કાયમી વસવાટને પરિણામે આ સમય આવ્યો, જેઓ તેમને આર્યો (ārya, આર્યો(Aryan)) ગણાવતા હતા. તેમણે તે સમયનાં સ્થાનિક લોકોની સંસ્કૃતિને દબાવી દીધી જેમને તેઓ દસ્યુ કહેતા હતાજો કે, આર્ય પ્રજાના મુળ વતન અંગે હજૂ(રાજકીય) વિવાદ ચાલી રહ્યો છે.સેન્ટ્રલ એશિયા અંગે વિદ્રાનો વચ્ચે એકમત સ્થપાયો છે પરંતુ હાલમાં કેટલાક લેખકો તેના આર્યો ભારતીય હોવાનું માને છે. ભારત બહારની થયરી (Out of India)માં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આર્યો(Aryan)ભારતમાંથી બહાર જઈને મધ્ય એશિયા(Central Asia) અને યુરોપમાં વસ્યા હતા.19મી સદીમાં આર્યોના આક્રમણની થિયરી વિદ્વાનો સ્થાળાંતરની વિવિધ થિયરીઓને લઈને તેની વાત કરતા રહ્યા છે. હાલમાં પણ, કેટલાક થિયરીઓ અંગે સંશોધનો થઈ રહ્યા છે.
પુરાણી વૈદિક સમાજમાં ગ્રામ્ય વિસ્તારો વધારે હતા, પરંતુ હરપ્પા સંસ્કૃતિ બાદ માટીના વાસણોનું મહત્વ ઘટ્યું હતું. [૨૦]ઋગવેદ (Rigveda)બાદ આર્ય સંસ્કૃતિ વધુને વધુ ખેતી તરફ વળીતેમજ સામાજીક રીતે વધુ સંગઠીત બની અને ચારવર્ણ (Varnas)માં વહેંચાઈહિંદુઓનાં મુખ્ય ગ્રંથો વેદો(Vedas)ઉપરાંત સંસ્કૃત મહાકાવ્યો રામાયણ(Ramayana) અને મહાભારત (Mahabharata)નાં મુખ્ય કથાનકનો ઉદ્ભવ પણ આજ કાળ દરમિયાન થયો હોવાનું મનાય છે.[૨૧]પુરાતત્વિય સંશોધનોમાં જણાય છે કે ઈન્ડો-આર્યન સંસ્કૃતિમાં પણ માટીના વાસણો (Ochre Coloured Pottery)બનાવવાની કળા અસતિત્વ ધરાવતી હતી[૨૨].
śyāma ayasકાળી ધાતુના નામે લોખંડનો સૌપ્રથમ ઉલ્લેખ અથર્વવેદ (Atharvaveda)માં મળે છે. ઈ.સ પુર્વે 1000(1000 BCE)માં ઉત્તર-પશ્ચિમ ભારતમાં લોહ યુગની શરૂઆતમાં જ કૂરૂ (Kurus)[૨૪]ઓના સામ્રાજયમાં કાળા અને લાલ કલરના માટીના વાસણો (Black and Red Ware)અને ગ્રે કલરના માટીના વાસણો (Painted Gray Ware)ની આપલે થતી હતી.ઈસ. પુર્વે 1100 થી ઈસ.પુર્વે 600[૨૨] સુધી ઉત્તર ભારતમાં ગ્રે કલરના માટીના વાસણો(Painted Grey Ware)ની સંસ્કૃતિનો ફેલાવો થયો હતો. આદિવાસીની જેમ રહેતા આ લોકો હવે ધીમે ધીમે સામ્રાજયની સ્થાપના તરફ વળવા લાગ્યા હતા જેને તેઓ મહાજનપદ કહેતા હતા.
