શનિવાર, 18 ઑગસ્ટ, 2018

સામાન્ય જ્ઞાન : GK in Gujarati and current affair in Gujarati: Current Affairs July 2018

GK in Gujarati and current affair in Gujarati: Current Affairs July 2018(by Y M Khandala) : 1.  નીચેનામાંથી કયો દેશ આશિયાન સંગઠન દેશનો સભ્ય નથી ?    A. સિંગાપોર     B.  ઇન્ડોનેશિયા     C. મલેશિયા     D.   તુર્કી   ...

ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનાં સેનાની

(By Y M Khandala)
વીર સાવરકર

· વીર સાવરકર દુનિયાનાં એકલાં એવાં સ્વાતંત્ર્ય યોદ્ધા હતાં કે જેમને બે-બે આજીવન કારાવાસની સજા મળી, સજાને પૂરી કરીને ફરીથી રાષ્ટ્ર જીવનમાં સક્રિય થઈ ગયાં. 

· તે વિશ્વનાં પહેલાં એવાં લેખક હતાં કે જેમની કૃતિ ૧૮૫૭ના પ્રથમ સ્વતંત્રતાના બે-બે દેશોએ પ્રકાશનથી પહેલાં જ પ્રતિબંધિત કરી દીધી. 

· તે પહેલાં એવાં ભારતીય રાજનીતિજ્ઞ હતાં જે સર્વપ્રથમ વિદેશી વસ્ત્રોની હોળી કરી હતી.

· તે પહેલાં સ્નાતક હતાં જેમની સ્નાતક ઉપાધિને સ્વતંત્રતા આંદોલનમાં ભાગ લેવાના કારણે અંગ્રેજ સરકારે વાપસ લઈ લીધો. 

· તે એવાં પહેલાં ભારતીય વિદ્યાર્થી હતાં, જે ઇંગ્લેન્ડના રાજા પ્રત્યે વફાદારીની શપથ લેવાની મનાઈ કરી દીધી. ફળસ્વરૂપે તેમને વકીલાત કરવાં રોકાવી દીધાં. 

· વીર સાવરકરે રાષ્ટ્રધ્વજ તિરંગાની વચ્ચે ધર્મચક્ર લગાવાનો સુઝાવ સર્વપ્રથમ આપ્યો, જેમને રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદે માન્યો. 

· તેમણે સૌથી પહેલાં પૂર્ણ સ્વતંત્રતાને ભારતના સ્વતંત્રતા આંદોલનનું લક્ષ્ય ઘોષિત કર્યું. 

· તે એવાં પ્રથમ રાજનૈતિક બંદી હતાં કે જેમને વિદેશી ભૂમિ પર બંદી બનાવવાના કારણે હેગનાં આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં મામલો પહોચ્યો. 

· તે પહેલાં ક્રાંતિકારી હતાં જેમણે રાષ્ટ્રનાં સર્વાગીણ વિકાસનું ચિંતન કર્યું તથા બંદી જીવન સમાપ્ત થતાં જ અસ્પુશ્યતા વગેરે કુરીતિઓ વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું. 

· દુનિયાનાં એવાં પહેલાં કવિ હતાં જેમણે અંદામાનના એકાંત કારાવાસમાં જેલની દીવાલ પર કિલ અને કોયલાથી કવિતા લખી અને પછી તેમને યાદ કરી. આ પ્રકારે યાદ કરેલ દસ હજાર પંક્તિઓને તે જેલથી છૂટ્યા બાદ ફરી લખી.
આઝાદીમાં જન્મયો છું અને છેલ્લા શ્વાસ સુધી આઝાદ જ રહીશ

૨૩ જુલાઈ ૧૯૦૬ના જન્મેલ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનાં સેનાનીનાં અગ્રણી ચંદ્રશેખર આઝાદનું બાળપણથી જ અંગ્રેજોનાં અત્યાચાર જોઈ મન સળગી ઉઠતું. કિશોરાવસ્થામાં તે ભાગીને પોતાની ફઈ પાસે બનારસ આવીને સંસ્કૃત વિદ્યાપીઠમાં ભણવા લાગ્યાં. 

બનારસમાં પહેલી વાર વિદેશી સામાન વેચતી દુકાન સામે ધરના દેતા પકડાઈ ગયા. થાણામાં પુછતાછમાં પોતાનું નામ આઝાદ, પિતાનું નામ સ્વતંત્રતા અને ઘરનું સરનામું જેલખાનું બતાવ્યું ત્યારથી જ તેમનું નામ ‘આઝાદ’ પ્રચલિત થઇ ગયું. આગળ ચાલીને તે સશસ્ત્ર ક્રાંતિનાં માધ્યમથી દેશને આઝાદ કરાવનાર યુવકોનું દળ બનાવી લીધું. 

આઝાદ અને તેનાં સહયોગીએ ૯ ઓગસ્ટ ૧૯૨૫નાં લખનઉથી સહારનપુર જવાવાળી રેલ કાકોરી સ્ટેશન પાસે રોકી સરકારી ખજાનો લુટી લીધો. આ અંગ્રેજ શાસનને ખુલ્લી ચુનોતી હતી પરંતુ આઝાદને પકડવું એટલું આસાન ન હતું. 

૧૭ ડિસેમ્બર ૧૯૨૮નાં તેમની પ્રેરણાથી ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ વગેરે લાહોરમાં પુલિસ અધિક્ષક કાર્યાલયની ઠીક સામે સાંડર્સને યમલોક પહોચાડી દીધો. થોડા સમયબાદ ક્રાંતિકારીઓ લાહોર વિધાનભવનમાં બોમ ફેક્યો છતાંય તેમનો ઉદ્દેશ કોઈને નુકશાન પહોચાડવાનો ન હતો. બોમ ફેકી ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે આત્મસમર્પણ કરી દીધું. બીજી તરફ અનેક ક્રાંતિકારી પકડાઈ ગયાં. આથી ક્રાંતિકારી દળ કમજોર પાડવા લાગ્યું. 

જે ૨૭ ફેબ્રુઆરી, ૧૯૩૧નો દિવસ હતો. પુલિસને સમાચાર મળેલ કે આજ પ્રયાગનાં અલ્ફ્રેડ પાર્કમાં ચંદ્રશેખર કોઈને મળવાનાર છે, તેથી પુલિસ પણ સમય બગડ્યા વગર પાર્કને ઘેરી લીધો. જેવી તેમની નજર પુલિસ પર પડી તો તે પિસ્તોલ નિકળી ઝાડ પાછળ છુપાઈ ગયાં. થોડી જ વારમાં બંને તરફ ગોળી ચાલવા લાગી. જયારે આઝાદની પિસ્તોલમાં એક જ ગોળી વધી ત્યારે તે દેશની માટી પોતાનાં માથા પર લગાવીને અંતિમ ગોળી પોતાની કાનપટ્ટીમાં મારી દીધી. 

તેમનો સંકલ્પ હતો કે તે આઝાદ જ જન્મયા છે અને છેલ્લાં શ્વાસ સુધી આઝાદ જ રહેશે. આ પ્રકારે તે જીવતે જીવે પણ પુલિસનાં હાથે ના આવ્યાં.

CCC

ગુજરાત યુનિવર્સિટી માં સીસીસી. (CCC) ફોર્મ ભરવાની પક્રિયા ચાલુ થઈ ગઈ છે.
સરકારી કર્મચારી જેવા ક્લાસ 3 અને ૪ ઉપરાંત સરકારી તામમ કર્મચારીઓ પોતાના ફોર્મ ઓનલાઇન ભરી શકશે
નીચે ની વેબસાઇટ
http://www.gujaratccc.co.in

*કોરોના સહાય માટે ઓનલાઈન અરજી*

 *કોરોના સહાય માટે ઓનલાઈન અરજી*  કોવિડ-૧૯ મા મૃત્યુ થયેલ વ્યક્તિના વારસદારને ઘરે બેઠા સહાય મેળવવા ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા લોન્ચ ક...