વૈદિક યુગમાં ઉપખંડમાં નાના નાના સામ્રાજ્યોનું અસતિત્વ હતું.જેઓનું વૈદિક, તેમજ ઈસ પુર્વે 1000 થી ઈસ પુર્વે 500માં લખાયેલા બુદ્ધીસ્ટ અને જૈન સાહિત્યમાં ઉલ્લેખ છે. 16 સામ્રાજ્યો કે જેઓ પ્રજાસત્તાક તરીકે ઓળખાતા હતા તેઓનો આ મુજબ છે મહાજન પદ(Mahajanapadas),- કાશી (Kasi), કોસલ(Kosala)અંગ (Anga), મગધ (Magadha), વાજ્જી(Vajji) અથવા વ્રીજી, મલ્લ (Malla), ચેડી (Chedi), વત્સ (Vatsa) અથવા વામસા, કુરુ (Kuru), પાંચાલ(Panchala), મચ્છ (Machcha) અથવા મત્સ્ય, સુરસેના (Surasena), અશાકા (Assaka), અવંતિ(Avanti), ગાંધાર (Gandhara), કંબોજ (Kamboja), આ રાજ્યો ઈન્ડો ગંગા પ્રદેશમાં (Indo-Gangetic plains)વસ્યા હતા આ વિસ્તાર હાલમાં અફઘાનિસ્તાનથી બંગાળ અને મહારાષ્ટ્ર સુધીનો ગણી શકાય છે.સિંધુ ખીણની સંસ્કૃતિ બાદ ભારતમાં શહેરીકરણ આ સમયગાળા દરમિયાન થયું હતું.આ સાહિત્યમાં ઉલ્લેખ કરવામાં આવેલા સામ્રાજ્યોના કેટલાક વંશજો હાલમાં પણ ઉપખંડમાં જોવા મળે છે. કેટલાક રાજાઓ વશંપરંપરાગત રીતે સત્તા પર આવતા હતા જ્યારે કેટલાક રાજાઓને પ્રજા ચુંટતી હતી.તે વખતે ભદ્ર વર્ગના લોકો સંસ્કૃત (Sanskrit) બોલતા હતા પરંતુ ઉત્તર ભારતમાં સામાન્ય લોકો પ્રાકૃત (Prakrit)બોલી બોલતા હતી.16 સામ્રાજ્યો ભેગા બનીને ઈસ પુર્વે 500-400 દરમિયાન સિદ્ધાર્થ ગૌતમ (Siddhartha Gautama)ના સમયમાં ચાર સામ્રાજ્યો અસતિત્વમાં આવ્યા હતાજે ચાર રાજ્યો બન્યા તે વત્સ (Vatsa), અવંતિ (Avanti), કોસલ (Kosala), અને મગધ(Magadha) હતા[૨૫]
તે સમયે હિન્દુ કર્મકાંડ ઘણા જ જટીલ હતી જે માત્ર પુજારીઓ દ્વારા જ કરવામાં આવતા હતા.ઈસ પુર્વે 600-400ની શરૂઆતમાં મહાજનપદ દરમિયાન તેમજ વૈદિક યુગ બાદ અસતિત્વમાં આવેલા ઉપનિષદ (Upanishads)માં એવું માનવામાં આવે છે કે ઉપનિષદમાં ભારતના પ્રારંભિક દર્શનશાસ્ત્રની ચર્ચા કરાઈ છે. ઉપનિષદ (Upanishad)ની ભારતીય તત્વચિંતન (Indian philosophy)પર ભારે અસર છે. બૌદ્ધ અને જૈન (Jainism) ધર્મના વિકાસ સાથે જ આ ઉપનિષદ પણ અસતિત્વમાં હતા. આ ગ્રંથ મુજબ આ સમયગાળાનો સુર્વણયુગ હતા.એવું માનવામાં આવે છે કે ઈસવીસન પુર્વે 537માં રાજકુમાર સિદ્ધાર્થ ગૌતમને “જ્ઞાનપ્રાપ્તી” થઈ. આ બાદ તેઓ રાજકૂમાર ગૌતમ મટીને ‘બુદ્ધ‘ એક જ્ઞાની પુરૂષ બન્યા. આજ સમયગાળા દરમિયાન જૈન ધર્મના 24માં તીર્થંકર (Tirthankara) મહાવીરે(Mahavira) આ જ પ્રકારની નવી વિચારશરણી વિકસાવી હતી જે પછીથી જૈન (Jainism)ધર્મ તરીકે જાણીતી થઈ હતી.[૨૬]જો કે જૈન ધર્મના રૃઢીચુસ્તોનું માનવું છે કે ભગવાન બધુ જ જાણતા હતા.વેદ (Vedas)માં કેટલાક તીર્થંકરો અંગે કહેવામાં આવ્યું છે. શ્રમણ ચળવળ દરમિયાન તેઓના તપનો ઉલ્લેખ છે. [૨૭]બૌધ્ધ અને જૈન ધર્મના ગ્રંથોમાં સંયમવૃતિ પર ભાર મુકવામાં આવ્યો હતો. આ ગ્રંથો પ્રાકૃત(Prakrit)માં હતા જેથી લોકોમાં જલ્દીથી પ્રસરી ગયા હતાઆ ગ્રંથોની હિન્દુ ધર્મના કેટલાક સિદ્ધાંતો પર અસર કરી હતી. જેમાં શાકાહારી, પશુ હિંસા અને અહિંસાના સિદ્ધાંતોનો સમાવેશ થતો હતો.
ભૌગોલિક રીતે જૈન ધર્મ ભારત પુરતો સિમિત રહ્યો હતો જ્યારે બૌધ્ધ સાધુઓ અને સાધ્વીઓએએ બુદ્ધ ભગવાનનો બોધ મધ્ય એશિયા (Central Asia), પુર્વ એશિયા (East Asia), તિબેટ (Tibet), શ્રીલંકા (Sri Lanka) અને દક્ષિણ પુર્વ એશિયામાં ફેલાવ્યો હતો.
*કોરોના સહાય માટે ઓનલાઈન અરજી* કોવિડ-૧૯ મા મૃત્યુ થયેલ વ્યક્તિના વારસદારને ઘરે બેઠા સહાય મેળવવા ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા લોન્ચ ક...